SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ જિનને બરાબર ઓળખ્યા છે તે. સ્વ-પર સમયનો વેત્તા એટલે જેણે પોતાનાં શાસ્ત્રોનો(જૈનશાસ્ત્રોનો) અભ્યાસ કર્યો છે, સાથે ષડ્રદર્શન આદિ અન્ય શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો છે, અને આમ બંનેનો Comparative Analysis-study(તુલનાત્મક પૃથક્કરણ કે અભ્યાસો કર્યા પછી સ્વમાં સ્થિર થયા છે તે. ક્રિયાનયથી નિશ્ચયનયના સમકિતમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેનો અભેદ છે. તેઓ અચારિત્રથી-ઔદયિકભાવોથી વિરામ પામી સ્વસ્વભાવમાં રમણતા કરવાવાળા છે. અપુનબંધકદશાથી પુણ્યાનુબંધી પુણ્ય ચાલુ થશે. તે જીવને જે માત્રામાં વિવેક પ્રગટ્યો હશે, ધર્મ-અધર્મ અને તત્ત્વની પરખ થઈ હશે, તેQuality(ગુણવત્તા-યોગ્યતા)નો અનુબંધ થશે. જેટલે અંશે વિવેક હશે તેટલું ફળ મળશે, જેટલો અવિવેક હશે તેટલો પાપનો અનુબંધ પડશે, પણ તે શિથિલ હશે; કારણ કે અવિવેકનો પક્ષપાત નહીં હોય. જ્યારે બીજા જીવો ઊંધું કરશે. પાપના હિમાયતી હોય તેને પાપનો અનુબંધ મોટો અને જોરદાર થશે. પાપની હેયબુદ્ધિ હોય તો અનુબંધ શિથિલ થાય. આ કહું છું તે બધું સમજ પડે છે ને? આ Internal Process(આંતરિક પ્રક્રિયા) છે. માટે જે રીતે હોય તે રીતે જ થાય. તીર્થકરને પણ આ જ Process(પ્રક્રિયા)માંથી પસાર થવું પડે છે. મારે અને તમારે પણ મોક્ષે જવું હશે તો આ જ માર્ગ પરથી જવું પડશે. દ્રવ્યસમતિ લેશ્યાશુદ્ધિનું કારણ બને છે, કારણ કે દ્રવ્યથી પણ સદુહણા કરશે એટલે કષાયોની મંદતા જ આવવાની. તેને અશુભની કટુતા થવાનો અવકાશ નહીં રહે. વ્યવહારનયથી દ્રવ્યસમકિત અને દ્રવ્યચારિત્ર આપવાનું વિધાન છે. સામાન્યતઃ વારંવાર દ્રવ્યથી સેવે પછી જ તે તેને ભાવનું કારણ બને છે. માટે વ્યવહારનયની પણ મહત્તા છે. જે વ્યવહારને ઉડાવે છે, તે તીર્થનો ઉચ્છેદ કરે છે; તે જીવ મિથ્યાત્વમોહનીય બાંધે છે. આમ દ્રવ્યસમકિત પાળતાં પાળતાં Up-down(ચઢ-ઉતર) થતાં થતાં તે જ ભાવસમકિતનું કારણ બનશે. અત્યારે તો અમારે તમે જે ઊંધી દિશામાં મોં કરીને બેઠા છો, તે પહેલાં સન્મુખ કરવાના છે. જીવો મોટે ભાગે અઢારે પાપસ્થાનકોની અભિમુખ અને તેમાં લીન છે, તેમાંય પુણ્યની અનુકૂળતા પ્રમાણે કષાયોને પોષતા હોય છે, તેમાંથી તેમને વિમુખ કરવાના છે. તમારે ત્યાં સુખી માણસોને મોટે ભાગે ધર્મ કેમ ન ગમે? તેમને સાચી વાત ગળે ઊતરે જ નહીં, કારણ ભૂતકાળમાં ધર્મ કરતાં પાપની રુચિ તોડી નથી. માટે જેવી ભોગની સામગ્રી મળી જાય એટલે પાપમાં લીન થઈ જાય. તમે ધર્મ શેના માટે કરો છો? મોટે ભાગે સલામતી માટે, પાપ આચરવામાં અનુકૂળતા મેળવવા માટે ધર્મ કરીને પાપરુચિતોડવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy