SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ આશ્રવ અને અનુબંધ તેમ છે. મારી મોક્ષની સાધના આનાથી ચલિત થાય છે. તે ચલિત થવાનું ચાલુ થાય તે આ સ્વરૂપે તેને દેખાય. સભા- અર્થકામ માટે ધર્મ થઇ શકે? સાહેબજી:- હા, અપવાદે થાય, અને અપવાદસૂત્ર લાગે ત્યારે પણ અનુબંધ શુભ માંગ્યો છે; નહીંતર તે અપવાદ ન ગણાય અને તે ધર્મ પણ સંસારમાં રખડાવનારો થશે. સમંજસવૃત્તિથી કરેલ ધર્મ દર્શનશુદ્ધિનું કારણ બને, જયારે અસમંજસવૃત્તિથી કરેલ ધર્મ સંસારપરિભ્રમણનું કારણ બને છે. સમંજસવૃત્તિનો ધર્મ એટલે વિધિ-પ્રતિષેધપૂર્વક થતો ધર્મ. સ્વેચ્છાએ કે અણઘડ રીતે સ્વમતિ પ્રમાણે કરાતો ધર્મ તે અસમંજસવૃત્તિનો ધર્મ છે. જેમ તપ ભગવાને બતાવ્યો છે, તેમ તેની વિધિ પણ ભગવાને બતાવી છે. શાસ્ત્રોમાં દાખલા આવે છે કે તપ કરીને પણ જીવ દીર્ઘકાળ સુધી સંસારમાં રખડ્યો છે. શ્રાવક માટે કર્મયોગ છે, જેમાં પુણ્યાનુબંધી પુણ્ય પ્રધાન છે અને નિર્જરા ગૌણ છે. સાધુ માટે જ્ઞાનયોગ છે, જેમાં નિર્જરા પ્રધાન છે, અને આનુષંગિક રીતે પુણ્યાનુબંધી પુણ્ય આવે. માટે બધું બરાબર સમજો છઠ્ઠા ગુણસ્થાનકે નિર્જરા પ્રધાન છે. પાંચમાં ગુણસ્થાનકના છેલ્લા અધ્યવસાયમાં રહેલા જીવની વિશુદ્ધિ કરતાં છઠ્ઠા ગુણસ્થાનકના પહેલા અધ્યવસાયમાં રહેલા જીવની વિશુદ્ધિ અનંતગણી વધારે હોય છે. અહીંયાં (સાધુપણામાં) રહેલા જીવની વિશુદ્ધિ ઘણી ઊંચી છે. દરેક ગુણસ્થાનકના અધ્યવસાયસ્થાનોનું Analysis (પૃથક્કરણ) કરવું જોઇએ. સભા દરેક ગુણસ્થાનકે આ રીતે ફેર પડે ? સાહેબજી:-ના, દરેક ગુણસ્થાનકે વધે, પણ પાંચમાં અને છઠ્ઠા વચ્ચે તો આ રીતનો ઘણો મોટો ફેર છે; કારણ પાંચમામાં સર્વવિરતિ નથી, ત્યાં સર્વવિરતિનો અધ્યવસાય દુષ્કર છે. પાંચમાં ગુણસ્થાનકના Top(શિખર) પર હોય તેના કરતાં છઠ્ઠા ગુણસ્થાનકની Beginning (શરૂઆત) પર હોય તો પણ, અધ્યવસાયસ્થાનમાં Giant Difference વિશાળ તફાવત) પડે છે, જેમાં વિશુદ્ધિની અપેક્ષા કારણભૂત છે. દેશવિરતિ કરતાં સર્વવિરતિના પરિણામ ચડિયાતા જ રહેવાના. માટે પાંચમાં ગુણસ્થાનકમાં રહેલો જીવ આખી જિંદગી જે આરાધના કરે છે, તે છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલો જીવ બે ઘડીના સમયમાં કરી આપે છે. બધી ચર્ચાઓ કરી છે. બધું તર્કથી બેસે તેમ છે, પણ તેમાં અંદર ઊતરવું પડે. પીઠિકા કેવી બાંધી છે? કે જીવ શુભ આશ્રવ કરશે, પણ અનુબંધ અશુભ હશે તો? જે ધર્મ કરે તે પણ શુભાનુબંધી હોવો જોઇએ, નહિતર તે અભ્યદય આપશે પણ પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy