SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ આશ્રવ અને અનુબંધ હોઈ શકે. પણ આવા દાખલા અપાય નહિ. તેમાં જીવે પૂર્વે એવું ચારિત્રમોહનીય બાંધ્યું હોય કે સામાન્ય જીવ ન સેવે તેવો સંસાર તે સેવતો હોય છે. પણ આવા દાખલા લેવાય નહિ, જેમ તથાભવ્યત્વ(જીવની તે તે રીતે થવાની યોગ્યતા) માટે મરુદેવામાતાનો દાખલો છે. અજ્ઞાન અવસ્થામાં બાંધેલ બળવાન ચારિત્રમોહનીયકર્મ ઊભું હોય તો જુદી વાત, નહીંતર સમકિત પામ્યા પછી તો તે જીવ સંસાર છોડી નીકળી જ જાય. આ તર્કસંગત છે, કેમ કે જો તેને ચારિત્રમાં જ સુખ દેખાતું હોય તો તે સંસારમાં રહી શકે ખરો? જયાં તેને કષાયનો દરિયો અને પાર વગરના સંક્લેશ દેખાય ત્યાં તે રહે કેમ ? તમે Equation (સમીકરણ) સમજો. તમને વિવેક નથી માટે જ ચારિત્રથી ગભરાઓ છો. વ્યવહારનયથી ‘ટ્ટાર્થ રીક્ષા' (કષ્ટ સહન કરવા માટે દીક્ષા) અને નિશ્ચયનયથી “સુવર્ણ તીક્ષા'. (નિરપેક્ષભાવરૂપ આત્મિકસુખના ભોગવટા માટે દીક્ષા.) જે ભાવથી સંસાર પુષ્ટ થાય તે સંસારભાવના અને જે સંસારને ખંડિત કરે તે તેની પ્રતિભાવના; જે વિવેકથી જ આવે. વિવેકની પરાકાષ્ઠા આવે તે જ મોક્ષ. વિવેક-સમકિત પ્રાપ્ત કરવા માટે કરોડ ભવ સાધના કરવી પડે તો પણ તે સફળ છે. આ Straight way(સીધો માર્ગ) છે. ભાવસમકિત પામ્યા પછી તો માત્ર બળવાન કર્મ જ તેને પટકી શકે, બળવાન કર્મો જ તેને નચાવે. આ બળવાન કર્મ પણ તેને ક્યાં સુધી નચાવી શકશે? ૬૬ સાગરોપમ સુધી જ. પછી તો તેને ખસવું જ પડશે. સમકિતી પૂર્વના અનુબંધોમાં ફેરફાર કરે છે. આ કાંઇ હવે સામાન્ય જીવ નથી. છતાં તેને દુર્ગતિ પણ આવી શકે. જેમ કે ભગવાન મહાવીરનો જીવ ચોથા આરાની શરૂઆતમાં સમકિત અવસ્થાને પામ્યો હતો અને મરિચીના ભવે કોટાકોટી સંસારપરિભ્રમણનું કર્મ બાંધ્યું અને છેક છેલ્લા ભવે તીર્થકર થયા. ભૂતકાળના અશુભ અનુબંધમાં ફેરફાર ન કરી શક્યા તેથી દુબુદ્ધિ આવી. નિમિત્ત એવું મળ્યું કે ત્યાં નિમિત્તના કારણે ઉદીરણાકરણ લાગ્યું. કષાયનાં નિમિત્તોમાં જવાનું, પણ ત્યાં રહેવાનું કેવી રીતે? સત્ત્વશાળી જીવ કષાયનાં નિમિત્તોની વચ્ચે રહે, પણ ઉદીરણાકરણ લગાડી, કમાં ને ઉદયમાં લાવી, કર્મોને સાફ કરતો જાય, એટલે કે કર્મોના ભુક્કા બોલાવી નાખે. સભા- અસમંજસવૃત્તિથી કરાતા ધર્મથી દર્શનશુદ્ધિ થાય? . સાહેબજી:- અસમંજસવૃત્તિથી ગમે તેટલાં વ્યક્તિગત જિનમંદિરો બંધાવે, તો પણ તેને દર્શનશુદ્ધિ ન થાય; કારણ કે તે શુદ્ધભાવને સ્પર્શે જ નથી, તેણે વિધિ-પ્રતિષેધ સેવ્યા નથી. દર્શનશુદ્ધિનું કારણ તો તેને અનુરૂપ અધ્યવસાય છે. માટે થોડા પુણ્યબંધથી કાંઈ વળવાનું નથી. અત્યારે કહેવાતા ધર્મી-સુખી લોકોને પૂછો તો કહેશે કે દેવ-ગુરુ-ધર્મની કૃપાએ ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy