SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ સકૃતબંધક (જે જીવ હવે એક જ વખત મોહનીયની ૭૦ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ બાંધવાનો છે તે), દ્વિબંધક (જે જીવ હજી બે વાર મોહનીયની ૭૦ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ બાંધવાનો છે તે) તે બધું આગળ આવશે. (જીવની આ બે અવસ્થાઓ અપુનબંધક અવસ્થા પૂર્વેની અવસ્થાઓ છે, યાને કે ચરમાવર્તકાળની અવસ્થાઓ છે અને તેનાથી પણ નીચલી ભૂમિકાવાળા જીવો અચરમાવર્તકાળમાં છે.) આ જીવોને ઇન્દ્રિયના વિષય અને કષાયમાં અસારતાનું ભાન છે, પણ પ્રશમનું સુખ હજુ તેમણે પકડ્યું નથી. અપુનર્બંધકને પ્રશમના સુખનું આંશિક વેદન છે, પણ તે પણ કેવું ? સાવ સામાન્ય. છતાં જો પુરુષાર્થ તીવ્ર હોય અને કર્મ મંદ હોય તો તે ઝડપથી આગળ વધશે. પણ જો કર્મ તીવ્ર હોય તો તમે સંસારમાં મંડી પડો છો તેમ તેની સામે મંડી પડવું પડે. તમારે સંસારમાં ભોગનાં સાધનો મેળવવા માટેનો સમય કેટલો ? ને ભોગ ભોગવવાનો સમય કેટલો ? જેમ સૂઝ આવે તેમ મોહનીયકર્મ મોળું પડે. સાચો ધર્મ કરેલો ક્યારેય નિષ્ફળ જતો નથી, પણ તમે ધર્મ ઊંધી રીતે કરો છો માટે ફળ આપતો નથી. 23 સમકિતીને પાપ પ્રત્યે ભારોભાર અરુચિ હોય છે. પાપ તે પોતે નથી કરતો પણ કર્મ તેની પાસે પાપ કરાવે છે. માટે સમકિતી માટે શાસ્ત્રમાં ‘‘વ્યાયપાતિ ન ચિત્તપતિ'' એમ લખ્યું છે. એટલે જ સમકિતીના બંધ શિથિલ પડે છે. જ્યારે અપુનબંધકને પાપની રુચિ મંદ છે, મંદતર થઇ રહી છે. શુભમાં રુચિ ગુણ છે, તેમ અશુભમાં અરુચિ પણ ગુણ છે. ધર્મ કરવા છતાં વિશુદ્ધ પરિણામ કેમ નથી ? મૂળમાં જ ગોટાળા છે. સંસારનો આશય તો નથી ને? આલોકના આશયથી કરાતી ક્રિયા તે વિષક્રિયા કે વિષઅનુષ્ઠાનSpot poision (તત્કાળ અસર દેખાડે તેવું ઝેર) છે, પરલોકના આશયથી કરાતી ક્રિયા તે ગરલક્રિયા Slow poision(ધીરે ધીરે અસર દેખાડે તેવું ઝેર) છે, જ્યારે સંમૂર્ચ્છિમપણે કરાતી ક્રિયાને અનનુષ્ઠાન કે સંમૂર્છિમક્રિયા કહી છે. મોક્ષના આશયથી કરાતી ક્રિયા તે તદ્ભુતુક્રિયા અને અમૃતક્રિયા તે તાત્કાલિક ફળને આપનારી, શીઘ્ર મોક્ષફળ આપનારી અને અમૃતની જેમ અજરામરપણાને આપનારી ક્રિયા છે. (૧) પ્રશમનું સુખ ઃ અનંતાનુબંધી કષાયના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી જન્ય ચિત્તની સુખાસિકા રૂપ સુખ. (૨) તન્હેતુક્રિયા : તદ્ભુતુ યાને કે તેનું કારણ અર્થાત્ જે ક્રિયા અમૃત અનુષ્ઠાનનું કારણ બને તેવી ક્રિયા તે તદ્વૈતુક્રિયા. (૩) અમૃત અનુષ્ઠાન : શ્રદ્ધાતિશયથી ભગવચન આગળ કરીને કરાતું - ચિત્તશુદ્ધિથી પ્રવૃત્ત - સંવેગગર્ભવાળું ભાવધર્મથી યુક્ત જે અનુષ્ઠાન છે તે અમૃત અનુષ્ઠાન છે જે અમૃતની જેમ અમરપણું (મોક્ષ) અપાવે. તેના લક્ષણ · જેમાં શાસ્ત્રાર્થ આલોચન હોય, પ્રણિધાનપૂર્વકની ક્રિયા હોય તથા કાલાદિ અંગમાં અવિપર્યાસ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy