SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ વિવેક (તત્ત્વપ્રતીતિ) કારણ છે. જેટલા અંશમાં વિવેક ખીલેલો હશે તેટલા અંશે અનુબંધ શુભ પડશે. અત્યારે તો ધર્મથી અર્થ-કામ પોષાય નહિ તેના માટે જો અમે વધારે વિવેચન કરીએ, તો ઘણા ધર્મ કરનારા જીવો પણ અકળાઈ જાય છે. આવા જીવોને અશુભ અનુબંધ તીવ્ર પડશે, જેના કારણે જયારે તેમને આ પુણ્ય ઉદયમાં આવશે, ત્યારે તે એવા સંસારરસિક હશે કે સંસાર વિરુદ્ધનું કોઈ જ વર્ણન સાંભળી નહિ શકે. આવા જીવો દાનેશ્વરી હશે તો તેમને તે દાન પણ સંસારપરિભ્રમણનું કારણ બનશે. જેમ “જ્ઞાનશિયાખ્યાં મોક્ષમા” (જ્ઞાન અને ક્રિયાવડે મોલમર્ગ છે.)સૂત્ર છે, તેમ વિવેક અને વૈરાગ્યથી મોક્ષ છે તેવું સૂત્ર પણ છે. વિવેકરૂપ જ્ઞાનને દર્શન અને વિવેકરૂપ ક્રિયાને જ ચારિત્ર કહ્યું છે. વિવેક એ જ અહીં ધોરણ તરીકે મૂક્યો છે. વિવેક વગરનો ધર્મ બહુગણનામાં નહિ આવે. વિવેક બે પ્રકારનો છે. ઓઘથી વિવેક અને તત્ત્વપ્રતીતિપૂર્વકનો વિવેક, ઓઘથી વિવેક આવે તો અશુભ અનુબંધ શિથિલ પડશે અને જો વિવેક તત્ત્વપ્રતીતિપૂર્વકનો હશે તો અનુબંધ શુભ પડશે. સભા:- વિવેકની વ્યાખ્યા શું? સાહેબજી-વિવેક એટલે અધ્યાત્મિક ગુણ-દોષની ઓળખ અને તેની યથાર્થ રુચિ. તેને સાચું શું? ખોટું શું? હેય શું? ઉપાદેય શું? બધી ખબર પડે. તે જ વિવેક છે. આવો વિવેક પ્રગટ્યો છે કે નહિ તેનો તાળો કેવી રીતે મેળવવો? તો કહે છે કે આવા જીવને ચારિત્રનો તીવ્ર અભિલાષ હોય. ૧૦૦ ટકા વિવેક ખીલેલો હોય તો ભાવથી સમકિતી છે તેમ સમજવું. જિનવચન ઉપર શ્રદ્ધા રાખીને નહિ પણ પોતાની પ્રતીતિપૂર્વક ચરણ-કરણનો અભિલાષી હોય. સમકિત પામ્યા પછી તેને જરા પણ સંસારમાં રહેવું ફાવે નહિ. સમકિત એ જીવને જો તેનું કર્મ ન હોય તો સંસારમાં રહેવા જ ન દે. તે તો સંસારમાંથી નીકળી જ જાય. સમકિતીને ચારિત્રમોહનીય ન હોય તો એક સેકંડ પણ તે સંસારમાં રહે નહિ. તમને રોગ ગમે છે ખરો ? તેમ સમકિતી સંસારનાં બધાં ભોગસુખો રોગની જેમ સેવે છે, તેમાં તેની મજબૂરી એ કારણ છે. તમે સંડાસમાં વધારે સમય બેસવા તૈયાર થાઓ ખરા ? માણસને જયાં ન ફાવતું હોય ત્યાં તે વધારે રહે ખરો? સભા:- તો પછી શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હતા, છતાં ચારિત્ર કેમ નહોતું સાહેબજી:-હજારો સમકિતીમાં જે કોઇક વિશેષ દાખલો હોય તેવો શ્રેણિક મહારાજાનો દાખલો છે. ધર્મપરીક્ષામાં લખ્યું છે કે હજારો ભાવથી સમકિતીમાં એકાદ સપ્તવ્યસની પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy