SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ પપ થાય. સમકિતી વિભાવમાત્રને પીડારૂપે વેદન કરે છે. તમને પણ ક્ષયોપશમ થશે ત્યારે બધું સમજાશે. પણ તે ક્યારે ? 'પાંચ પ્રકારનો સ્વાધ્યાય તે ધર્મપ્રાપ્તિનું કારણ છે, સમકિતનું કારણ છે. માટે ધર્મનું શ્રવણ પ્રતિદિન જોઇએ. જયારે પ્રતીતિ આવશે પછી તમે સંસારમાં Set(ગોઠવાઈ જવું તે) નહિ થઈ શકો. પણ તમે તો બહુ હળવા ગ્રાહક (ઘરાક) છો. પાન-સોપારી ખાવાવાળા ને? આટલું ઓછું, મૂકીએ છીએ, તો પણ તમને થાય છે કે સાહેબ, બહુ થઈ ગયું. ધર્મમાં અસંતોષ જોઇએ, તે ગુણ છે; જ્યારે સંસારમાં સંતોષ જોઈએ. તમારે તો બેઉની ખામી ને? 22號222 * નિશ્ચયનય ક્રમસર ક્રમસર થતી રસની ન્યૂનતાને ત્યાગ કહે છે. તપથી ક્રમસર આત્મરમણતા વધવી જોઈએ. તપાચાર તે ચારિત્રાચારનું અંગ છે. આત્માની સમીપે વસે તે ઉપવાસ છે. આત્મા, આત્મા વડે આત્મામાં રહે તે જ ચારિત્ર છે. આશ્રવનો ત્યાગ અને સંવર-નિર્જરાનું સેવન તે દ્વાદશાંગીનો સાર છે. ક કર્મબંધની જે પણ પ્રવૃત્તિ છે તેનાથી વિરામ પામો તે ચારિત્ર છે. ક કર્મકૃત ભાવો તે પૌદ્ગલિક ભાવો છે, તે ભાવોથી પર થઇ આત્મા પોતાના ભાવમાં રમે તે ચારિત્ર છે. સંસારમાં જીવ ઔદયિકભાવને સ્પર્શે છે, પણ, આત્મીયભાવોને સ્પર્શતો નથી. શાસ્ત્રમાં દુર્લભ એવા મનુષ્યભવની સાર્થકતા ચારિત્રની પ્રાપ્તિમાં બતાવી છે. આત્મા પર સંચિત થયેલા કર્મોનો ચારિત્રમાં નાશ થાય છે. ચારિત્ર એ મોક્ષનું કારણ છે. (૧) પાંચ પ્રકારનો સ્વાધ્યાય : વાચના, પૂના, પરાવર્તના, અનુપ્રેક્ષા, અને ધર્મકથા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy