SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ આશ્રવ અને અનુબંધ છે. વસ્તુમાં અનંત ધર્મો-ગુણો તેને ન વિશેષે દેખાય છે, તે જ સમ્ય દર્શન છે. સ્યાદ્વાદ જો તમારા માથામાં Fit(બંધ બેસવું તે) ન થાય તો તે મોહનીયકર્મનો ઉદય છે. તેવા જીવો નિયમા મિથ્યાત્વી છે, સમકિતી નથી. હવે તમે ચેતી જાઓ. આશ્રવને બરાબર સમજો. નિશ્ચયનયથી કર્તુત્વ-ભોસ્તૃત્વ, શત્રુ-મિત્ર, મોક્ષ-સંસાર બધાનો કરનાર જીવ પોતે જ છે. માટે આશ્રવને બરાબર સમજીને તેને અટકાવો અને જો ન અટકાવી શકો તો શુભ આશ્રવ કરો અને તે પણ શુભાનુબંધી. ભગવાનનો ઉપકાર છે કે આપણને કેટકેટલી રીતે બધું બતાવ્યું છે ! હેતુ, સ્વરૂપ, નય, નિક્ષેપા, પ્રમાણ, ભાંગાઓથી જેટલું બને તેટલું, બધી રીતે, બધી બાબતો આપણા પૂર્વાચાર્યોએ એકદમ સ્પષ્ટ કરીને આપી છે. તે તેમના આપણી ઉપર જબરદસ્ત ઉપકાર છે. જીવ સાવધ થઈ જાય તો ધર્મ શું છે? સુખ શું છે? વગેરે તેને બધું દેખાવાનું ચાલુ થાય. નિરુપાધિકદશાનું સુખ તે જ ધર્મ છે, જે આત્માનો સહજ સ્વભાવ છે. “જે જે અંશે રે નિરુપાલિકપણું, તે તે જાણો રે ધર્મ; સમ્યગ્દષ્ટિરે ગુણઠાણા થકી, જાવ લહે શિવશર્મ.” સંસારનું સુખ સોપાધિક છે માટે તે અધર્મ છે. સોપાધિક સુખ પૌદ્ગલિક છે, જે મોહના ઉદયને આભારી છે. સભા- સાહેબજી, અમારે ધર્મ કેવી રીતે કરવો? સાહેબજી:- દાન-શીલ-તપ-ભાવ કેવી રીતે કરવા તે સમજો. દ્રવ્યશુદ્ધિ-ભાવશુદ્ધિ બધું બરાબર ગોઠવો. દ્રવ્યશુદ્ધિના અનેક પ્રકારો છે. જેમ કે ધનશુદ્ધિ, તેનાથી આહારશુદ્ધિ; આહારશુદ્ધિથી ઇન્દ્રિયશુદ્ધિ, પછી મનશુદ્ધિ, બુદ્ધિશુદ્ધિ. માટે જેવું ધન તેવી બુદ્ધિ, એમ કહ્યું છે. ક્રિયા ધર્મમાં ઉપાદેયબુદ્ધિ આવશે તો લાભ છે. “ક્રિયા ન કરનાર કરતાં ક્રિયા કરનાર સારો” (Something is better than nothing, ‘ન મામા કરતાં કાણો મામો સારો'ના ન્યાયે) અને “ક્રિયા કરનાર કરતાં ક્રિયા ન કરનારો સારો” આ બંને વાક્યો જુદા જુદા નથી મૂક્યાં છે. તેથી અપેક્ષાએ બંને સાચાં છે. નાની નાની ત્રુટીઓ સાથે પણ ધર્મ કરતો હોય, તો તે બિલકુલ ધર્મ નહીં કરનાર કરતાં સારો છે. નાની ત્રુટી સહિત ધર્મ કરનારે પણ Open mind (ખુલ્લું મન) રાખી સમજતા (૧) નિરૂપાધિકદશાનું સુખ કોઇપણ પ્રકારની ઉપાધિ વિનાનું સુખ જે મોહનીયકર્મના ક્ષયોપશમથી જન્મે છે. તે આત્માના સહજ સ્વભાવથી થનારું સુખ છે. પ્રશમનું સુખ તે મોક્ષનું સુખ તે નિરૂપાધિકદશાનું સુખ છે. (૨) સોપાધિસ્ખઃ ઉપાધિવાળું સુખ. બાહ્ય પુદ્ગલ પદાર્થરૂપ ઉપાધિથી જ સુખ તે સોપાધિક સુખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy