SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૪૭ અધ્યવસાયની વિશુદ્ધિ જેટલી વધારે તેટલો લાભ વધારે. દા.ત. પૂજા ક૨વા નીકળે ત્યારથી `દશત્રિનો અધ્યવસાય કરે અને પૂજા કરતી વખતે દશ ત્રિક ગોઠવે. પિંડસ્થધ્યાન માટેનું બધું Raw material(સાધન-સામગ્રી)અને Background (પશ્ચાદ્ભૂમિકા) તૈયાર કરે. જ્ઞાન સંપાદન કરી શુભ વિચારો કરે. ઘરેથી નીકળે ત્યારથી તેની તૈયારી હોય. અરે, ન્હાવા બેસે ત્યારથી વિચારણા હોય. એમ ને એમ કાંઇ પુણ્યબંધ થતો નથી. અમારે ત્યાં બધાયમાં બહુ વ્યવસ્થિત ગોઠવણી છે. તમે તો ખાલી ભગવાનને એક તિલક કરી લીધું એટલે જાણે ઘણું બધું થઇ ગયું. લાગ આવે તો તે પણ ગામના પૈસે કરી લો. હા, યથાશક્તિની વાત છે. પૂજા શક્તિસંપન્ન માટે કહી છે, જે સ્વદ્રવ્યથી કરવાની છે, ગામના પૈસે નહીં. જેની શક્તિ નથી તે દેરાસરમાંથી કાજો કાઢે, બીજા શેઠિયાને કેસર વાટી આપે વગેરે તેની શક્તિ અનુસાર કરે. દેરાસરમાં પ્રવેશતાં જ નિસીહિ મૂકી છે. સાવધાની કેટલી બતાવી છે? તમારે તો દહેરાસરમાં પણ ઘાલમેલ. Routine(નિત્યક્રમ) મુજબ ક્રિયા કરી લેવાની. આવી પૂજા દીર્ઘકાળ સુધી કર્યા કરશો તો પણ ફળવાની નથી. દ્રવ્યપૂજાના બળથી Ground work (પૂર્વભૂમિકા) તૈયાર કરી ભાવપૂજામાં જવાનું છે. વ્યવહારનયથી ક્રિયા આલંબન છે, જ્યારે જ્ઞાનનયથી પરિણામ, અધ્યવસાય અને લેશ્યાની વિશુદ્ધિ કરવાની છે. રોજે રોજ શુદ્ધિ વધવી જોઇએ. પછી જ ચિત્તપ્રસાદ એટલે કે ચિત્તની પ્રસન્નતા આવે, યોગની ભૂમિકા પામે. તમે નથી પામતા તેમાં ક્રિયાનો દોષ છે કે કરનારનો દોષ છે ? માટે ‘“જ્ઞાનયિામ્યાં મોક્ષમાર્યાં: '' (જ્ઞાન અને ક્રિયાવડે મોક્ષમાર્ગ છે.) કહ્યું છે. તમે ધર્મ કરો છો પણ આ બધું સમજો છો ખરા ? સમજતા થાઓ તેમ ઠેકાણું પડશે. જે ક્રિયા કરતાં જે ભાવની પ્રતિસમય માંગ હોય, તે તમારે પૂરી કરવાની છે. વ્યવહારથી કહેવાય કે પ્રભુ યોગક્ષેમ કરે છે, જ્યારે નિશ્ચયનયથી તો જીવ પોતે જ પોતાનો યોગક્ષેમ કરે છે. અપેક્ષાએ બેઉ સાચા છે. તમે તો કહેશો કે “દાદા ઉપર શ્રદ્ધા છે, જે અમારો ઉદ્ધાર કરશે.' પણ પછી તમારાં આખો દિવસ પરાક્રમ કેવાં હોય છે ? શું આ તમારી શ્રદ્ધા ! નિમિત્ત-નૈમિત્તિકભાવ તે વ્યવહારનયની ભાષા છે. અપુનર્બંધક અવસ્થાને પામેલા જીવની બુદ્ધિ હવે ધીરે ધીરે સ્યાદ્વાદ તરફ જતી જાય છે. માટે જગત તેને સ્યાદ્વાદમય દેખાય (૧) દશ ત્રિક : જુઓ પરિશિષ્ટX-૧૩ (૨) પિંડસ્થધ્યાન ઃ પ્રભુની ગર્ભાવસ્થાથી માંડીને કેવળજ્ઞાન પામ્યા ત્યાં સુધીની છદ્મસ્થપણાની બધી અવસ્થાઓનું ધ્યાન. જેમાં ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, રાજ્યાવસ્થા, શ્રમણાવસ્થા, એ સઘળી અવસ્થાઓનું સમૂહાત્મક ધ્યાન છે. પદસ્થ ધ્યાન પૂર્વે પિંડસ્થ અને પછી રૂપાતીત. પદસ્થમાં કેવળજ્ઞાન અવસ્થાનું ચિંતન અને રૂપાતીતમાં સિદ્ધાવસ્થાનું ધ્યાન-ચિંતન આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy