SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૨૫ ફળને ઘાસમાં મૂકો તો જલદી પાકે. આમ, તમે તેને બહારની સામગ્રી Optimum (સૌથી વધુ અનુકૂળ પરિસ્થિતિ) આપો, તો તે તેના Due course (યથાસમય) કરતાં વહેલું પણ પાકે. તેમ અહીં કર્મને ઉદીરણાકરણ લગાડો, યાને કે તેને અનુરૂપ નિમિત્તો ગોઠવી દો, તો Speedy Maturation (ઉતાવળે પકવણી) પણ કરી શકો; નહીંતર In due course (યથાસમયે) ફળ યા વિપાક બતાવે. પુદ્ગલમાં જેટલી Possibility (શક્યતા) હોય તેટલા ફેરફાર થઇ શકે, પણ કાંઇ મૉર બેસતાંની સાથે કેરી ન મળે. મકાનમાં જેમ અમુક ફેરફાર કરવા હોય તો થઇ શકે, પણ વધારે ફેરફાર કરવા હોય તો મકાન તોડવું પડે; તેમ સ્થિતિબંધ-રસબંધમાં અમુક મર્યાદા સુધી ફેરફાર થાય, પણ તેનાં કારણોનું સેવન કરવું પડે; સત્તા, અનુબંધ, બંધમાં ફેરફાર કરવો પડે. આશ્રવ માનો પછી પોતાની મેળે જિંદગી સુધરવા માંડશે. કોઇ જીવ પોતાનું બગાડવા ઇચ્છતો નથી, દુર્ગતિમાં કોઇને જવું નથી. એક વાર આ તત્ત્વ બરાબર બેસવું જોઇએ, જેમ ચંડકૌશિકને બેઠેલું તેમ. માટે જ ચંડકૌશિકે To the best of his capacity (તેની પૂરી શિકતથી) વીર્ય ફોરવ્યું અને તે નરકના બદલે આઠમા દેવલોકમાં ગયો. બહુ ક્રોધી જીવો દષ્ટિવિષ સર્પ થાય છે, ભલે તે આરાધક જીવો હોય તો પણ; જેમ ચંડકૌશિક આરાધક હતો, પણ દોષને પરવશ થઇને તેણે દોષને પોષ્યા જ કર્યા, જેથી દૃષ્ટિવિષ સર્પ થયો. પછી પુણ્યના ઉદયકાળે ભગવાન મળવાથી તેની બાજી ફરી ગઇ. પછી તો બધું તેને આંખ સામે આવ્યું કે, આગળ મારી આરાધના શું હતી ? મારું ચોથું વ્રત કેવું હતું ? મારી યોગ્યતા કેવી છે ? આમ વિચારતાં વિચારતાં તેનો બેડો પાર થઇ ગયો. આમ તો સિંહ-વાધ-વરુ વગેરે જંગલી પ્રાણીઓને નરકગામી કહ્યાં છે. કારણ કે તેઓને હિંસકવૃત્તિ હોય છે, તેઓ રૌદ્રધ્યાનના સંકલ્પ-વિકલ્પોના ભાવમાં રમ્યા કરે છે. જેમ ભગવાન મહાવીરનો જીવ પણ સાતમી નરકથી સિંહના ભવમાં અને ત્યાંથી મરી પાછો ચોથી નરકે ગયો હતો. સભા:- સાહેબજી ! ભવ પ્રમાણે વૃત્તિ-ભાવો ના થાય ? સાહેબજીઃ-જે તે ભવમાં જન્મગત જે Genes, Fluid(દેહની રચના માટે પાયામાં કે મૂળમાં મળેલા પુદ્ગલો કે પ્રવાહી પદાર્થ-શુક્રાણુઓ)મળે તે ભવમાં તેને અનુરૂપ ભાવોઅધ્યવસાયો થાય. તેમાં Genes, Fluid સારા કે ખરાબ તે પણ કારણ બને. Genes (શુક્રાણુઓ)વારસાગત મળે છે. જેમ પરાક્રમી પુરુષનું લોહી મળે તો પરાક્રમી થાય. તેમ પશુમાંસ ખાનારાઓને પાશવીવૃત્તિ આવે. વ્યવહારનયથી જડ અને પુદ્ગલની આત્મા ઉપર અસરો સ્વીકારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy