SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૨૩ તો રુચિ થાય તો પણ શ્રદ્ધા છે તેમ મનાય. વ્યવહારનયથી રુચિથી થયેલ શ્રદ્ધામાં પણ સમકિત કહેલ છે. રુચિથી થયેલ તત્ત્વશ્રદ્ધાથી પામેલા સમકિત કરતાં, તર્કથી નિર્ણીત તત્ત્વજ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી પામેલ સમકિત ચઢિયાતું છે. આમ તો અભિવિનો આત્મા દર્શનમોહનીયનાં દળિયાંને ચાર સ્થાનકથી ત્રણ સ્થાનક આદિરૂપે કરે છે, પરંતુ ક્ષયોપશમ સમકિતને યોગ્ય રસક્ષય કરી શકતો નથી, તેથી તેટલા માત્રથી કાંઇ તેનો ઉદ્ધાર નથી. સભાઃ- અમારે કયો નય પકડવો ? સાહેબજી:- મોક્ષ નિશ્ચયનયથી થવાનો છે, માટે વ્યવહારનયમાંથી નિશ્ચયનયમાં જવાનું છે. વ્યવહા૨નય તે સાધન છે, નિશ્ચયનય સાધ્ય છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યપ્ચારિત્ર જોઇશે, જે બધા Factors Demand (પરિણામ સાથે સહેજ અંશે પણ સંબંધ ધરાવતી હરકોઇ બાબતની માંગણી) કરશે. જેમ રસોઇ બનાવવા માટે બધા મસાલાની જરૂર પડે કે નહિ ? દરેક પદાર્થના જુદા જુદા ગુણધર્મો છે. મસાલા ઓછા હશે તો સ્વાદ નહીં આવે. માટે બધી જ સામગ્રી ભેગી કરવાની. તત્ત્વજ્ઞાનથી, સમ્યગ્દર્શનથી અને સમ્યક્ચારિત્રથી મોક્ષ ઃ આ પ્રમાણસૂત્ર છે. મારે તમને એ સમજાવવું છે કે આશ્રવતત્ત્વ મન-વચન-કાયા ત્રણેના યોગથી થાય છે. તેથી તમારો નિર્ણય જોઇએ કે “યોગોનું હું જેટલું પ્રવર્તન કરીશ તેટલો આશ્રવ નક્કી જ છે, માટે મારે ચોવીસ કલાક સાવધાન રહેવાનું છે; કારણ કે ભારે આશ્રવ દુર્ગતિનું કારણ છે, અને દુર્ગતિમાં એક વખત ગયા પછી તો મારા ડૂચા નીકળી જશે. તેથી અનુબંધે મોક્ષનું કારણ બને એવું મારું મન-વચન-કાયાનું પ્રવર્તન જોઇએ.’ ઊંઘમાં પણ લેશ્યા, અધ્યવસાય, પરિણામ બધા Factors(પરિબળો) કામ કરે છે. માટે જ રાતના સૂતાં પહેલાં દેવ-ગુરુ-ધર્મને યાદ કરી, સ્વાધ્યાય કરી, બધું વોસિરાવીને સૂવાનું છે. આ બધું શા માટે ગોઠવ્યું છે ? તમારું માથું ઠેકાણે રહે તે માટે. ક્રિયા પ્રમાણે ભાવ આવે છે. ધર્મને શરણે જઇ વિશુદ્ધ થઇને સૂઓ તો ઊંધમાં મૃત્યુ આદિ કાંઇ થાય તો પણ ઉદ્ઘાર થાય. ક્રિયા તે સાધન છે. ક્રિયાથી અપેક્ષિત ભાવ તે સાધ્ય છે. મન-વચન-કાયાથી ખાલી ક્રિયા કરો તે ચાલે નહિ, પણ તેને અપેક્ષિત જે ભાવ છે તે પણ કરવા જ પડે, અને જે પરિણામ કાઢી નાંખવાના છે તે પણ કાઢવા જ પડે. ધર્મને શરણે જઇને રહો અને તેની મર્યાદાને જો ચૂકો નહિ તો દુર્ગતિ થાય નહિ. સભાઃ- આયુષ્યના બંધ વખતે આપણો કેવો અધ્યવસાય છે તે ખબર પડે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy