SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ FO આશ્રવ અને અનુબંધ આવે એટલે કષાયોનો અને તેના કારણે નોકષાયોનો ઉદ્રેક મંદ થશે. જેમ જેમ કપાયો મંદ થશે તેમ તેમ લેશ્યા સારી થશે. આમ કરવા જીવ કેટલું ગોઠવી ગોઠવીને કરતો હોય ! તે જો શાસ્ત્રો ભણ્યો હોય તો વિચાર કરે કે હું ક્યાં છું ? વિષય-કષાયોની મને શું અસર છે ? કેવાં નિમિત્તો મને ક્યાં હેરાન કરે છે ? આ બધાથી મારે કઇ રીતે દૂર રહેવું ? તેમ તે બધું જ વિચારી વિચારીને કરતો હોય. પછી તેને થાય કે હવે મારી લેશ્યા Maintain થાય (જળવાય) છે, માટે મારી સદ્ગતિ નક્કી છે. હા, તે પોતાની જાત માટે Over assessment (વધુ પડતું મૂલ્યાંકન) કરે તો તેની ભૂલ છે. તેમ Under assessment(ઓછું પડતું મૂલ્યાંકન) કરે તો પણ તેની ભૂલ એમ તે જાણે. લેશ્યા જેની Maintain થાય તે નિયમા મરીને સદ્ગતિમાં જાય. સભાઃ- વિષય-કષાયની અસર કેટલી થાય છે તે ખબર પડે ? સાહેબજી:- હા, ખબર પડે. કષાયોનો ઉદય છે તેને કારણે જ આ બધી હજામત છે. મુનિઓને શરીરમાં કોઇ રસ હોતો જ નથી. તેઓ સંયમના સાધન તરીકે તેને જુએ, તેથી વિશેષ કાંઇ નહીં. તેમાં તેઓને મમત્વ ન હોય. હા, ક્યારેક ઉદય(કષાયોનો) થઇ જાય તો વિચારીને ઘડી બે ઘડીમાં તેને ઠેકાણે પાડી દે. તમને જે કર્મ પીડે તે મુનિને ન પીડી શકે. તેમની Spiritual Capacity(અધ્યાત્મિક તાકાત) ઊંચી હોય છે. મુનિને સામાન્ય કર્મ પ્રદેશોદય થઇને ખરી પડે, તે વિપાક ન બતાવી શકે. ઘણાં કર્મો તો ઉદયમાં જ ન આવી શકે. મોહનીયકર્મ હોય પણ તે તેમને કાંઇ ન કરી શકે, જ્યારે તમને તે કર્મ હેરાન કરીને તમારી લેશ્યાને બગાડે. તેઓનું આત્મબળ વધારે હોય છે. છટ્ટે ગુણસ્થાનકે અપ્રમત્ત અને પ્રમત્ત એમ બે વિભાગ પડે. તેમાં અપ્રમત્તમુનિ પ્રાયઃ કરીને શુક્લલેશ્યામાં હોય કે જેનો ઇજારો સાતમા અને ઉપરના ગુણસ્થાનકે છે. તમારા મનમાં વાસનારૂપે કેટલું બધું ભરેલું હોય છે ? લબ્ધિમનમાં કચરો ઠાંસી ઠાંસીને ભરેલો છે. જ્યારે અપ્રમત્તમુનિઓને આ કચરો સાફ થઇ ગયો છે. માટે તેમનું મન તંદુરસ્ત છે. લેશ્યાની શુદ્ધિથી ધારણા અને પછી ધ્યાન આવે છે. આ જ ક્રમ છે. માટે બરાબર સમજો. સભા:– લેશ્યાનો સ્વાદ કેવો ? સાહેબજી:-સૂક્ષ્મ પરિણામવાળી લેશ્યાને ગ્રહણ કરવા બાદર પરિણામવાળી ઇંદ્રિયોની યોગ્યતા નથી. તેનો સ્વાદ કેવો હોય તે ઇંદ્રિયોથી ન અનુભવી શકાય, પણ એટલા માત્રથી તેની હયાતી કે અભાવ નક્કી થતા નથી. તે સિવાય પણ બીજાં અનેક કારણો છે, જે તેની હયાતી પૂરવાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy