SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આશ્રવ અને અનુબંધ સમકિતનું પ્રધાન કારણ માન્યું છે; હા, દર્શન કરતાં, પૂજા કરતાં કોઈક વખતે નિમિત્ત મળવાથી કોઇકને સમકિત થાય તે જુદી વાત છે. નવ તત્ત્વનું શ્રદ્ધાન તે કાંઈ ભગવાન હાથ પકડીને આપવાના નથી. નવતત્ત્વનું શ્રદ્ધાન ગુરુગમથી જ થવાનું છે, માટે ગુરુવાણીનું શ્રવણ કરવાનું છે, તેની ઉપાસના-આરાધના કરવાની છે. જયારે દર્શનમોહનીયનો યોપશમ થશે ત્યારે ભાવથી સમકિત પમાશે. સભા- દ્રવ્યસમકિત અને ભાવસમકિત એટલે શું? સાહેબજી:-તર્કથી બેસે તેને દ્રવ્યસમકિત માન્યું છે અને જે ભાવકીધા છે તે ભાવોની જીવને પ્રતીતિ થાય ત્યારે ભાવસમકિત કહેવાય. માત્ર જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થતું સમકિત તેને દ્રવ્યસમકિત માન્યું છે, કારણ કે તત્ત્વ તર્કથી બેઠું છે. તર્કથી બેઠું છે એટલે મિથ્યાત્વમાં મંદતા આવે, પરંતુ Extreme (પરાકાષ્ઠા) નથી. હજી દર્શનમોહનીયની શુદ્ધિ સંપૂર્ણ થઇ નથી. દર્શનમોહનીયના ક્ષયોપશમથી અને અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમથી જે ભાવ થાય, તેને ભાવસમકિત માન્યું છે. સમકિતીને ઔદયિકભાવમાં(કર્મના ઉદયથી થતાં ભાવમાં) પીડાનો અનુભવ થાય છે અને ક્ષયોપશમભાવમાં(કર્મના ક્ષય અને ઉપશમથી થતાં ભાવમાં) સુખનો અનુભવ થાય છે. સુખ તો પ્રશમ આદિના અધ્યવસાય અને પરિણામમાં જ છે, જ્યારે સંસારમાં પીડાનો અનુભવ પ્રતીતિનો વિષય બને છે. માટે નિશ્ચયથી સમકિતની વ્યાખ્યા શું કરી ? તો કહે છે, તત્ત્વપ્રતીતિ તે સમ્યક્ત. ધર્મના ક્ષેત્રમાં દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય તો કામ થાય. તેનો ક્ષયોપશમ કરવા માટે પુરુષાર્થ કેવો અને કેટલો કરો છો ? આલંબન કેવાં અને કેટલાં લો છો ? તથા તમારા કર્મો કેવાં છે? તે બધાં પાસાંઓ પર આધાર છે. તમારો પુરુષાર્થ મંદ હોય, આલંબન પણ નબળું હોય, તો તે વખતે કર્મ દીર્ઘકાળ અવરોધ કરે. સભા- સમકિત પામ્યા પછી તીર્થકરનો જીવ નીચે પડે ? સાહેબજી:- હા, એમાં શું થઈ ગયું? આગળનાં કર્મો જીવને પછાડે છે. વ્યવહારનય તર્કથી નિર્ણત તત્ત્વજ્ઞાનમાં સમકિત માને છે, જ્યારે નિશ્ચયનય અનુભવજ્ઞાનમાં સમક્તિ માને છે. હવે નિશ્ચયનયમાં જવા માટે રસ્તો શું? તો શુભભાવમાંથી શુદ્ધભાવમાં જવાનું છે. તો તેના માટે ઉપાય શું? તો વ્યવહારનય કહેશે કે, આત્માએ આરાધના કરતાં કરતાં વીર્ષોલ્લાસ ફોરવી, શુભભાવ કરતાં કરતાં શુદ્ધભાવમાં જવાનું છે. નિશ્ચયનય તો પ્રતીતિ થઇ હોય તો જ શ્રદ્ધા છે તેમ માને, જયારે વ્યવહારનય પ્રમાણે (૨) નવ તત્ત્વ: જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy