SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ માટે કયું સૂત્ર કયા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં કામ લાગે તે વિચારવાનું. પહેલાં તીર્થકર, પછી જ્ઞાન, પછી સાધુ-સાધ્વી અને પછી જ સાધર્મિક ભક્તિ આવે. સામાન્યથી કહેવાય કે અધર્મ છોડો અને ધર્મ કરો, પણ પછી વિશેષથી કેવી રીતે ધર્મકરવો તે માટે સૂત્રો સ્યાદ્વાદમય રહેવાનાં. ત્યાં કહે કે અસમંજસવૃત્તિ છોડી સમંજસવૃત્તિથી ધર્મ કરો. વિશેષ સૂત્ર વિશેષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાં લાગુ પડે, સામાન્યમાં નહીં. તેમ સામાન્ય સૂત્ર સામાન્ય દ્રવ્ય-ક્ષેત્રકાળમાં લાગુ પડે, વિશેષમાં નહીં. તે સિવાય બીજી રીતે લાગુ કરો તો વિરાધક બનો. ફળ સમાન મુકાય નહિ. જેમ હું તીર્થકરથી હીન, તેમ તમે સાધુ-સાધ્વીથી હીન ગણાઓ. માટે શ્રાવકાદિને તીર્થંકર-જ્ઞાન-સાધુ-સાધ્વીની ભક્તિનીEquivalent (સમાન) મૂકે તે બરાબર નથી, માટે Combine force (બધાને એક સામાન્ય પ્રવાહ)માં કદી મુકાય નહીં. અમે બધા (તીર્થંકરાદિ) United(એક) થઈએ તોય તમારી સામે ન ટકી શકીએ અને તમે ચઢી જાઓ, તે Mis-interpretation(ઊંધું અર્થઘટન) છે. આ સૂત્ર વિશેષથી છે, સામાન્યથી નથી. સભા- તો આ સૂત્ર ક્યારે વપરાય? સાહેબજી:-કોઇક કારણસર સાધર્મિકોનો નાશ થવાનો હોય અને તેમનો નાશ થવાથી બધાનો નાશ થવાનો સંભવ હોય, ત્યારે આમને બચાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ના હોય, આ બચશે તો સાધુ-સાધ્વી બચશે, જેનાથી તીર્થ ચાલશે, તીર્થકરો થશે, આમાંથી જ સાધુ-સાધ્વી થશે, દેરાસર-ઉપાશ્રય બચશે, આ છે તો બધું છે; માટે આવી કટોકટી ઊભી થાય ત્યારે, આવા વિશેષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં આ વિશેષ સૂત્ર લાગુ કરીને વપરાય અને Clarification (ખુલાસો) કરવાનું આવે. પણ સામાન્ય સૂત્રમાં પહેલાં તીર્થંકર પછી જ્ઞાન-સાધુ-સાધ્વી પછી સાધર્મિક આવે. માટે ઉત્સર્ગથી શું? અપવાદથી શું? બધું બરાબર સમજવું પડે; નહીંતર શીર્ષાસન થશે, આશાતના થશે. સભા- તો સાધર્મિકભક્તિનું ફંડ થાય નહીં ને? સાહેબજી- બધાની આશાતના કરીને ફંડ કરવું જરૂરી નથી. સાધર્મિક ભક્તિ છે, પણ તેની ભક્તિ, ઉપરના ત્રણેની ભક્તિની તોલે અથવા તેથી પણ વિશેષ ભક્તિ તેની બતાવો, તો બરાબર નથી. વિશેષ સૂત્ર ગમે ત્યાં લગાડાય નહીં. ઉત્સર્ગથી જે સ્થાન હોય, અપવાદથી જે સ્થાન હોય તે બધું બતાવવું પડે. પાછી સાધર્મિક ભક્તિ કરો તેમાં પણ, જેમાં બેઉના ગુણની વૃદ્ધિ થાય તેવી રીતે થવી જોઈએ. આવી રીતે કરો તો જ સાચા સાધર્મિકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy