SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ આશ્રવ અને અનુબંધ બંધ ચાર પ્રકારે થાય છે. પહેલાં તો આશ્રવ કરવો જ નહિ. પણ જો આશ્રવ કરવાનો જ હોય તો શુભાશ્રવ જ કરવો અને અશુભમાં તો જવું જ નહીં. આવો નિર્ણય થાય તેણે તેના માટે બંધ કેવી રીતે થાય છે તે જાણવું પડે, માટે આપણે સ્થિતિબંધ અને રસબંધની વાતો કરીએ છીએ. જેમ જેમ નિર્વિકારી થતા જશો તેમ તેમ વેશ્યા શુદ્ધ થશે અને તેમ તેમ શુભમાં રસબંધ અધિક અને સ્થિતિબંધ અલ્પ થશે. છએ લશ્યાને બરાબર ઓળખો. સતત જો કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યામાં રાચતા હો અને જો તે તીવ્ર કક્ષાની હોય તો જીવ નરકગતિ બાંધે અને જો મંદ હોય તો તિર્યંચગતિ બાંધે. છઠ્ઠા ગુણસ્થાનક સુધી છએ વેશ્યાઓ સંભવે. માટે સાધના કરવાવાળા જીવો જો વેશ્યાને બરાબર ઓળખશે તો તે આગળ વધી શકશે. તેનું Target(લક્ષ્ય) શુક્લલેશ્યા તરફ હોય. સતત તેણે શુભલેશ્યામાં રહેવું પડે, ક્યારેક શુભ આવી જાય તે ન ચાલે. Permanent(કાયમી ધોરણે) શુભલેશ્યા માંગી છે. સાધક એ છે કે જેને શુભલેશ્યા સહજ બની ગઇ હોય. સ્તર જ એવું બની ગયું હોય કે આ જ પ્રકારની તેની લેગ્યા હોય. સભા - મુનિને કૃષ્ણલેશ્યા આવી શકે ? સાહેબજી:-અપ્રમત્તમુનિને ન આવે. પ્રમત્તમુનિને પ્રસંગે કૃષ્ણલેશ્યાસ્પ, તે કદાચિત સંભવ છે; Generally (સામાન્ય રીતે) નહીં. સભા- અપ્રમત્તમુનિને અશુભલેશ્યા આવી શકે ? સાહેબજી:- ના, સાતમા ગુણસ્થાનકે શુભ લેશ્યા હોય, અને સાતમાથી ઉપરના ગુણસ્થાનકે નિયમાં શુક્લલેશ્યા જ હોય, જયારે પ્રમત્તમુનિને છએ છ લેશ્યા શક્ય છે. ગુણસ્થાનક પ્રમાણે એની એ જ વેશ્યાની તરતમતા અલગ અલગ હોય છે. સંસારમાં સંભાળી સંભાળીને ચાલવું. સંસારના વિષયો-પાપો માથું બગાડનારા છે. સંસારનાં પાપસ્થાનકો અને વિષય-કષાયોથી સાવચેત થઈ લબ્ધિમાન અને ઉપયોગમનની શુદ્ધિ જાળવતાં જાળવતાં જ જીવવાનું, નહીંતર વિષય-કષાયના ઉદ્રક થયા કરે. પણ તમને તો નિમિત્ત મળવું જોઈએ, તમે રાગ-દ્વેષ ન કરો તેવું બને ખરું? સભા- નિમિત્તોથી દૂર રહીએ તો લબ્ધિમનની શુદ્ધિનું કારણ બને ? સાહેબજી:- હા, કારણ-નિમિત્તા તીવ્ર રાગાદિ કરાવે છે. નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે ત્યાં સુધી વિષયોથી દૂર રહેવું જોઇએ. જયારે તમે તો વિષયોને સામે ચાલીને મળવા જાઓ છો, બાથ ભીડો છો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy