SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આશ્રવ અને અનુબંધ ને? જેટલી મૂડી મૂકી હોય તે બધી પર ને? અથવા તમે કોઈ ધંધામાં Silent(નિષ્ક્રિય) પણ ભાગીદાર થયા, એટલે તે ધંધાના નફા-તોટામાં તમારો હિસ્સો ચાલુ થઈ જાય ને? તેમ તમારામાં પડેલા (જાગ્રત-અજાગ્રત) બધા અધ્યવસાયોથી તમારા આત્મા ઉપર કર્મનું મીટર સતત ચાલુ છે. સભા - આખી જિંદગી ધર્મ કરેલો હોય, પણ આયુષ્યનો બંધ પડી ગયો હોવાના કારણે જીવદુર્ગતિમાં જાય, તો તે ધર્મ નિષ્ફળ જાય? સાહેબજી:-આખી જિંદગી ધર્મ કરેલો હોય તેને, તે ધર્મદુર્ગતિમાં પણ એવાં નિમિત્ત લાવી આપે કે જેથી તે દુર્ગતિમાંથી નીકળી સતિમાં જાય. પણ આયુષ્ય બાંધી લીધું હોય તેને એક વખત તો દુર્ગતિમાં જવું પડે, પછી ત્યાં નિમિત્તની સહાયથી બહાર નીકળે. જેમ ચંડકૌશિક, જે નરકગતિની લાયકાતવાળો હતો, તો પણ તે આઠમા દેવલોકમાં ગયો. કારણ કે ભૂતકાળમાં ધર્મદ્વારા બાંધેલી પુણ્યપ્રકૃતિના ઉદયકાળમાં તેને ભગવાન મહાવીરનો સંયોગ થયો. માટે આ રીતે દુર્ગતિમાં પણ ધર્મ સહાય કરે છે. સભા- ભવના કારણે વૃત્તિઓ ના બદલાય? સાહેબજી:- હા, ભવ એકદમ એવો મળે તો બદલાય. પણ શાસ્ત્રમાં ઘણા દાખલાઓ છે કે જાતિસ્મરણજ્ઞાન પામીને પાંચમા ગુણસ્થાનકે પહોચી ૧૧વ્રતધારી શ્રાવકરૂપે ઘણા પંચેન્દ્રિય તિર્યંચો જુદા-જુદા દ્વીપોમાં છે. ભવિતવ્યતાથી તે જીવ ચૂકી ગયો હોય, પણ પછી પાછું નિમિત્ત મળતાં ઊહાપોહ કરતાં ચૂકી ગયેલું બધું યાદ આવતાં તેને બધી ખબર પડે અને આરાધનાના માર્ગે પુનઃ ચડી જાય. આયુષ્યનો બંધ એક વખત થાય છે, માટે તમે એવી રીતે જીવો કે આ ત્રણે (લેશ્યા,વૃત્તિ અને અધ્યવસાય) વસ્તુઓ સારી રીતે Maintain થાય(સચવાય). જો વેશ્યા ખરાબ હોય તો તે તમારા કાર્ય કરવાનો Approach (અભિગમ) બગાડશે. ત્યારે વિચારવું જોઇએ કે મારે મારા કાર્યની સિદ્ધિ ગમે તે રીતે થાય તે મને મંજૂર નથી. આ રીતે ન મળે તો આનાથી નીચે તો હું ઊતરીશ જ નહિ, તેના વગર ચલાવી લઇશ. પણ તમારી આવી ત્રેવડ ખરી? તમારાં ધારા-ધોરણ શું છે? સંસારના ક્ષેત્રમાં તે તમે ચલાવો ખરા? વેપાર કરવામાં તમારે ચોક્કસ ધારા-ધોરણ ખરાં કે નહિ? (૧) સાત્ત્વિકવૃત્તિ ગુણપ્રધાન છે, માટે તેનો અધિપતિ ધર્મરાજા છે અને તે સદ્ગતિનું કારણ છે, (૨) રાજસીવૃત્તિ રાગપ્રધાન છે, માટે તેનો અધિપતિ રાગકેસરી છે અને તે (૧) જાતિસ્મરણજ્ઞાન: જુઓ પરિશિષ્ટ-૪-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy