SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ પ૭ પુણ્યબંધમાં કષાયોની મંદતા કારણ છે. કષાયોની પરિણતિ ઓછી હોય તો વિશુદ્ધિ વધારે થાય. આ રીતે મંદ કષાયીને પુણ્યબંધ તીવ્ર રસવાળો બને છે. ત્યારે પ્રશ્ન થાય છે કે પુણ્યમાં આવો નિયમ છે તો પાપમાં નિયમ કેમ જુદો છે? કર્મપ્રકૃતિમાં આની ચર્ચા છે. આપણે સામાન્યથી કહીએ તો કષાય એ સ્થિતિબંધ અને રસબંધનું કારણ છે. પણ આ વચન સ્કૂલ છે. સૂક્ષ્મ રીતે જોઇએ તો જે પુણ્યબંધ અને પાપબંધ થાય છે, તેમાં રસબંધનો આધાર લેશ્યા છે. કષાયના ઉદય વખતે અંર્તગત લેશ્યા પ્રમાણે રસબંધ થાય છે. જેમ કષાયની મંદતા તેમ વેશ્યાની શુદ્ધિ થાય. જે જીવો શુક્લલશ્યામાં હોય તેમની સ્થિતિ તો કેવી કે તેમને 'વિષયો, નોકષાય અને કષાયનો ઉદ્રેક કરી શકતા નથી. કદાચ ઉદ્રક થઈ જાય તો તે વિચાર સામે પાંચ-દશ સારા વિચાર કરે, જેથી તરત જ નિવર્તન પામે. તેમના કષાય-નોકષાય એટલા શાંત હોય કે, તેમનો વિષયોની સાથે સંબંધ થવા છતાં, કષાય કે નોકષાયનો ઉદ્રક થતો નથી. માટે જ શાસ્ત્રકારોએ તેમને શુક્લલેશ્યા કહી છે. કષાયની તીવ્રતા કૃષ્ણલેશ્યામાં હોય છે. તેની મંદતા થતી જાય તેમ વેશ્યા શુદ્ધ થતી જાય અને વેશ્યા શુદ્ધ થતી જાય તેમ પુણ્યનો સ્થિતિબંધ અલ્પ અને રસબંધ અધિક અધિક થતો જાય. કેમ કે રસબંધનો આધાર લેશ્યા છે અને સ્થિતિબંધનો આધાર કષાય છે. પાપમાં કષાય તીવ્ર તો પરિણામે વેશ્યા બગડશે, જેથી સ્થિતિબંધ અધિક અને રસબંધ પણ અધિક થશે. પાપમાં પણ જો કષાય મંદ હશે તો વેશ્યાની અશુદ્ધિ ઓછી હશે, જેથી સ્થિતિબંધ અલ્પ અને રસબંધ પણ અલ્પ જ થાય. પણ પાપમાં કષાયોની આ મંદતા પ્રમાણિકતાપૂર્વકની હોવી જોઇએ, ભારેલા અગ્નિ જેવી નહીં. જેણે કષાયોને અંદર દબાવીને રાખ્યા હોય અને માયા કરીને વ્યક્ત ન થવા દીધા હોય તેવાને પાછો આ નિયમ લાગુ ન પડે. સભા - લેશ્યાની શુદ્ધિનો આધાર કષાય છે? સાહેબજી:- હા, કષાય તીવ્ર હોય તેમ લેશ્યા અશુદ્ધ થશે. કષાય-નોકષાય મંદ થશે તેમ વેશ્યા શુદ્ધ થશે. સાતમા ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનક સુધી શુક્લલેશ્યા જ છે. શુક્લલશ્યાને કારણે પુણ્યનો રસબંધ ક્રમસર અધિકને અધિક થતો જાય છે. અશુભ-અપ્રશસ્ત ક્રોધના તીવ્ર ઉદયના કારણે અશુભ લેશ્યા હોય ત્યાં જીવ સ્થિતિબંધ અધિક બાંધે છે. કષાયોના ટેકા વગર નોકષાયમાં ખાસ કર્મબંધ કરાવવાની તાકાત નથી. કષાયો મંદ થશે તેમ વેશ્યાની શુદ્ધિ થશે. જેમ વેશ્યા શુદ્ધ થશે તેમ પુણ્યનો સ્થિતિબંધ અલ્પ અને રસબંધ અધિક થશે. કષાયના ઉદય વખતે અંર્તગત લેશ્યા કેવી છે તે પ્રમાણે રસબંધ થશે. (૧) વિષયો, નોક્લાય અને ક્યાય : જુઓ પરિશિષ્ટ- ૫. (૨) ઉદ્રક શાન્ત હોય, ઉદયમાં ન હોય તેવા કર્મો-કપાયોને નિમિત્ત પામીને ઉદયમાં લાવવાં તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy