SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ આશ્રવ અને અનુબંધ હોય, કે મારે પાપરુચિતોડવાની છે. તમારી શું હાલત છે? તમે આટલા વખતથી ધર્મ કરો છો પણ સામે પાપરુચિ તોડો છો? કે પોષો છો? પાપવૃત્તિ ઓછી થશે તેમ અનુબંધમાં ફેરફાર થશે. બંધ-અનુબંધની Guideline (માર્ગરેખા) આપણા ધર્મમાં Solid(નક્કર) આપી છે, માટે સમજો જે Standard(ધોરણ) છે તે પ્રમાણે કરવું જોઇએ. નિશ્ચયનયથી ચારિત્ર તે ધર્મ છે. ચારિત્રનો તીવ્ર અભિલાષ થાય ત્યાં ગુણદોષનો યથાર્થ વિવેક પ્રગટે, અને તેથી અનુબંધ શુભ પડે અને પાપ પ્રત્યે અરુચિથી પાપબંધ શિથિલ પડે. તત્ત્વચિથી સામે અનુબંધ શુભ પડશે. અઢાર પાપસ્થાનકોથી વિરતિનો પરિણામ તે ચારિત્ર છે, અને અઢારપાપસ્થાનકોમાં પીડાના અધ્યવસાયરૂપ તે સમકિત એમ લખ્યું. અધ્યવસાયને કર્મના હુમલા સામે ટકાવવો પડે. માટે ધર્મી બનવું મુશ્કેલ છે, બન્યા પછી ધર્મી બની રહેવું તે વધારે મુશ્કેલ છે. ભૌતિક ક્ષેત્રે વાવાઝોડાં આવે તેમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ વાવાઝોડાં આવે. તેમાં તમારે તો એક વાવાઝોડું આવે એટલે પત્યું. માટે ટકી રહેવા ખૂબ સાવધાની જોઇએ. ધર્મ કરતાં પાપરુચિ તૂટવી જોઈએ અને ધર્મની રુચિ ખીલવી જોઈએ. પાપની રુચિ તૂટે નહીં તો સામે ધર્મની રુચિ ખીલે નહીં. એક બાજુ અઢાર પાપસ્થાનક છે, તો બીજી બાજુ વિરતિચારિત્ર છે. જેટલા અંશે પાપની રુચિ તૂટે તેટલા અંશે ધર્મની રુચિ ખીલે. તમે આટલાં વર્ષોથી ધર્મ કરો છો. તમને શું થાય છે? તમે ધર્મ ઊંધી રીતે કરો છો માટે પાપની રુચિ તૂટતી નથી. સભા- પાપમાં રુચિ તોડવા જેવી છે તેવું લાગે છે. સાહેબજી:- માટે પાપની રુચિ ખરાબ લાગે છે ત્યાં સુધી તમે આગળ વધ્યા, પણ પછી અટકી જાઓ તે ન ચાલે. આગળ વધવું પડે. વિકાસ શું? stagnant(સ્થિર-ગતિશૂન્ય) નથી થવાનું. ખરાબ લાગે એટલે તેનો હ્રાસ થવો જોઇએ. ખાલી દ્રવ્યક્રિયાથી અનુબંધમાં ફેરફાર નથી થતો, અનુબંધમાં ફેરફાર તો ભાવથી થાય. સભા- સાહેબ ! અમે તો જે કરે તેને હાથ જોડી કહીએ સારું કરે છે. સાહેબજી:- હા, પણ તમારે કાંઈ કરવાનું કે નહીં? અપુનબંધક અવસ્થાને Standard (પ્રાથમિક ધોરણ) તરીકે મૂકી છે. આ અવસ્થાવાળાને પાપની રુચિ ઓછી થાય અને ધર્મની રુચિ વધતી જાય. અપુનબંધકદશાવાળો જીવ એકલો બેઠો બેઠો પણ એવા વિચારો કરશે કે જે તેને સમકિત તરફ લઈ જાય. ધર્મશ્રવણ કરવા માટે તે યોગ્ય જીવ છે. હજી દ્રવ્ય-ભાવ એમ બધું સમજી શક્યો નથી પણ તેનામાં યોગ્યતા છે. માટે જિનવચનથી તે આગળ વધી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy