SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આશ્રવ અને અનુબંધ કારણે જ તમને સત્તરે પાપસ્થાનક પર રુચિ છે. જ્યાં સુધી તેના પર રુચિ અકબંધ ત્યાં સુધી મિથ્યાત્વ પણ અકબંધ રહેવાનું. જયાં સુધી ગાઢ મિથ્યાત્વ અકબંધ હોય ત્યાં સુધી કરેલો ધર્મ મોક્ષનું કારણ બની શકે નહિ. આ તર્કથી બેસે તેવું છે. તત્ત્વમાં Convince થઇને(પાકી ખાતરી કે ભરોસો બેસાડીને) જીવન પરિવર્તન કરી મોક્ષે જવાનું છે. પૂ.ઉપાધ્યાયજીએ લખ્યું છે કે માત્ર વચન-કાયાથી મોક્ષ નથી, તમારું માથું ફરે તો જ મોક્ષ થાય. માટે માથું ફેરવવાનું છે. સભા - સાહેબજી, અમારું માથું ફેરવી દો ને? સાહેબજી:-તમારું માથું ફેરવવા તો બેઠો છું. Intellectual class(બુદ્ધિશાળી વર્ગ)ને ધર્મ Convince(સમજપૂર્વક પાકી ખાતરી કરાવી દઢ વિશ્વાસ બેસાડવો તે) કરાવવાનો છે, તો જ તેઓ મોક્ષે જશે. ધર્મ કરે રાખે પણ તેના સંસારમાં કશો ફેર ના પડે તો તે ધર્મ નિષ્ફળ જઈ રહ્યો છે, કારણ તેનું પરિણામ સંસાર જ છે, જેને મોક્ષ સાથે કશો સંબંધ નથી. ધર્મ કરે અને તેના સંસારમાં કાંઈ ફેર જ ન પડે તો તે ધર્મ, ધર્મ નથી. માટે જ અમારે તર્ક આપી આપીને તમને, તમારી બુદ્ધિને Approach(ની નજીક પહોંચવું તે) કરવો પડે છે. આવાં વ્યાખ્યાન અમને કષ્ટ આપે છે, સતત મગજ વાપરતા જ રહેવું પડે. પરંતુ અમને અમારા પૂર્વાચાર્યોએ કહ્યું છે કે “તમારે આવી રીતનાં વ્યાખ્યાન કરતા જ રહેવાનું. તમારે બધાનાં માથાં ફેરવવાનાં છે,” માટે અમારે વધારે મહેનત કરવી પડે. સમજ વગરનો ધર્મ કરીને પણ તમે અભ્યદય મેળવી શકો, પણ તાત્ત્વિક ધર્મ સિવાયનો અભ્યદય પણ તમને ખબર પાડ્યા જ કરે, ચૂંટિયા ખણ્યા જ કરશે. તેનું સ્વરૂપ જ એવું છે. ઊંચું પુણ્ય કેવી રીતે બંધાય તેના માટે પણ સામગ્રી જોઇએ. પૃથ્વીકાયાદિ જીવો ઊંચી પુણ્યપ્રકૃતિ બાંધી નથી શકતા, કારણ કે તેમને સામગ્રીનો અભાવ છે. આ જીવો પ્રવૃત્તિથી બિલકુલ અલ્પ પાપ બાંધી શકે, પરંતુ તેમાં તે જીવોની લાયકાત કારણ નથી, પણ સામગ્રીનો અભાવ કારણ છે. બાકી તે જીવોમાં પણ વૃત્તિરૂપે તો બધાં પાપો સેવવાની તૈયારી પડી છે, તે માટે તલપાપડ છે, પણ આચરી શકતા નથી. તે સતત કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યામાં રાચતા હોઈ આમ અશુભ કર્મ બાંધ્યા જ કરે. માત્ર Humanitarian (માનવતાવાદી)ની દયા કર્યા કરો એટલા માત્રથી શું થાય? જીવમાત્ર પ્રત્યે દયાનો ભાવ જોઇએ. દ્રવ્યદયા એકલી ના ચાલે, ભાવદયા વગર તે અનુબંધ સારો નહીં પાડી શકે. શુભ અનુબંધ સિવાય મોક્ષ થવાનો નથી. જૈનોમાં માનવદયામાં માનનારો ઘણો વર્ગ ઊભો થયો છે. માનવદયામાં તમારો અભિગમ સંકુચિત છે. શાસ્ત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy