SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ નહિ. માટે અહીં પાટ પર બેસતાં ડર લાગે તેવું છે. સત્ પ્રરૂપણાથી સંસાર કપાતો ચાલ્યો જાય-ભવો કપાય, તેમ ઉન્માર્ગનું સ્થાપન થાય કે સન્માર્ગને ધક્કો પહોંચે તેવી પ્રરૂપણા થાય, તો સીધા એકેંદ્રિયમાં જવાનું આવે. માટે જ્યારે મીમાંસા કરવાની વાત આવે ત્યારે જો શક્તિ ન હોય તો અન્ય Authority(અધિકારી)ને Refer(પૃચ્છા કરવા મોકલવું તે) કરવા જણાવે. અહીંયાં અમે ધર્મનું ભૌતિક ફળ બતાવવાનું ચાલુ કરીએ તો તમે પૈસા ખર્ચો ને ? પણ આ બધું ફળ આનુષંગિક છે. આ બધું અવિરતિરૂપ છે અને ધર્મ એનાથી છૂટવા માટે કરવાનો છે. અમારે સામા પ્રવાહે ચાલવાનું છે. તમે જેમ વેપાર કરીને પૈસા મેળવો છો, તેમ ધર્મ કરીનેય પૈસા મેળવવામાં તમને જરાય વાંધો નથી. પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુમાં લખ્યું છે કે વૈમાનિક દેવના ભવો મળે તે પણ ધર્મનુ આનુષંગિક ફળ છે. તેના માટે ધર્મ નથી કરવાનો, ધર્મ તો વિરતિ મેળવવા માટે જ કરવાનો છે. સભાઃ- પૈસાની ઇચ્છા વખતે કેવા પરિણામથી તે મેળવવા ? સાહેબજી:- આપણી જે વર્ણવ્યવસ્થા છે તેની મર્યાદામાં રહીને વેપાર કરવાનો છે. પાપના સેવન વખતે તમારી પરિણતિ કેવી છે, તદનુસાર અનુબંધ થાય છે. સમકિતીનો વ્યવહારનયથી અર્થપુરુષાર્થ પણ નિશ્ચયનયથી ધર્મપુરુષાર્થ છે. કારણ કે વેપાર કરતાં પણ તેને થાય કે હું કમભાગી છું, લોભ મને સતાવે છે અને હું વેપાર કરું છું, આવશ્યકતા છે માટે કરું છું; પણ જો બાલ્ય અવસ્થામાં વિરતિ-દીક્ષા લીધી હોત, તો આ પાપના સેવનનો પ્રસંગ જ ઉપસ્થિત ન થાત. આ વિચારધારાથી અનુબંધ શુભ પડે. સમકિતીને સંસારમાં વ્યવહારનયથી ધર્મ-અર્થ-કામ એમ ત્રણ પુરુષાર્થ છે, પણ નિશ્ચયનયથી તેને તે સઘળામાં એક ધર્મપુરુષાર્થ જ છે. સમકિતીને કર્મ બળવાન છે માટે પાપપ્રવૃત્તિ કરાવે, અને તે વખતે પાપનો બંધ પણ થશે, પણ તેને અનુબંધ તો શુભ જ થશે. સમકિતી એમ ને એમ બેઠો હોય કે ધંધાના વિચાર કરતો હોય ત્યારે પણ, સમકિતનો અધ્યવસાય તેને સમયે સમયે અસંખ્યાત ગુણ નિર્જરા કરાવતો જાય છે. 20 પ્રદેશબંધ શું ? પ્રકૃતિબંધ શું ? રસબંધ શું ? સ્થિતિબંધ શું ? બધાનાં કારણ શું ? જે અંદર બને છે તે બધું બહાર લાવી લાવી, ખોલી ખોલીને ભગવાને બતાવ્યું છે. આ કાંઇ તેમનો ઓછો ઉપકાર છે ? એક એક વિધાનમાં ઘણી ઘણી યુક્તિઓ છે. સભા:- પ્રદેશબંધનાં કારણો કયાં ? સાહેબજી:- યોગની ચંચળતા. મન-વચન-કાયાના યોગની ચંચળતા જેટલી વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy