SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ આશ્રવ અને અનુબંધ તેટલો જથ્થો વધારે. જેમ ૧૦૦ કણિયાનો લાડુ, ૫૦૦ કણિયાનો લાડુ, ૧000 કણિયાનો લાડુ હોય તેમ લાડ સમાન હોય પણ જથ્થામાં તફાવત પડે છે, તેવી રીતે જેમ યોગનું ચાંચલ્ય અધિક તેમ જથ્થો વધારે, કંપન વધારે થવાથી તે વધારે ગ્રહણ કરે છે. સંસારમાં ક્રિયાનાં ધોરણો હોય છે. ધોરણ મુજબ ક્રિયા કરો તો કાર્ય શ્રેષ્ઠ થાય છે. ખામીવાળાં ધોરણ હોય તો કાર્ય પણ ખામીવાળું અને ઊંધી રીતે કરો તો કાર્ય વિપરીત કે નકામું પણ થાય. દા.ત. બહેનો રસોઇ બનાવે, તે તેના ધારાધોરણ પ્રમાણે બધા મસાલા આદિ દ્રવ્યો યોગ્ય ગુણવત્તાનાં અને પ્રમાણસર વાપરે તો જ રસોઇ સારી બને ને? અને તેમાં ગડબડ કરે તો? તેમ ધર્મમાં પણ ધારાધોરણો છે. ધર્મ સ્વેચ્છાએ કરવાનો નથી. કારણ તમને Starting(શરૂઆત)માં જ Right track(સાચા માર્ગો પર મૂકવાના છે. ધર્મ દ્વારા અર્થકામને પોષવાના નથી, પણ ભૌતિક આકાંક્ષાઓને મૂર્શિત કરવાની છે. પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિજીએ લખ્યું છે કે તીર્થકર ભગવાન પાસે શું માંગવું? તો કહે તીર્થંકર ભગવાનની પાસે આકાંક્ષા મોક્ષની જ કરાય. જેનામાં મોક્ષ આપવાની તાકાત છે તેની પાસે અર્થ-કામની માંગણી કરવી તે રાજા પાસે રોટલો માંગવા જેવું થશે. મૂરખ ભિખારી જ રાજા પાસે રોટલો માંગે. તેમ ધર્મ કરીને ભૌતિક સુખ માંગવાનાં નથી. તમે શુભાશ્રવ કરો પણ અનુબંધ જો અશુભ હોય તો તે ઇષ્ટ નથી. તમને નિર્વેદ પમાડવાનો છે. સભા- પુણ્યાનુબંધી પુણ્ય કોણ બાંધે ? સાહેબજી:- અપુનબંધકદશાથી જીવને પુણ્યાનુબંધી પુણ્ય ચાલુ થાય છે. જેટલા અંશે વિવેક આવે તેટલા અંશે શુભ અનુબંધ પડે છે. અવિવેકીને સૂક્ષ્મ બુદ્ધિ જ નથી. તે ધર્મ કરીને અનુબંધ શું સુધારવાનો હતો? એટલે અવિવેકીને તો અશુભ અનુબંધ જ પડવાનો. સમકિતી જીવ પૂર્ણ વિવેકના પ્રભાવે શુભ અનુબંધ જ પાડે છે. જયારે અપુનબંધક અવસ્થાવાળા જીવને હજી પૂર્ણ વિવેક પ્રગટ્યો નથી, માટે તેને જેટલે અંશે વિવેક એટલે અંશે શુભ અનુબંધ, અને જેટલે અંશે અવિવેક તેટલે અંશે અશુભ અનુબંધ પડશે. અપુનબંધકને ભલે પૂર્ણ વિવેક નથી, હેતુ-સ્વરૂપ અને અનુબંધનો તેને હજી બોધ નથી, પરંતુ પૂર્ણ વિવેક થઈ શકે તેવી તેની યોગ્યતા છે. જેમ જેમ તેને Push(વેગ) મળે તેમ તેમ તેની ગતિ તે તરફ થાય છે, કારણ કે તેને કદાગ્રહ નથી. અત્યારે તે જે કરે છે તેનાથી ભાવિ માટેનું Groundwork (પાયાનું કામ) તૈયાર થાય છે. વ્યવહારનયથી અપુનબંધક અવસ્થાથી જીવો ધર્મશ્રવણ કરવાને યોગ્ય બને છે, જ્યારે નિશ્ચયનયે તો સમકિતી જીવોને જ ધર્મશ્રવણ માટે યોગ્ય કહ્યા છે. અનુબંધ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy