SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૮૩ સારું છે. પણ અંદર Scanning(બારીકાઇથી તપાસીને કે નીરખીને જોવું તે) કરો તો ખબર પડે કે શું શું ભર્યું છે. માટે થોડા ગુણો સેવી ખાલી પુણ્યબંધ કરી લો, પણ જો અનુબંધ અશુભ હશે તો શું? માટે વિચાર કરવા જેવું છે. તમને દાન દેતાં પણ દાનમાં નહીં પણ પરિગ્રહમાં રસ વધુ હોય છે અને તેથી અશુભ અનુબંધ પડે છે. જેને પોતાના મોક્ષની ચિંતા નહીં તે ગામના મોક્ષની શું ચિંતા કરવાનો? સંસારમાં ધર્મ કરવા છતાં વૈરાગ્યની વૃદ્ધિ કેમ દેખાતી નથી? કારણ કાં તો તે કુલાચારથી ધર્મ કરે છે યા મનસ્વીપણે ધર્મ કરે છે. સંસારના રસિક જીવોને ૧૮ પાપસ્થાનકમાં જ રસ હોય છે. મિથ્યાત્વશલ્ય તમને હેયમાં ઉપાદેયબુદ્ધિ અને ઉપાદેયમાં હેયબુદ્ધિ કરાવે છે, જયારે અપુનબંધક અવસ્થાવાળા જીવોને મિથ્યાત્વ મંદ હોય છે. મિથ્યાત્વ મંદ હોવાને કારણે તેને પાપના અનુબંધ શિથિલ પડશે અને થોડોક વિવેક હશે માટે થોડો પુણ્યનો અનુબંધ પડશે. મિથ્યાત્વશલ્યના કારણે જ અત્યાર સુધી કર્મો Build-up (ક્રમશઃ વધતા જતા) થતા હતા જેનું હવે Dissolution (વિસર્જન) ચાલુ થશે. ચારિત્રમાં એટલે કે ધર્મમાં ધર્મબુદ્ધિ અને અવિરતિમાં એટલે અધર્મમાં અધર્મબુદ્ધિ થવી જ જોઈએ. તે જ વિવેક છે અને તે જ અનુબંધનું કારણ છે. માટે જ્યારે શુભાશ્રવ કરો ત્યારે અનુબંધ પર નજર રાખવાની છે. પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિજીએ ફરમાવ્યું છે કે, સંસારના તીવ્ર રસવાળા જીવોને તાત્ત્વિક ધર્મની વાતો કરીએ તો વૈષ થાય; કારણ કે તેમના અર્થ-કામના રસ પર પ્રહાર થાય છે. આ તેમનું ગાઢ મિથ્યાત્વ છે. તત્ત્વાર્થસૂત્ર જૈનશાસનનું હૃદય છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજાએ દશ અધ્યાયમાં ગજબ Cover(સમાવિષ્ટ) કર્યું છે. ગ્રંથકારે વ્યુત્ક્રમ હેતુપૂર્વક જ કરેલો છે. આશ્રવ શુભ હોવા છતાં અનુબંધ અશુભ છે, તેનો નિર્વેદ પમાડવો છે. માટે હું જે કહું છું તેના માટે જિજ્ઞાસા થવી જોઇએ. ધર્મનું મૂલ્ય સમજો ધર્મ મોક્ષ માટે છે. સંસારના ભૌતિક સુખો તો આનુષંગિક ફળ છે. માટે ગમે તે રીતે ધર્મ કરવાનો નથી. અમે ધર્મનાં ફળોનું વર્ણન ચાલુ કરીએ તો ઓઘશ્રદ્ધાવાળા જીવો પાસે ધર્મ કરાવવો સુલભ છે, પરંતુ ભૌતિક લાભો-સુખો બતાવી ધર્મ પ્રત્યે આકર્ષણ કરાવીને ધર્મ કરાવવાનો જ નથી, પણ જેમાં તમારી આસક્તિ છે, તેમાંથી બહાર કાઢવા ધર્મ કરાવવાનો છે. તમારો વિષયરાગ-કષાયરાગ ન પોષાય, પણ તે તૂટતો જાય તે રીતે અમારે ધર્મ કરાવવાનો છે. તમે સારું પામ્યા એટલે તમને ખોટાનો પશ્ચાત્તાપ થવો જ જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy