SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આશ્રવ અને અનુબંધ લેશ્યા બે પ્રકારની : (૧) દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા. તેમાં અહીંયાં આપણે ભાવલેશ્યા લઇએ છીએ. કષાય બેઉ લઇએ છીએ, પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયપુણ્યબંધ વખતે પણ પ્રશસ્ત કપાયનો આવેગ વધારે હોય તેમ લશ્યાની શુદ્ધિ ઓછી. કારણ પ્રશસ્ત કષાય પણ આખરે તો કષાય જ છે. તે વખતે રસબંધ અલ્પ થશે. પ્રશસ્ત કષાયમાં આવેગ મંદ હોય તો લશ્યાની શુદ્ધિ વધારે. દ્રવ્યલેશ્યા અશુભ હોય તો પણ જાગ્રત આત્મા પોતાની ભાવલેણ્યા શુભ કરે. સાતમે ગુણસ્થાનકે પ્રાયઃ શુક્લલેશ્યા જ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકે છએ વેશ્યા હોય છે. અપ્રમત્ત મુનિને આના સિવાય બીજી શુભ લેશ્યા આવે, પણ પ્રાયઃ કરીને તો તે શુક્લલેશ્યામાં જ હોય. સભા- તેમને (અપ્રમત્ત મુનિને) કષાયનો ભાવ અત્યંત મંદ હોય? સાહેબજી:-પ્રાયઃ કરીને તેમને વિષયોની ઇચ્છા થતી નથી, માટે કષાય-નોકષાયનો ઉદ્રક થતો નથી. ક્યારેક કર્મબળવાન હોવાના કે અનુપયોગના કારણે કષાય થાય, તો તે વખતે જરાક પ્રયત્ન કરેથી તેમનું મન શાંત થઈ જાય. સભા- પૂ. શ્રી. કાલિકાચાર્યે પ્રશસ્ત કપાય કર્યો તે બરાબર ? તે વખતે તેમને રસબંધ અલ્પ? સાહેબજી:-હા, શાસનના ઉદ્ધારનો પ્રશ્ન આવે કે શાસનનું માલિન્ય થતું હોય ત્યારે, અપ્રમત્તમુનિએ પણ ગુફામાંથી બહાર નીકળીને તેને અટકાવવું પડે. તેવે વખતે પ્રશસ્ત માયા પણ કરવી પડે. માટે માયાપ્રત્યયિકક્રિયા(દેખાવ માટે કરાતી ચેષ્ટા) માની. એ વખતે રક્ષણ કરવા પ્રશસ્તકપાય તીવ્ર આવેગવાળા કરે ત્યારે રસબંધ અલ્પ જ થાય. કારણ Physics Change (પદાર્થવિજ્ઞાનમાં ફેરફાર) થતું નથી. લખ્યું છે કે દસ પૂર્વધર થાય પછી તેમને જંગલ છોડીને શહેરમાં વસવું પડે, કારણ તેમની દેશના અમોઘ (નિષ્ફળ ન જાય તેવી) હોય છે. યોગ્ય ઉપાદાન હોય તેને તે જાગ્રત કરી આપે. માટે ત્યારે તેમને સાધના ગૌણ અને પરોપકાર પ્રધાન. તેથી શાસ્ત્રમાં લખ્યું છે કે શાસનને નુકસાન થતું હોય ત્યારે અપ્રમત્તમુનિ માટે કષાય અવશ્ય કર્તવ્ય છે. ત્યારે વ્યક્તિ ગૌણ ને શાસન પ્રધાન ગણાશે. કેમ કે પૂર્વ પૂર્વના ભોગે ઉત્તર ઉત્તરની રક્ષા કરી શકાય, જેમ વ્યક્તિ કરતાં રાષ્ટ્ર મહાન છે. તેમાં અનુક્રમે વ્યક્તિ કરતાં કુટુંબ મહાન છે, કુટુંબ કરતાં પરિવાર મહાન છે, પરિવાર કરતાં જ્ઞાતિ મહાન છે અને જ્ઞાતિ કરતાં દેશ-રાષ્ટ્ર મહાન છે. એક બાજુ શાસનનો ઉદ્ધાર કરવાનો છે, માટે પ્રશસ્ત કષાય કરવાના છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy