SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ આશ્રવ અને અનુબંધ પાપબંધ અને પ્રશસ્ત કષાયથી પુણ્યબંધ થાય. તેમાં પણ વિવેક વગરના પ્રશસ્ત કપાય હોય તો પુણ્યબંધ થાય, પણ સાથે અનુબંધ શુભ ન પડે. વિવેકપૂર્વકના પ્રશસ્ત કપાયથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જેમાં પ્રશસ્તતા કે અપ્રશસ્તતા કશું જ નથી તેવા શુદ્ધ પરિણામથી સકામનિર્જરા થાય. આ બધું બરાબર હૃદયને સ્પર્શે તે રીતે વિચારશો તો જીવ અશુભ કર્મબંધના પરિણામથી વિરામ પામશે. સભા- કર્મ આત્માને ચીકાશથી ચોટે છે? સાહેબજી:- કર્મને પણ ચોંટવાનો આશય નથી, પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. યોગથી આત્મપ્રદેશોમાં ચાંચલ્ય પેદા થાય છે અને આત્મપ્રદેશોમાં ચાંચ© થવાના કારણે કર્મનો સંબંધ થાય છે અને કર્મનો સંબંધ થવાથી કપાયનો પરિણામ થાય છે, જે સિદ્ધોને નથી. માટે જ તમારા પરિણામ શુદ્ધ છે કે કાષાયિક ? તે તપાસો. ચેતનામાં વિકૃતિ કેમ થાય છે? ચેતનાની વિકૃતિ એ સંસાર છે અને ચેતનાની પ્રકૃતિ એ મોક્ષ છે. પ્રકૃતિ એ સ્વભાવ છે અને વિકૃતિ એ વિભાવ છે. વિકૃતિ અન્ય કારણથી આવે છે, માટે Entity (ભૌતિક અસ્તિત્વ ધરાવતી બાબત) તરીકે જીવ અને કર્મ આવશે, જયારે Non-Entity તરીકે ફળ-મોક્ષ આવશે. Entityમાં વિપરીત ન હોય પણ સમાન ભાવવાળો હોય તો જથ્થો વધે, પણ વિપરીત ભાવવાળો હોય તો જથ્થો ન વધે પણ વિકૃતિ કરે. વૃદ્ધિ માટે એક જડ છે તો સામે પણ જડ જોઇએ, જયારે ચેતનાની સાથે વિપરીત ગુણધર્મવાળા યાને કે જડ એવા કર્મથી સંસારરૂપ વિકૃતિ થાય છે. જેમ કે સોનામાં બીજું સોનું ઉમેરો તો તેનો જથ્થો વધે, પણ તેના ગુણધર્મોમાં વિકૃતિ ના કરે, વિકૃતિ કરવા માટે તો વિજાતીય ધર્મ (ગુણ) જોઇએ. પાણીમાં પાણી ઉમેરો તો પાણીનો જથ્થો વધશે, પરંતુ પાણીમાં આવેલો કચરો તો વિકૃતિ જ કરે ને? નિશ્ચયનયથી પ્રકૃતિ મોક્ષ છે, નિશ્ચયનયથી વિકૃતિ સંસાર છે. વિકૃતિ આવી ક્યાંથી? જેમ પાણીનો ગુણધર્મ તો શીતળતાનો છે, પણ ગરમી આવી ક્યાંથી ? તે અવકૃત છે. ચેતનના ગુણધર્મ જુદા છે, જડના ગુણધર્મ જુદા છે. જડની ચેતન પર અસર છે અને ચેતનની જડ ઉપર અસર છે. વિપરીત ગુણધર્મો ભેગા થાય એટલે ઉલ્કાપાત થાય. માટે પરિણામ ના કરો તો કાંઈ કર્મબંધ થાય નહિ. બધે કામણવર્ગણાઓ પડી છે, પણ જીવો પરિણામ કરી યોગ-પ્રવર્તાવી કર્મ બાંધે છે. મન-વચન-કાયા અને જીવનો પરિણામ, તેનાથી જ સંસારનો વિસ્તાર થાય છે. સંસારી જીવની બે ખાસિયત છે A 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy