SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ આશ્રવ અને અનુબંધ એમ ને એમ નથી કહ્યા, શુભની પરંપરા પેદા કરીને પણ અંત કરવાની છે તો નિર્જરા પણ આ કામ અપ્રમત્ત મુનિનું છે. ચારિત્રમોહનીય છે ત્યાં સુધી નિર્જરા સતત રહેતી નથી, માટે જ પુણ્યાનુબંધી પુણ્ય બાંધવું પડશે, જે મોક્ષ પામવામાં સાધક છે; જયારે પાપાનુબંધી પુણ્ય તો મોક્ષ પામવામાં બાધક છે, જે સંસારનું પરિભ્રમણ વધારે છે. માટે ધર્મમાં આંધળુકિયાં કરવાનાં નથી. વિશેષ વાત માટે જ ઓવરટેક કરીને શાસ્ત્રકારોએ વ્યુત્કમ કરી વિશેષ ધ્વનિત કરવા અશુભયોગનું કથન પહેલાં કર્યું છે. સંસારમાં ઉપાદેયબુદ્ધિ રાખી ધર્મ ન થવો જોઇએ, યાને સંસારમાં હેયબુદ્ધિ રાખી ધર્મ કરવો જોઇએ. તમે ધર્મ કરો તે ઇષ્ટ છે, પણ ગમે તેમ કરીને ધર્મ કરો તે ઇષ્ટ નથી. ગમે તે અનુબંધ પાડો, જે મોક્ષસાધક બનવાના બદલે મોક્ષબાધક બને અને ઘણો સંસાર રખડાવે, તે ઈષ્ટ નથી. તમે થોડા શુભ ભાવ સાથે ધર્મ કરો, પણ સંસારનો રસ આકંઠ (ભરપૂર) હોય, સંસાર પ્રત્યેની હેયબુદ્ધિ હોય નહીં, આવા કેટલા આશયો તમારા મનમાં પડેલા હોય છે? માટે સમજીને ધર્મ કરવાનો છે. ભચાર, દસ, સોળ પ્રકારની સંજ્ઞાના ભાવથી પણ ધર્મ ન કરવો જોઇએ. એટલે કે સંજ્ઞાઓના ઉદયભાવમાંથી ફલિત થયેલો ધર્મ ન જોઈએ, શાસ્ત્રકારોએ “સંજ્ઞાવિષ્વમન્વિતમ્” (સંજ્ઞાના ઉદયભાવને નિષ્ફળ કરીને) ધર્મ કરવાનો કહ્યો છે. સભા- ભયસંજ્ઞાથી ફલિત થયેલો ધર્મ છે તેમ ખબર પડે? સાહેબજી:-હા, જેમ કે મોક્ષનો આશય ન હોય, પણ ભૌતિક દુઃખોના ભયના કારણે ધર્મ કરે. મારું ભૌતિક દુ:ખ ટળે અને મને ભૌતિક સુખ મળે તેવી ભાવના આવી. એટલે સંજ્ઞા આવી ગઈ. જયાં વિવેક ન હોય, પણ ટૂંકા વિચારથી ધર્મ કરવા પ્રેરાય, ત્યારે તે સંજ્ઞામાં ચાલ્યો ગયો છે તેમ કહેવાય. આનુષંગિક રીતે સંજ્ઞા આવે તો પણ, તેમાંથી ફલિત થયેલ ધર્મ હોય તો તે ધર્મને નબળો કરે. સભા- સમકિતીને પોતે સાધનાથી ચલિત થાય છે તે કયા સ્વરૂપથી દેખાય? સાહેબજી:- એનો અનુબંધ શુદ્ધ છે. તેને જવું છે મોલે, પણ વર્તમાનમાં જે દુઃખ આવ્યું છે તે અસમાધિનું કારણ બને તેમ છે, કારણ તેની તાકાત કરતાં દુઃખ વધારે છે. માટે તેને થાય કે હું આનો સામનો કરી શકું તેમ નથી, જેથી અસમાધિ દ્વારા દુર્ગતિનું કારણ બને (૧) સંજ્ઞા ૪ પ્રકારે - આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, સંજ્ઞા ૧૦ પ્રકારે - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ (સામાન્ય-વેલ દીવાલ પર ચઢે છે તે ઓધ સંજ્ઞાથી ચઢે છે.) અને લોક, સંજ્ઞા ૧૬ પ્રકારે - આહાર, ભવ, મંથન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ધ, લોક, સુખ, દુ:ખ, મોહ, વિચિકિત્સા (ધર્મના ફળ વિષે સંદેહ કે શંકા થવી તે) , શોક અને ધર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy