SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ આશ્રવ અને અનુબંધ તે તેણે તેના દોષ તરીકે સ્વીકારેલું છે, તે સેવનનું તેને દુ:ખ છે; તેના સેવનમાં તે જીવ કરતાં તેનું કર્મ વધારે જવાબદાર છે, માટે તેના સેવનથી તેને બંધ અલ્પ થશે. તમારી શું હાલત છે? તમે તો પહેલાં પાપને પાપ તરીકે સ્વીકારો છો કે કેમ તે જ પ્રશ્ન છે, પાપ થાય છે કે નથી થતું તે વાત તો પછીની છે. વ્યવહારનયથી અઢારે પાપસ્થાનકોને પાપ તરીકે અને નિશ્ચયનયથી વિભાવમાત્રને પાપ તરીકે જીવ સ્વીકારતો થઈ જાય તો તે માર્ગ પર છે. કર્મ તેને જરા જગા આપે એટલે તે આગળ વધતો જશે. સમકિતી કાયપાતી હોય, ચિત્તપાતી ન હોય. તે બધું સમજીને બેઠેલો હોય. જેમ કે તમે કોઈ દિવસ “હું ખાડામાં પડું, ભલે મારાં હાડકાં ભાંગી જાય” તેવું વિચારતા નથી, કારણ કે તમે સમજેલા છો કે ખાડામાં પડવાથી હાડકાં ભાંગી જાય અને દુઃખી થવાય; તેમ સમકિતી બધાં પાપો માટે આમ સમજેલો હોય, તેથી તે કદી પણ રસપૂર્વક પાપ બાંધે જ નહીં. કર્મ બળવાન હોય તો તેને કરવાનું આવે, પણ ત્યાં પ્રધાનતા કર્મની, તેની નહીં. જેમ કે તમે ભૌતિક પ્રતિકૂળતા ક્યારે સહન કરો ? જ્યારે કોઇ જ બારી ન હોય ત્યારે ને? કારણ કે તમને ભૌતિક પ્રતિકૂળતા પસંદ નથી. તેમ સમકિતીને પાપ પસંદ નથી, પણ તેને આ રીતે જ ભોગવવાનું હતું માટે જ તે ભોગવે છે. પાપકર્મ જયાં સુધી ન સેવે ત્યાં સુધી આર્તધ્યાન-રૌદ્રધ્યાનના સંકલ્પ-વિકલ્પો શમે જ નહીં, માટે પાપકર્મને તે રોગની જેમ સેવે. અજ્ઞાન અવસ્થામાં બાંધેલાં કર્મો તેને એવા સંયોગોમાં મૂકે, કે એ રીતે ભોગવાય ત્યારે જ તે કર્મો સમાપ્ત થાય છે. તેને રુચિ નથી પણ મજબૂરી છે. માટે તેને Chain Reaction (કોઇ ક્રિયાની અસરરૂપે નવી ઘટનાઓની હારમાળા સર્જે તેવી પ્રતિક્રિયા) આવતું નથી. અમે સમજીએ છીએ કે અમારી પાસે જે સાંભળવા આવે છે તે વધતો-ઓછો ધર્મ તો કરે છે. તેને ધર્મ ગમે છે માટે આવે છે. તો હવે તેમના ધર્મને એવી રીતે ગોઠવીએ કે તે મોક્ષલક્ષી બને. તમે ધર્મની ક્રિયામાં બેઠા હો અને માથું આખા જગતમાં રખડવા મોકલો, તો કેટલો લાભ થાય? ક્રિયાનયથી શુભબંધ માટે શુભક્રિયા જોઈએ, તેમ જ્ઞાનનયથી શુભબંધ માટે શુભ અધ્યવસાય જોઇએ; નહીંતર જીવ લહેરથી ક્રિયા કરીને આખો સંસાર રખડશે. માટે બંને નયથી ધર્મ કરવાનો છે. ક્રિયાનું શુભ આલંબન છે પણ ત્યાં અધ્યવસાય (૧) કાયપાતી અને ચિત્તપાતી : સમકિતી જીવ સંસારની હરેક પ્રવૃત્તિ માત્ર કાયાથી જ કરતો હોય, પરંતુ તેનું ચિત્ત તેમાં ભળેલું ન હોય, તેનું ચિત્ત સદા મોલમાં રમતું હોય. તેથી જ કહ્યું છે કે “મોક્ષે વિત્ત મ તનુ". સમકિતી શરીરથી સંસારમાં અને ચિત્તથી મોક્ષમાં હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy