SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ આશ્રવ અને અનુબંધ સભા- એક વ્યક્તિની પુણ્યપ્રકૃતિ બીજા પર કામ કરે ? સાહેબજી:- હા, તીર્થકર આદિ વિશિષ્ટ પુણ્યપ્રકૃતિવાળી વ્યક્તિ હોય, તો તે આખા ગ્રહોની અસર ફેરવી નાંખે. શાસ્ત્રમાં પણ ઘણા દાખલાઓ આવે છે, જેમ કે દુકાળ પડવાનો હતો પણ એક પુણ્યશાળીના જન્મથી વરસાદ થયો, દુકાળ પડ્યો નહિ. ઘણી વખત એક પુણ્યશાળી વ્યક્તિના કારણે આખું ઘર ચાલતું હોય છે, જ્યારે એક પાપી વ્યક્તિને કારણે આખું ઘર બરબાદ થઈ જતું હોય છે. તીવ્ર પાપના સંપર્કથી અત્યારના વગર ગુને પણ ફાંસી મળે અને બીજા ભવમાં ચાલ્યો જાય તેવું પણ બને, ના બને તેમ નહીં. કારણ પુણ્ય હોય તો તે પણ દબાઈ જાય અને પાપ ઉદયમાં આવી જાય, કારણ એકબીજાનાં કર્મ એકબીજા ઉપર અસર કરે છે. ઘણી વખત દાન લેનારને જો તીવ્ર લાભાન્તરાય હોય તો સામાને દાન આપવાનું મન જ ન થાય, ત્યાં તીવ્ર અંતરાય કારણ છે. હા, સામો દાતાર હોવા છતાં પણ આવું બને. પવનંજયનો દાખલો આવે છે ને? સેવક પ્રતિ પણ સદ્વર્તન કરનારા એવા પવનંજયનું પણ અંજના પ્રતિ આવું વર્તન કેમ ? અંજનાના કર્મથી. શું પવનંજય હરામખોર છે? ના, પણ અંજના સતીએ ભૂતકાળમાં ધર્મવિરાધનાથી તીવ્ર પાપ બાંધેલું છે, તે તેમને અહીં અસર કરે છે. માટે એકના કર્મની બીજાની ઉપર અસર માની છે. ભગવાને બધા વિકલ્પો બતાવ્યા છે. માટે ઘણા Factors કામ કરે છે. ઘણી વખત પાપના ઉદયવાળો જીવ અપરાધી ન હોય તો પણ તેને ફાંસીને માંચડે લટકી જવું પડે છે. કારણ શું? ભૂતકાળનું પાપ. માટે તમારે ઘણું ભણવું પડે તેમ છે. ઘણાને આ પ્રશ્ન સતાવે છે કે ત્યાંના લોકો (અનાર્યભૂમિના) મજા કરે છે, માટે આપણે પણ ત્યાં જઇને મજા કરીએ. હવે આગળ વિચારીએ કે કર્મ જડ છે. કામણવર્ગણાઓમાં જીવ શક્તિ સંક્રાંત કરે છે, માટે ફેરફાર થાય છે. નિકાચિત-અનિકાચિતના નિયમ જુદા હોય છે. નિદ્ધત પણ પાવરફુલ હોય તો તેના નિયમ જુદા હોય છે. સભા- નિકાચિત કઈ અપેક્ષાએ? રસબંધની કે ચારે બંધની અપેક્ષાએ લેવાનો? સાહેબજી:- નિકાચનાકરણ લાગે તે આખી લતામાં લાગતું નથી, પણ તેના અમુક ભાગમાં લાગે છે, જે ચારે બંધની અપેક્ષાએ લાગે. તે ભાગ ઉદયમાં આવે ત્યારે, જીવ જો ક્ષપકશ્રેણીમાં હોય તો બરાબર, નહીંતર નિકાચનાકરણથી દઢ થયેલું કર્મ ઉદયકાળે સર્વેસર્વા થઇ જશે, જે તમને નિયમો પતિત કરે. શાસ્ત્રમાં દાખલાઓ ઘણા આવે છે, જેમ કે નંદિષેણ મુનિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy