SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ આશ્રવ અને અનુબંધ ધર્મના ક્ષેત્રમાં તમે બધું જાણો ખરા કે નવા નિશાળિયા છો? વર્ષોથી નર્સરીવાળા છો કે કંઈ ફેરફાર થયો છે? તમને લાગે છે ખરું કે પાપમાં રુચિ ઓછી થઇ છે અને ધર્મ પ્રત્યે રુચિ વળી છે? અમારે તો ખાલી Symptoms (નિશાનીઓ-ચિહ્નો) જ જોવાનાં. અંદર ઘર્ષણ થાય તેને અનુભવ થાય કે મારામાં હવે કાંઇક ફેરફાર થયો છે. તે અનુભવે કે પહેલાંની વાત જુદી હતી, અત્યારે જીવનમાં પાપ જુદી રીતે જ થાય છે. રુચિમાં ચોક્કસ ફેરફાર થવો જોઇએ, નહીંતર બધી ક્રિયા વિષ અને ગરલમાં જશે. સભા- તે માર્ગ જડી ગયો છે. સાહેબજી:-માર્ગ જડી ગયો હોય તો હવે ક્રમે કરીને આગળ વિકાસ કરો. વિષ અને ગરલ ક્રિયાવાળાની તો ગાડી જ ઊંધી છે, જ્યારે સંમૂચ્છિમવાળાને અભ્યદય સાથે સંબંધ છે. તે અનધ્યવસાયવાળો છે, જ્યારે પેલા વિષક્રિયા અને ગરલક્રિયાવાળા તો અવળા માર્ગ પર છે. પ્રણિધાનાદિ પાંચ આશય જોઇએ. તે આવે તો તદૂતક્રિયામાં આવી શકે. માટે ધર્મ કરીને પાપની રુચિ તોડવાની છે, નહીંતર તો એવું બનશે કે જેમ તમે સંસારમાં વેપાર કરીને પૈસા કમાઓ, તેમ આ સંમૂ૭િમક્રિયાવાળો જીવ ધર્મ કરીને પૈસા મેળવશે; જ્યારે વિષ-ગરલક્રિયાવાળો તો ધર્મ કરીને સરખી રીતે કરાશે. દૂધ એ સંપૂર્ણ ખોરાક છે, પણ દૂધમાં જો વિકૃત પદાર્થ ભેળવો તો તે રોગનું કારણ બને, જે રોગ ઉત્પન્ન કરશે. ત્યાં વિકૃત દ્રવ્યનો દોષ છે કે દૂધનો? તેમ ધર્મને જો વિકૃત કરીને કરશો તો તે ધર્મ ફળવાના બદલે ફૂટી નીકળશે. ધર્મના સાચા સ્વરૂપને ઓળખીને આ જ કરવા યોગ્ય છે તેવી કર્તવ્યબુદ્ધિ આવે, પછી ક્રમસર પ્રણિધાનાદિ બધું ગોઠવાય. પાપરુચિ હશે તો અનુબંધ અશુભ જ પડવાનો છે. સૌથી Tough subject (અઘરો વિષય) અનુબંધનો છે. ત્યાં નજર બરાબર જવી જોઇએ. પાપબુદ્ધિ તૂટશે તેમ અશુભ અનુબંધ શિથિલ થશે. તત્ત્વરુચિ આવશે તેમ અનુબંધ શુભ પડશે. સંસારમાં બુદ્ધિને કેવી કેળવો છો? તેમ અહીંયાં પણ બુદ્ધિ કેળવવી પડશે. રોજ survey(તપાસ) કરો. વીતરાગની પૂજા-આંગી કરો છો તે શેના માટે ? તે વીતરાગતાનું કારણ છે, માટે પ્રભુની પૂજા-આંગી કરી ચારિત્રની અભિલાષા સેવો. પૂજા એ દ્રવ્યસ્તવ છે, ચારિત્ર એ ભાવસ્તવ છે. દ્રવ્યસ્તવ એ ભાવસ્તવ માટે છે. જૈન ધર્મની તમામ ક્રિયાઓ ચારિત્ર માટે છે. તમારું Target(લક્ષ્ય) સંયમ જ હોવું જોઈએ. પાપસ્થાનકોને ઓળખીને તમને વિરતિનો પરિણામ થયો છે? કે ભાવિમાં દુઃખન આવે માટે વિરતિનો પરિણામ થયો છે? જેમ શરીરનો રોગ પકડવા તમે Thorough body checkup(સંપૂર્ણ શારીરિક તપાસ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy