SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ આશ્રવ અને અનુબંધ તિર્યંચગતિનું કારણ છે અને (૩) તામસીવૃત્તિ દ્વેષપ્રધાન છે, માટે તેનો અધિપતિ દ્વેષગજેંદ્ર છે અને તે નરકગતિનું કારણ છે. જયાં સુધી મનમાં વૃત્તિઓનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ત્રણે વૃત્તિઓ સાથે જ રહેવાની, પણ Pre-dominant positionમાં(સર્વોપરી સત્તા કે પ્રભાવ ધરાવતું સ્થાનમાં) કઈ છે, તેની પર કર્મબંધનો આધાર રહેવાનો. હંમેશાં Subordinate(ઊતરતા દરજજાનું-ગૌણ) હોય તેણે તો Pre-dominan(સર્વોપરી કે પ્રભાવશાળી)ને Submitતાબે કે આધીન) થવાનું જ આવે. તેનું પેલાની આગળ ખાસ કંઈ ચાલે નહીં. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ : આ ચાર ભાવના આત્મસિદ્ધ થઈ જાય તો તે વેશ્યાશુદ્ધિ માટે Purifying agent(શુદ્ધિકરણ માટેનું સાધન)નું કામ કરે તેમ છે. આ ચાર ભાવનાઓમાં પણ પાછા દરેકનાં ચાર ચાર પેટા ભેદ કર્યા છે. સાત્ત્વિકવૃત્તિવાળો જીવ જીવનમાં બધી બાબતોમાં Minimum standards (લઘુતમ ધોરણો) બાંધી દે છે કે, જેનાથી નીચે ઊતરવા તો એ ક્યારેય તૈયાર થાય જ નહીં. તમે સાત્ત્વિકવૃત્તિ રાખી શકો છો ખરા? ના, માટે જ પ્રસંગે હે, હે કરી પાણીમાં બેસી જાઓ છો. કારણ કે તમને Conviction(દઢ માન્યતા કે પ્રતીતિ)ની ખામી છે. આમ તો પુણ્ય હશે તો આડું અવળું કરીને પણ સફળ થશો, પણ પુણ્યપ્રકૃતિ ગમે તે રીતે જગાડવાની નથી; કારણ કે તે રીતે મારક છે. પુણ્યપ્રકૃતિ સંસારના બંધવાળી હોય તો તે વજર્ય છે, પાપાનુબંધી પુણ્ય હોય તો વજર્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય જોઇએ, જે મોક્ષનું કારણ બને; જે સ્વરૂપથી પણ પુણ્ય બંધાવે અને ફળથી પણ પુણ્યબંધનું કારણ બને. ફરીથી વિચારજો કે આશ્રવ ચારે બાજુથી ચાલુ છે. આશ્રવનાં કારણો પણ વિદ્યમાન છે. મન-વચન-કાયાના યોગના પંદર પ્રકારબતાવ્યા છે. તેનું વિવેચન આગળ ઉપર આવશે ત્યારે ખબર પડશે કે, આપણે એમ ને એમ સંસારમાં ભરાણા નથી. કર્મ હશે ત્યાં સુધી જીવને કર્મ પકડીને લઈ જશે. નરકમાં જવાનાં કર્મો તેને બળાત્કારે નરકમાં લઈ જશે. આ સંસારમાં આપણે ક્યાંય સ્વતંત્ર નથી. અત્યારે પણ આપણને જે મળ્યું છે તે બધું આપણી ઇચ્છા મુજબનું નથી મળ્યું, માટે કોઈ બીજું તત્ત્વ કામ કરે છે. હવે સારા વિચારો અને સારા પરિણામોથી ક્ષયોપશમ થાય છે, તેથી સમકિત પામવા માટે ગુરુ પાસે ધર્મનું શ્રવણ કરવાનું છે, સમજવાનું છે. શાસ્ત્રમાં તેને જ અધિગમથી (૧) મન-વચન-કાયાના પંદર યોગ યાદી માટે જુઓ પરિશિષ્ટ-X-૯. (૨) અધિગમથી સમક્તિ (Development by means) : ભણવા દ્વારા યાને કે અભ્યાસ, અધ્યયન કરીને કે પર ઉપદેશથી કે બાહ્ય નિમિત્તને આશ્રયીને થતું જે તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે અધિગમથી મેળવેલ સમકિત . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy