SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આશ્રવ અને અનુબંધ સાહેબજી:-ના, કેવી રીતે ખબર પડે? કર્મો બાંધો છો તે ખબર પડે છે? ખોરાક પચે છે તે ખબર પડે છે? સભા- હા, સાહેબજી, ખોરાક પચવાથી ફૂર્તિ આવે છે, તૃપ્તિ થાય છે તેટલી તો ખબર પડે છે. સાહેબજી:- તેમ તો કર્મ ઊંધું પડે તો ખબર પડે છે કે નહિ? તેમ કર્મ સીધું ઊતરે તો પણ ખબર પડે છે ને? જેમ પુણ્યનો ઉદય હોય તો બધું સીધું ગોઠવાતું જાય છે ને? પ્રસંગે સારી બુદ્ધિ મળે, જેથી ગમે તેમાંથી બહાર નીકળી જાઓ ને? તેમ પાપના ઉદયમાં વિપરિત Factors (પરિબળો)ની હડફેટમાં આવે જેથી અપયશ મળે ને? આવું બધું દેખાય છે કે નહિ? સફળતાનું મૂળ કારણ પુણ્ય છે. માટે તટસ્થતાથી વિચાર કરો કે ધર્મશાસ્ત્રોમાં કશું ખોટું કહ્યું નથી. સગા બે ભાઇઓમાં એકને રૂપ-રંગ કેવા અને બીજા ભાઈને રૂપ-રંગ કેવા મળે છે? કારણસામગ્રી સરખી હોવા છતાં કાર્યમાં ભેદ કેમ? સમાન સામગ્રી હોવા છતાં સમાન કાર્ય થયું નહિ, કારણ કે બેઉનાં કર્મ જુદાં છે. તમે પદાર્થ સામે રાખીને ચાલો તો ચોક્કસ કર્મ તત્ત્વ બેસે. કર્મનાં બધાં ફળ દેખાય છે. ઘણા બુદ્ધિશાળીઓ એમ ને એમ રખડતા હોય છે. ઘણા ઉદ્યમશીલ મનુષ્યો પણ કાંઈ પામતા નથી. જો બુદ્ધિ જ Criteria (ધોરણ) હોય તો આમ કેમ? અને જો પુરુષાર્થ જ ધોરણ હોય તો પણ આમ કેમ? માટે જ કહેવું પડે કે ત્રીજું કારણ હોવું જોઈએ, જે પ્રધાન છે; અને આ કારણો આનુષંગિક છે. આ ત્રીજું કારણ એ જ કર્મ છે. આમ કર્મરૂપી કારણની સિદ્ધિ થાય છે અને કર્મ પ્રમાણે સંસાર ચાલે છે, પ્રસંગે કર્મના ફળનું દર્શન થાય છે. આ રીતે આશ્રવતત્ત્વ બુદ્ધિગમ્ય છે. સભા:- કર્મવિપાકમાં કાળનું કારણ પ્રધાન ખરું ? સાહેબજી:-કાળ પાકે ત્યારે કર્મ ફળ આપે. અનાજ કેવી રીતે પાકે છે? પહેલાં બીજ રોપો, પછી છોડ થાય અને પછી ફળ આપે ને? વસ્તુનું સ્વરૂપ જ એવું છે. હા, તમે તેને special (વિશિષ્ટ) સામગ્રી આપો તો જલદીથી ફળ આપે. ત્યાં ઉદીરણાકરણ લાગે છે. અબાધાકાળમાં ઉદીરણાકરણ લાગી ઘટાડો થાય છે, માટે વહેલું ફળ આપે છે. માટે ઉદીરણાકરણ લગાડવું પડે. હા, ક્યારેક એવું પણ બને કે કર્મ બાંધ્યા પછી એક આવલિકા બાદ તરત જ કર્મ ઉદયમાં આવે. આમ તો અબાધાકાળ પ્રમાણે ઉદયમાં આવે. જેમ અનાજને પાકવામાં કેવી રીતનો Process(પ્રક્રિયા) હોય છે? પહેલાં મૉર આવે, પછી ફળ આવે અને પછી તે પાકે. હા, તમે તેને બહારથી જુદાં નિમિત્ત આપો, જેમ કે તમે (૧) અબાધાકાળ : કર્મની સુષુપ્ત અવસ્થા. કર્મનો ઉદયમાં આવતાં પહેલાનો સમય. (૨) આવલિકા : જુઓ પરિશિષ્ટ-X- ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy