SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ આશ્રવ અને અનુબંધ તિર્યંચગતિ નરકગતિ તે બધા જીવના પર્યાય જુદા, પણ જીવદ્રવ્યમાં કોઈ ફેરફાર નથી; કારણ કે દ્રવ્યના સ્વભાવમાં ક્યારેય ફેરફાર થતો નથી. તેના પર્યાયસ્વભાવ તે તે ટાઇમ પૂરતા જ હોય છે, અમુક કાળ પછી પર્યાય બદલાતાં તેનો જુદો સ્વભાવ હોય છે પણ દ્રવ્યનો સ્વભાવ શાશ્વત છે. જે પર્યાયનો જે સ્વભાવ હોય, તે સ્વભાવ તે પર્યાયરૂપ હોય ત્યારે હોય, પર્યાય બદલાય એટલે સ્વભાવ પણ બદલાય. જેમ કે પુદ્ગલ અગ્નિ તરીકે હોય ત્યારે બાળવાનો સ્વભાવ અને જયારે તે પાણીસ્વરૂપના પર્યાયમાં પરિણમે ત્યારે તેનો સ્વભાવ બદલાઈને શીતળતાનો આવે, પણ બંનેમાં મૂળ તો પુદ્ગલ તરીકે જ કાયમ રહે છે. શાસ્ત્રમાં આની ઘણી બધી વિચારણાઓ છે. સમજાવવા માટે ઘણો ટાઇમ માંગે. સૃષ્ટિમાં મૂળ પાંચ પદાર્થો છે. પંચાસ્તિકાયોમાં જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય આદિ સ્વતંત્ર છે. તેની અસરો પણ છે. પુદ્ગલની અમુક યોગ્યતા છે, જીવની અમુક યોગ્યતા છે. જો આમાં વિકૃતિ ન આવતી હોત તો સંસારનું સર્જન થાત જ નહિ. માટે પુદ્ગલ શું? ચેતન શું? તે બધું ભણવું પડે. શાસ્ત્રમાં પુદ્ગલમાં અનંત શક્તિ કહી છે. પણ કહે છે કે તે જડ હોવાના કારણે તેને સુખ નથી, દુશ્મ નથી, પણ શક્તિ તો અનંત છે. પુદ્ગલ દ્રવ્ય પણ કાંઇ સામાન્ય નથી. સભા- બધા જીવો ધારે તે કેમ નથી કરી શકતા? સાહેબજી:- કર્મ તત્ત્વ છે, આશ્રય તત્ત્વ છે માટે જ બધી મોકાણ છે. બધી ધાતુઓ ખાણમાં અશુદ્ધ હોય છે. તેને શુદ્ધ કરવા Refinaryમાં(ખનિજ ઇત્યાદિનું શોધન કરવાનું સ્થળ - કારખાનામાં) મોકલવી પડે છે. તેમ જીવ અશુદ્ધ હોય છે, તેને શુદ્ધ કરવો પડે છે; અને જેનાથી તે શુદ્ધ થાય છે તે જ ધર્મ છે. નિશ્ચયનય સકામનિર્જરાને ધર્મ માને છે, પુણ્યબંધને ધર્મ માનતો નથી. આશ્રવતત્ત્વ જ રુકાવટ કરનાર છે, નહીંતર જીવ ધારે તે કરી શકે. સભા- કોઇની કર્મપ્રકૃતિની કોઈના પર અસર થાય? સાહેબજી:-તીર્થકરની પુણ્યપ્રકૃતિની આપણી પાપપ્રકૃતિ ઉપર અસર થાય છે, માટે જ તીર્થકરની પુણ્યપ્રકૃતિ આપણી અનિકાચિત પાપપ્રકૃતિ પર અસર પાડે છે. માટે તીર્થંકર વિચરતા હોય ત્યાં દુષ્કાળ ન હોય, રોગ ન હોય, મરકી ન હોય, વેર-વિરોધ શમે. જો સોપક્રમકર્મ હોય તો વ્યવહારનયરિદ્રવ્યની પરદ્રવ્ય ઉપર અસર માને છે; જયારે નિશ્ચયનય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અસર સ્વદ્રવ્ય ઉપર થાય, પરદ્રવ્ય પર નહિ, એમ માને છે. પદ્રવ્યની પરદ્રવ્ય પર અસર થાય, જેમ કે ઝેર ખાઈએ તો મરી જવાય. સારું ક્ષેત્ર હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy