SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આશ્રવ અને અનુબંધ વગરનો દાતાર હોય તો પણ તે ન ચાલે. નિર્વેદ અને સંવેગ એ બે ગુણો વિનાના બધા ગુણો ભેગા કરો તોય મોક્ષ નહીં થાય. જે ધર્મક્રિયા મોક્ષરૂપી ફળને નથી આપતી તે ધર્મક્રિયાતત્ત્વથી નિષ્ફળ છે. તેનાથી મળતો અભ્યદય તો વ્યવહારના માને છે, નિશ્ચયનય નથી માનતો. આપણા ધર્મ Airtight(હવા પણ ન જઈ શકે તેટલો ચુસ્ત) છે. મોક્ષની ખાલી કલ્પના નથી, તે નક્કર તત્ત્વ છે અને ત્યાં જવા માટે આ જ માર્ગ છે, આ જ નિસરણી છે. ખાલી કોઇએ નવરા બેઠા કલ્પનાના ઘોડા નથી દોડાવ્યા. સભા - અનુબંધમાં વિવેક કારણ બને છે, તેમ લેગ્યામાં કારણ જોઇએ? સાહેબજી:-દર્શનમોહનીયને શિથિલ કરો તો ઠેકાણું પડે. તેમાં દર્શનમોહનીય પ્રધાન કારણ છે. એક વખત લેશ્વા શુભ કરી લો તેટલા માત્રથી ઠેકાણું ન પડે. મેળવો પછી તેને ટકાવવું પડે. વેશ્યા પણ શુભાનુબંધી જોઈએ. આ બધી વાતો બેસે છે? ભણવાનું મન થાય છે ખરું? જ્ઞાનની ઉપાસનાનું ઉત્કૃષ્ટ ફળ તીર્થંકર નામકર્મ છે. ધર્મમાં મુખ્ય અવિધિ ન જોઇએ, નાની અવિધિ થઇ જાય તો તેમાં ખેદ થવો જોઇએ અને સાચાનો પક્ષપાત જોઇએ, કે જેથી સાચાનો અનુબંધ પડે. તેથી વર્તમાનમાં થતી ક્ષતિ ભવિષ્યમાં નહિ આવે. સત્તામાં (સુષુપ્તાવસ્થામાં) પડેલાં કર્મને શિથિલ કરવાનાં છે. તેના રસ-સ્થિતિબંધમાં ફેરફાર થઈ શકે છે. પણ તે માટે દ્રવ્ય અને ભાવથી જે બતાવીએ છીએ તે બધું કરવું પડશે. હા, પણ તમારે તો કરવાનો સવાલ નથી, કારણ તમારે તો મોક્ષે જવું નથી ને? નિર્વેદ-સંવેગવાળો જીવ તો પૂછશે કે, મારું પરિભ્રમણ ક્યારે ઘટશે? મોક્ષની ઇચ્છા થાય તે ભવ્ય જીવ છે, પણ તે ઇચ્છા સંવેગપૂર્વકની, નિર્વેદપૂર્વકની હોવી જોઈએ. નવ તત્ત્વમાં આશ્રવ તત્ત્વ મોટું છે. વ્યવહારનય પાપના આશ્રવને હેય કહેશે, જયારે નિશ્ચયનય તો સાથે પુણ્યને પણ હેય કહેશે; સંવર-નિર્જરા જ ઉપાદેયમાં જશે. વ્યવહારનય પુણ્યાનુબંધી પુણ્યને ઉપાદેય માને છે, કારણ કે તે મોક્ષનું કારણ છે, જેમ દૂધ તે ઘીનું કારણ છે; જ્યારે નિશ્ચયનય તો માખણને જ ઘીનું કારણ માનશે, કારણ કે Instant(તત્કાળ) ફળ આપે તેને નિશ્ચયનય કારણ માને; જ્યારે વ્યવહારનય પરંપરાએ ફળ આપનાર કારણને પણ કારણ માને છે. તમને આ બધી વાતો મગજમાં બેસે છે ખરી ? સંસારનાં તમામ ભૌતિક સુખો તે ગૌણ દુ:ખસ્વરૂપ છે, કારણ કે ઔદયિકભાવ પોતે પીડાસ્વરૂપ છે અને તેને કારણે પીડામાં સુખની ભ્રાંતિ થાય છે, તેમ નિશ્ચયનયનો મત છે; જયારે વ્યવહારનય ભૌતિક સુખને સુખ કહે છે. સમકિતીને ભૌતિક સુખમાં પીડાનો અનુભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy