SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ આશ્રવ અને અનુબંધ હિંસક પશુઓને આખો દિવસ રૌદ્રધ્યાનના સંકલ્પ-વિકલ્પોથી નરકગતિ નક્કી છે. ત્યાં જીવને કોણ ડહાપણ આપે? આ તો ચંડકૌશિકને ભગવાન મળ્યા એટલે બચી ગયો. માટે જ તમને કહીએ છીએ કે દશ દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ મળ્યો છે, તો સફળ કરી લો. પણ તમને તો એમ થાય ને કે મહારાજ સાહેબ તો બધું બોલ્યા કરે, માટે જ તમે મને બધું પાછું આપીને ઘર ભેગા થાઓ છો ને? તમારે તો એવું છે કે Randomly (ઉદ્દેશ-ધ્યેય-યોજના વિનાનું, આડુંઅવળું કે અસ્તવ્યસ્ત) અહીંથી થોડું પકડો, ત્યાંથી થોડું પકડો. તે Patchwork (થાગડથીગડ) કામ છે. તમે ધર્મનું આખું માળખું સમજો છો ખરા? ધર્મમાં બધું Wholesome (સમગ્રપણે) જોઇએ, Randomથી કદી ઠેકાણું ન પડે. માટે જ ભગવાને કહ્યું છે કે, ગીતાર્થ પુરુષોને સાંભળો, જેથી તમારા જ્ઞાનમાં Patchwork ના થાય. આપણે આશ્રવતત્ત્વમાં મન-વચન-કાયાના પંદર ભેદ આગળ જોઇશું. સિદ્ધના જીવોને યોગ નથી, કષાય, પરિણામ કંઈ નથી, તેથી બંધ-સંબંધ પણ નથી. જ્યારે આપણે આ બધાં કારણો છે. ઊંઘમાં પણ આ બધી પ્રક્રિયા ચાલુ જ હોય છે. પૂ.આ. હરિભદ્રસૂરિએ ચાર પ્રકારે બંધ બતાવ્યો છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, રસબંધ અને સ્થિતિબંધ. પ્રદેશબંધ એ યોગના ચાંચલ્ય પર આધાર રાખે છે. જેમ સો કણિયાનો લાડુ, બસ્સો કણિયાનો લાડુ, પાંચસો કણિયાનો લાડુ. આ બધા કહેવાય તો લાડુ, પણ પ્રદેશોમાં ભેદ છે. પ્રદેશો અધિક અધિક છે. તેવી રીતે પ્રદેશબંધમાં જેમ યોગચાંચલ્ય અધિક છે તેમ બંધ અધિક. સ્થિતિબંધ અને રસબંધમાં કારણ તરીકે કષાય અને વેશ્યા મૂક્યાં છે. લશ્યાના ઉદય વખતે કાપાયિક પરિણામથી રસબંધ થાય છે, જયારે સ્થિતિબંધ તે કપાયની Intensity (તીવ્રતા) પર આધાર રાખે છે. ભૂલ કરવાનો સમય કેટલો? સામાન્ય, અને તેના પરિણામરૂપ ફળ ભોગવવાનો સમય અનેકગણો. દા.ત. ભૂલથી જરા લપસો ને Fracture(અસ્થિભંગ) થયું તો ભોગવવાનું કેટલું? ભૂલનો કાળ કેટલો? અને ફળનો કાળ કેટલો? જેમ ધંધામાં જરા પણ ભૂલ થઈ જાય તો બાવા બની જાઓ છો. પછી બાવા થઇને ભોગવવાનો પિરિયડ કેટલો? આખી જિંદગી ને? માટે જેટલો ભૂલ કરવાનો પિરિયડ, તેટલો ફળ ભોગવવાનો પિરિયડ તેવું નથી. અંતર્મુહૂર્ત માટે કરેલો કષાયનો પરિણામ કેટલાય કોટાકોટી સાગરોપમ સુધી કટુ ફળ આપી શકે છે. લશ્યાની શુદ્ધિનો મુખ્ય આધાર કષાય પર છે, યોગકૃત વેશ્યા તો બહુ સામાન્ય છે. કષાયોનું Replacement (કષાયોની બદલી)આત્માના સહજ સ્વભાવથી કરવાનું છે. અપ્રશસ્ત કષાયથી (૧) દશ ટાંત દુર્લભ મનુષ્યભવ તે દશ ઘેટાંત - યાદી માટે જુઓ પરિશિષ્ટ-૪-૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy