SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫. આશ્રવ અને અનુબંધ સ્વીકાર તો કરો. પહેલાં તેમાં તમારી હેયબુદ્ધિ તો આવવી જોઇએ ને? છોડવાની વાત તો પછી. પણ પેલું મિથ્યાત્વશલ્ય તમને હૃદયથી-ભાવથી પાપને પાપ તરીકે સ્વીકારવા દેતું જ નથી. બહુ બહુ તો દ્રવ્યથી તમે પાપ-પાપ એમ બોલ્યા કરતા હો, પણ અંદરથી કાંઈ ખાસ લાગ્યું હોતું નથી. આ મિથ્યાત્વશલ્ય તમને સાચું ભાન જ થવા દેતું નથી. અઢારમું મિથ્યાત્વશલ્ય જાય તો સત્તર પાપસ્થાનક આત્મા પર દીર્ઘકાળ રહેતાં નથી. ચારિત્રમોહનીય ગમે તેટલું બળવાન હોય તો પણ સમકિતીની બાબતમાં તેને ૬૬ સાગરોપમમાં સમાપ્ત થવું જ પડે. સભાઃ- આ કોને લાગુ પડે? ક્ષાયિક સમકિતીને ? સાહેબજી:- જો ક્ષયોપશમ સમકિત ટકી રહે ને વમન ન થાય તો તેથી ચારિત્રમોહનીયની નિર્જરા થતી રહે. આમ, ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ સમકિત ટકાવે તો ભાવથી ચારિત્ર પામી શકે, યાને કે ચોથા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાનકની બઢતી મળે. જિનવચન શ્રવણથી તમે પાપસ્થાનકોને પાપસ્થાનક તરીકે સ્વીકારી લીધાં હોય, તો તે દ્રવ્યથી સ્વીકાર્યા છે તેમ ગણાય, ભાવથી નહીં. પરંતુ જ્યારે તમને અઢારે અઢાર પાપસ્થાનકોમાં પીડાનો અનુભવ થાય, ત્યારે તે ભાવથી સ્વીકાર્યા છે તેમ સમજાય. તમારી શું હાલત છે? તમને તો પાપસ્થાનકોમાં મજા આવે છે ને ? સમકિતી પણ સંસારનાં ભોગસુખો ભોગવતો હોય તેવું બની શકે, પરંતુ તે સુખમાં તેને મજા ન આવે. તે સમજીને બેઠો હોય કે આત્માનો વિભાવમાત્ર અધર્મ-દુઃખ છે અને આત્માનો મૂળ સ્વભાવ તે જ ધર્મ-સુખ છે, તેમ જ તેને સાચા સુખનું ભાન હોય. આના કારણે તે જે કોઈ પાપ સેવશે તે કર્મના કારણે જ હશે. તેથી તે કર્મ તેનું ત્યાં જ ખતમ થઈ જવાનું. તે કર્મ તેને ફરી ફરી પાપ નહીં કરાવી શકે. તેને પાપની સાંકળ નહીં ચાલે. જ્યારે બીજા જીવોને જે પાપનું સેવન કરવાનું આવ્યું હોય, તે પાપ તેમને વારંવાર ઉત્કૃષ્ટથી અનંતીવાર સેવવાનું આવી શકે. કેમ કે તે પાપકર્મ ઉદયમાં આવશે ત્યારે, તેમને બુદ્ધિ જ એવી આવશે કે જેથી તેઓ એકમાંથી બીજું પાપ કરવા પ્રેરાશે અને બીજામાંથી ત્રીજુ... આમ ચક્કર ચાલ્યા જ કરે. સભા - નિશ્ચયનયથી સમકિત કયું? સાહેબજી:- નિશ્ચયનયમાં પણ જ્ઞાનનય અને ક્રિયાનયથી સમકિત માન્યું છે. જ્ઞાનનયથી નિશ્ચયનયનું સમકિત બે પ્રકારે છે. (૧) અનંતાનુબંધી ચાર કષાયો અને સમ્યક્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની ક્ષપણા કરીને જે સમકિત પામ્યા છે તે ક્ષાયિકસમતિ અને (૨) જે સ્વ અને પરસમયનો વેત્તા છે અને તેના દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy