SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આશ્રવ અને અનુબંધ આ બધું વિચારવાનું છે. કામ? દાન શું કામ ? આ બધું કરું છું, પણ કેમ ? અને કઇ રીતે ? કાંઇ મગજમાં ઊતરે છે ખરું ? જો લોલંલોલ ચલાવ્યા કરશો તો હાડકાં ભાંગી જશે. માટે વિધિ-પ્રતિષેધ પ્રમાણે કરો. જેટલા વિધિ-પ્રતિષેધ ભગવાને મૂક્યા છે, તે બધા Safeguard (સલામતીનાં સાધન) છે. સભા:- પણ સાહેબ ! અમને તેનું જ્ઞાન નથી તેનું શું ? સાહેબજી:- પણ ગુરુ કહે તેમ કરે તેટલો સીધો તો હોય ને ? વેપારમાં પણ તેવું ખરું કે પહેલાં હું Expert (નિષ્ણાત) થઇ જાઉં, પછી વેપાર કરું ? કે પછી Basic(પાયાનું) જ્ઞાન મેળવીને ધંધો કરતાં કરતાં નિષ્ણાત થવાનું છે ? માટે અહીંયાં પ્રતિદિન ધર્મશ્રવણની વિધિ છે. દાન-શીલ-તપ વગેરે અનેક પ્રકારના ધર્મ જે કરે છે તેને અમે પૂછીએ કે શું કામ આ બધું કરે છે ? તેને સાચી વાત સમજાવીએ, તે સમજતો થાય અને સુધરતો જાય. વ્યવસાયમાં સ્વાયત્ત શ્રાવકે રોજ ઓછામાં ઓછા ત્રણ કલાક જ્ઞાન માટે ફાળવવા જોઇએ. અહીંયાં સાંભળીને તમારે તમારા પરિવારને તૈયાર કરવો જોઇએ, તેઓમાં સંસ્કરણ કરવું જોઇએ. માટે પહેલાં તે ગીતાર્થ પાસેથી મેળવે. તમે ધર્મક્રિયાઓ કરતા જાઓ, પણ કશું સમજવા તૈયાર ન હો તો તમારું ઠેકાણું નહીં પડે. તમે બિલકુલ ન સમજી શકો તેવા તો નથી જ. ભૌતિક ક્ષેત્રમાં કેટલા નિપુણ છો ? તમે કાંઇ ડફોળ નથી. તમારી પાસે Growth (વિકાસ, વૃદ્ધિ) છે, તેનો ઉપયોગ અહીં કરવાનો છે. જૈનો આખા સમાજમાં Cream Layer ( સર્વોત્તમ સ્તર) પર છે. ભગવાને અમને કહ્યું છે કે જેની પાસે Growth હોય તેને ધર્મનાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વો સમજાવવાં. અમારે અણઘડ પાસે વર્ણન કરવાનું હોય તો જુદી વાત છે. અમે આટલી મહેનત શાના માટે કરીએ છીએ ? સભાઃ- અપુનર્બંધક જીવ ખોટું કરે અને સમકિતી જીવ ખોટું કરે તેમાં તફાવત કયો પડે ? સાહેબજી:- અપુનર્બંધક અવસ્થાને પામેલો જીવ ખોટું કરે તો તેમાં કર્મની પ્રધાનતા છે અને જીવ ગૌણ છે, જ્યારે સમકિતી જીવ ખોટું કરે તો કર્મ સંપૂર્ણ રીતે જવાબદાર છે, કેમ કે કર્મ જબરદસ્તી ના કરે તો સમકિતી ખોટું કરે જ નહિ. જ્યારે અપુનર્બંધકમાં કર્મ સંપૂર્ણ જવાબદાર નથી. અપુનબંધકને તત્ત્વ Unclear (અસ્પષ્ટ) છે, જ્યારે સમકિતીને તત્ત્વ Clear (સ્પષ્ટ) છે. પાપ કરવાનું આવે છે ત્યારે તમને કેવાં સંવેદન થાય છે, તેના પર ઘણો આધાર છે. તમને તેનો ખેદ હોય, પશ્ચાત્તાપ હોય તો અમે સમજીએ કે આ જીવે પાપ સેવ્યું છે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy