SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ આશ્રવ અને અનુબંધ કાલિકાચાર્યને તેમની સાધનામાંથી નીચે ઊતરવું પડ્યું. તેમ ગચ્છાધિપતિ પણ અનુશાસન આપવાની જવાબદારી ચૂકે તો તેઓ પ્રાયશ્ચિત્તના ભાગીદાર છે. કારણ વ્યક્તિ કરતાં સમુદાય મહાન છે. પેલામાં રાષ્ટ્ર મહાન છે તેમ અહીંયાં સમુદાય મહાન છે. માટે અપ્રમત્તમુનિને ધ્યાનમાંથી બહાર નીકળીને શાસનના ઉદ્ધાર માટે આવવું પડે, વિષ્ણકુમાર મુનિની જેમ. તેઓને, ત્યાં સાધના ગૌણ કરી પરોપકાર પ્રધાન બને છે. મફતમાં કાંઈ સ્થાન આપ્યું નથી. પણ Physics (પદાર્થવિજ્ઞાન)નો નિયમ તો બધે જ સરખો લાગુ પડે. તીવ્ર આવેગ પૂર્વકના પ્રશસ્ત કપાયના પરિણામે તેમને પણ ત્યાં પુણ્યમાં સ્થિતિબંધ અધિક અને રસબંધ અલ્પ જ થશે. પરંતુ તે તેઓને એકંદર લાભનું કારણ છે. પ્રસ્તુત પ્રવૃત્તિથી બંધાતા પુણ્ય ઉપરાંત તેઓને બીજી અનેક પુણ્યપ્રકૃતિઓ બંધાય છે. પ્રસ્તુત કામમાં પણ તેઓ પોતાના કર્તવ્યનું પાલન કરે છે, જે પાછું અન્યથી સંભવિત નહોતું અને પરંપરાએ મહાન લાભનું કારણ છે. આમ તે બધાનું એકંદર તારણ કાઢવામાં આવે તો, તેમણે નીચે ન ઊતરી, ઉપરની ભૂમિકામાં રહી, સાધના કરી, અધિક રસબંધ બાંધી, આત્મિક લાભ મેળવ્યો હોત; તેના કરતાં પણ આ નીચેની ભૂમિકામાં આવી આ જે કાર્યો કર્યા તેનાથી વધારે આત્મિકલાભ તેઓ અંતે મેળવે. સારાંશ એ છે કે જેમ કષાયો તીવ્ર તેમ લશ્યાની અશુદ્ધિ વધારે અને જેમ કષાયની મંદતા તેમ લશ્યાની શુદ્ધિ વધારે. માટે પુણ્યપ્રકૃતિમાં પણ જેણે તીવ્ર રસવાળો પુણ્યબંધ કરવો હોય તેણે પોતાની વેશ્યા શુદ્ધ કરવાની આવે. સભા - લેશ્યા શુદ્ધ કરવા શું કરવું? સાહેબજી:- વિયોના સેવનથી નોકષાય અને કપાયનો ઉદ્રક થાય છે અને તેની લેશ્યા પર અસર પડે છે. વિષયોથી વિમુખ થતા જવું પડે, કષાયોની અલ્પતા આણવી પડે, તેની Intensity(તીવ્રતા કે પ્રચંડતા) માપતા રહેવું પડે. Resultપરિણામ) જોઇતું હોય તો Reason(કારણ) સેવવું પડે. તે સિવાય ફળ મેળવી શકાતું નથી. શાસ્ત્રો કહે છે You must assert yourself. (તમારે તમારી જાત પાસેથી નિશ્ચયાત્મક રીતે હક્ક અને આગ્રહપૂર્વક કામ લેતા રહેવું જોઇએ.) તે વખતે વેશ્યાને Command(ની ઉપર કાબૂ રાખવો કે વર્ચસ્વ ધરાવવું તે) કરવી પડે. શક્ય તેટલા વિષયોથી વિમુખ બનો. સભા- વેશ્યાની શુદ્ધિ તે કષાયોની Intensity (તીવ્રતા કે પ્રચંડતા) ઉપર આધાર રાખે કે Duration (અવધિ કે કાળ) ઉપર ? સાહેબજી:-Intensity પર આધાર રાખશે, તે મંદ પ્રકારની છે કે તીવ્ર પ્રકારની છે? Duration (અવધિ) તો ગૌણ છે, Intensity(તીવ્રતા) કેવી છે તે જોવાશે. લેણ્યા શુદ્ધ કરવી તે બચ્ચાના ખેલ નથી. વેશ્યા શુદ્ધ કરવા વિષયો ઉપર કેટલો કાબૂ જોઇએ? તે કાબૂ A.5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy