SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ આશ્રવ અને અનુબંધ તો કર્મ વિખરાઈ જાય. જીવ આગળ વધે, જાગ્રત થાય તેમ તેમ કર્મને સાફ કરતો જાય. જીવે કર્મ બાંધતાં જે પરિણામ કર્યા છે, તેનાથી વિપરીત પરિણામ તે કરે તો કર્મમાં ઘણા ફેરફાર થાય છે. સભા- આપણે કરી શકીએ? સાહેબજી:- હા, હા, આપણે ચાલુ જ છે. સભા- અનુમોદના રૂપે ? સાહેબજી:- હા, પણ ઘણાં સુકૃત કરીને બેઠા છો? જો સારા જીવો હોય તો તે સારી નિકાચના કરે. કરણમાં ફેરફાર થયા જ કરે છે. માટે જ શાસ્ત્રકારોએ ઘણી ધર્મક્રિયાઓ મૂકી છે, જેથી કરણમાં ફેરફાર થયા કરે. સભા- આ ભવનું પાપ આ ભવમાં ફળે ? સાહેબજી - આમ તો કર્મ બંધાયા પછી ઓછામાં ઓછું ૧૦૦ વર્ષે ઉદયમાં આવે, ઉત્કૃષ્ટથી ૭000 વર્ષે કર્મ ઉદયમાં આવે. અબાધાકાળ એટલો માન્યો છે. એટલે આ ભવમાં બાંધેલાં કર્મો આ જ ભવમાં ભોગવવાનાં આવે તેવું નથી. જેમ કે અમુક પ્રકૃતિ ક્યારે ફળે? તે Physics (પદાર્થવિજ્ઞાન) પ્રમાણે કામ કરે. જેટલો સ્થિતિબંધ તેના પ્રમાણે અબાધાકાળ, આ સામાન્ય ધોરણ છે. આ અબાધાકાળ દરમ્યાન તમારી પાસે તક છે. તમે ધારો તો કર્મને ઠેકાણે પાડી દઈ શકો, ખેરવી શકો, ફેરફાર કરી શકો. જેમ એક બળવાન માણસ બીજા હજારો માણસોને મારી શકે તેમ જાગ્રત જીવ અનેક કર્મોનો ખાત્મો બેડવી શકે. જીવ જો વીર્ય ફોરવે તો તેના અધ્યવસાયમાં જબરદસ્ત બળ મળે છે. શાસ્ત્રમાં દાખલા આવે છે. “પરિશુદ્ધ આજ્ઞાયાગમાં” જીવ ભયંકર પાપકર્મો ખપાવે છે. જે કર્મો તેમને ઘસડીને દુર્ગતિમાં લઇ જાય તેવાં હતાં, તે કર્મોને ભોગવ્યા વગર પ્રદેશોદય કરીને સાફ કરી નાખે છે. આમ તો કર્મ જીવને તત્ત્વ-અતત્ત્વ ન સમજવા દે, પણ “પરિશુદ્ધ આજ્ઞાયોગમાં” એટલું બળ છે કે તે કર્મને વિપાક ન બતાવવા દે. માટે સમજો, અધ્યવસાયમાં કેટલી તાકાત છે? મહાત્માઓ કાંઇ એમ ને એમ મોક્ષે જતા નથી. જીવ આગળ વધે પછી તો કર્મોને સાફ કરતો જ જાય છે. ત્યાં જાગૃતિ કેવી છે તે જોવાનું આવે. પુદ્ગલનું આ સ્વરૂપ છે. નિમિત્તની અપેક્ષાએ તેનું પરિણમન છે. સંક્રમણ થાય, પર્યાયાન્તર થાય એટલે જે પુદ્ગલ અગ્નિરૂપે હોય તે પાણીરૂપ બને અને પાણીરૂપે હોય તે અગ્નિરૂપે પણ બને. પર્યાયના પરિણમનસ્વભાવ પ્રમાણે તે બને. જેમ જીવદ્રવ્યમાં દેવગતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy