SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ આશ્રવ અને અનુબંધ પણ શુભ માંગ્યો છે. ક્રિયા આલંબન(સાધન) છે, અધ્યવસાય સાધ્ય છે. તમારી પાસે તો ખાલી ક્રિયાનું જ લિસ્ટ હોય ને? કે અધ્યવસાયનું પણ લિસ્ટ ખરું? ના, કેમ? તેમાં તમને રસ ઓછો છે. સભા - મન બીજે જતું રહે છે. સાહેબજી:-અહીંયાં રસ ઓછો છે, માટે મન બહાર જતું રહે છે. ટી.વી. જોવા બેસો ત્યારે મનનો ઉપયોગ બીજે જાય ખરો? પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજીએ સૂત્ર આપ્યું છે કે “જેમાં અધિક રસ તેમાં ઉપયોગ”. જેમ જેમ રસ વધે તેમ તેમ તેમાં ઉપયોગની તીવ્રતા આવતી જાય. ક્રિયામાં મનને જોડવા માટે કટિબદ્ધ બની, જે તે ક્રિયાની વિધિ બતાવી છે તે પ્રમાણેનો તેનો અમલ કરો. તેને માટે જરૂરી બધું જ્ઞાન મેળવો, તો તમારું મન ચોંટે. Homework (જાતે પણ મહેનત કરી અભ્યાસ કરવો તે) કરવું પડે. સભા- ધર્મરસ ઓછો છે તો શું કરવું? સાહેબજી:- તો તમારે ઉપયોગ સાચવવા વધારે સાવધ રહેવું પડે. ચિત્તને કેન્દ્રિત કરવું પડે. ભૌતિક ક્ષેત્રે Career(કારકિર્દી બનાવવા માટે વિચારો છોને કે આમ થાય, આમ ન થાય ત્યાં ભવિષ્યનો વિચાર કરો છો, તેમ ભવિષ્યનો વિચાર કરી સંસારરસ અધિક હોવા છતાં તેને ગૌણ કરી ધર્મ કરવાનો છે. તમારે ત્યાં જે બધાRank holders(અમુક વર્ગ કે કક્ષામાં ખાસ સ્થાન ધરાવનારા) છે, તેમની શું સ્થિતિ હોય છે? તે સ્થાન મેળવવા તેઓ કેટલી મહેનત કરે છે? બધું ભૂલી દિવસ-રાત તેની પાછળ લાગ્યા રહેતા હોય છે. ઘણા તો રોજના પંદરથી અઢાર કલાક સુધીની મહેનત કરતા હોય છે. શું તેઓને તે વખતે મનોરંજન આદિ સંસારરસથી વૈરાગ્ય થઈ ગયો છે? ના, પણ લક્ષ્ય બીજું બંધાઈ ગયું છે. માટે પોતાને અધિક રસવાળી આનંદપ્રમોદની ક્રિયાઓને છોડીને, ઘણી વાર તો ભણવાનું કે મહેનત કરવાનું ન ગમતું હોય, કંટાળો આવતો હોય, તેમ છતાં તેઓ પોતાના લક્ષ્યના વિષયમાં લાગ્યા રહેતા હોય છે. ક્યારેક કોઈક પ્રસંગમાં જોડાય તો પણ જલદી તેમાંથી નીકળી પોતાના અભ્યાસમાં લાગી જાય, અને પ્રસંગ દરમ્યાન પણ તેનો જીવ તો પાછો તેના અભ્યાસના Planning(યોજના ઘડવા)માં જ રમતો હોય. કેમ આમ ? તો કહે અત્યારે આ મહેનત નહીં કરું તો મારો વિકાસ નહીં થાય, એમ તેને બેઠું હોય છે, અથવા સમજાયું હોય છે. તેમ તમારે અહીં લક્ષ્ય બાંધવું પડે. તમને થવું જોઇએ કે આનાથી (ધર્મથી) જ મારું આત્મકલ્યાણ છે. તેવું Convincingly(દઢતા કે ખાતરીપૂર્વક) ગોઠવાવું જોઇએ. પછી બધી બાજી આપોઆપ પલટાઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy