SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ આશ્રવ અને અનુબંધ દીર્ઘકાળ ખાડામાં નાખશે. તે ધર્મથી મળેલું ભૌતિક સુખ પણ ઝેર સમાન છે, જે ભાવપ્રાણોનો નાશ કરનારું થશે. પાપબંધમાં અપ્રશસ્ત કષાયોના પરિણામ જેટલા તીવ્ર, તેટલો સ્થિતિબંધ અને રસબંધ અધિક; જ્યારે પુણ્યબંધમાં પ્રશસ્તકષાયના પરિણામ જેટલા મંદ અને વિશુદ્ધિ જેટલી વધારે, તેટલો સ્થિતિબંધ અલ્પ અને રસબંધ અધિક થશે. કેમ? તો કહે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. જે શ્રાવક પ્રબુદ્ધ બને તેને વિશુદ્ધિની વધારે કિંમત થાય. ઉપલા ગુણસ્થાનકે વિશુદ્ધિ અધિક તેથી રસબંધ અધિક અને સ્થિતિબંધ અલ્પ, જયારે નીચલા ગુણસ્થાનકે તેનાથી વિપરીત પરિસ્થિતિ છે. તત્ત્વરુચિ અને તત્ત્વપ્રતીતિમાં તફાવત છે. જેવું તત્ત્વ છે તેવું જ સંવેદનતતત્ત્વપ્રતીતિ. તેથી તત્ત્વરુચિ કરતાં તત્ત્વપ્રતીતિ ચઢી જાય. તત્ત્વરુચિથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત કરતાં તત્ત્વપ્રતીતિવાળું સમ્યક્ત ચઢિયાતું છે. જ્ઞાનથી દિશા મળે છે. જીવ જેમ જેમ જાણે તેમ તેમ જ્ઞાનના બળે સાચી દિશા મળે છે. તત્ત્વપ્રતીતિમાં વિશુદ્ધિ વધારે હોવાના કારણે જીવને બળ વધારે મળે છે. માટે તત્ત્વપ્રતીતિવાળાનું સમ્યક્ત વધારે સારું છે. જેમ વિશુદ્ધિ વધે તેમ શુદ્ધ ભાવો વધારે અને શુભ ભાવો ગૌણ થશે, જેથી રસબંધ (કે જે બંધના ચાર પ્રકારોમાં સૌથી મહત્ત્વનો છે) ઊંચો થશે. શુભ ભાવના પરિણામો છોડીને જીવે મોશે. જવાનું છે, જયારે શુદ્ધ ભાવના પરિણામો સાથે લઈને મોક્ષમાં જવાનું છે. શુભ ભાવ અમુક ગુણસ્થાનક સુધી ઉપાદેય છે, પછી તો તેને પણ છોડતા જવાનું છે. ધર્મ સાનુબંધ જોઇએ, વળી વિશુદ્ધિ પણ સાનુબંધ જોઇએ, જેમાં ક્રમસર વૃદ્ધિ થતી જાય. ગુણ પણ સાનુબંધ જોઇએ. માટે પહેલાં ધર્મચિ જોઇએ, જેથી જીવ અધર્મથી વિમુખ થતો જાય. પછી કઈ રીતનો ધર્મ થાય? શુભાશુભ સ્થિતિબંધ તે કષાયની માત્રા પર આધારિત છે, જયારે શુભ રસબંધ માટે પ્રશસ્ત કપાયનો મંદ પરિણામ અને અશુભ રસબંધ માટે અપ્રશસ્ત કપાયનો તીવ્ર પરિણામ જવાબદાર છે. કારણ કે જેમ જેમ કષાયની અલ્પતા તેમ તેમ વેશ્યાની શુદ્ધિની અધિકતા. સભા- પુણ્યમાં સ્થિતિ ઓછી કેમ? સાહેબજી:-પુણ્ય દીર્ઘકાળ ચાલે તે પણ ઇષ્ટ નથી. મોક્ષે જલદી મોકલવા છે. સ્વરૂપ જ એવું છે. સ્થિતિ વધારે બાંધવા કષાય વધારે કરવા પડે, માટે ખરી મહત્તા તો રસબંધની જ છે. સાધના કરતાં વિશુદ્ધિની કિંમત વધારે છે. પ્રશસ્ત કક્ષાના પરિણામ અમુક Limit (મર્યાદા) સુધી જ ઇષ્ટ છે. ઉપર જતાં પ્રશસ્ત કપાય પણ અલ્પ કરતા જવાનું છે. તત્ત્વાર્થકાર ભગવંત પહેલાં અશુભ આશ્રવ સમજાવે છે. પાપના વિપાકો એટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy