SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ આશ્રવ અને અનુબંધ સભા- આયુષ્યનો બંધ શેના પર આધાર રાખે ? સાહેબજીઃ- આયુષ્યનો બંધ તમારી વૃત્તિ, અધ્યવસાય અને વેશ્યા પર આધાર રાખે છે. જો આ શુભ હોય તો ઊંઘમાં કાળ કરો તો પણ સદ્ગતિ નિશ્ચિત થાય. માટે આ ત્રણેને આખી જિંદગી Maintain કરવા (સાચવવા) પડે. ઘોલના પરિણામમાં આયુષ્ય બંધાય છે. અધ્યવસાય ચડઊતર કરતા હોય તે ઘોલનો પરિણામ કહેવાય. આવા પરિણામમાં જ જીવ આયુષ્ય બાંધે, સ્થિર પરિણામ હોય ત્યારે નહીં. ધ્યાનની અવસ્થામાં આયુષ્ય બંધાતું નથી. સ્થિર અવસ્થામાં પણ આયુષ્ય બંધાતું નથી. તમારી વેશ્યા, અધ્યવસાય, વૃત્તિ સારાં હોય તો સદ્ગતિ બાંધો. જે જીવ આખો વખત સારી રીતે જીવતો હોય, તેને જ આ ત્રણ Maintain થાય (સચવાય) છે. માટે ગમારને તો કૂવામાં જ પડવાનું છે. હા, અકસ્માતથી ભવિતવ્યતા સારી હોય તો ઠીક. સભા-વૃત્તિ, વેશ્યા અને અધ્યવસાય એટલે શું? સાહેબજી:-વૃત્તિ ત્રણ પ્રકારની હોય છે. સાત્ત્વિક વૃત્તિ, તામસી વૃત્તિ અને રાજસી વૃત્તિ. વેશ્યા એટલે મનોયોગનો પરિણામ તે વેશ્યા અને પછી અધ્યવસાય છે. તામસી વૃત્તિ પ્રધાન હોય અને આયુષ્ય બાંધે તો જીવ નરકમાં જાય. આ વૃત્તિ આદિ) ત્રણેમાં એક સુધરે તો બીજું સુધરે અને એક બગડે તો બીજું બગડે. વૃત્તિ, વેશ્યા અને અધ્યવસાય એ ત્રણે Interconnected (એક-બીજા સાથે સંબંધિત) છે. અધ્યવસાયને વિચિત્રગર્ભાની ઉપમા આપી છે. વિચિત્રગર્ભા એટલે જેના પેટમાં ઘણું પડ્યું છે તે. જે તે વખતે જે પરિણામની પ્રધાનતા હોય તે પરિણામને અધ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. જો કે તે અધ્યવસાય પાછો Overall(સમગ્રતયા), જે લાંબા ગાળાના અધ્યવસાયો પડ્યા છે તેના એક પાસા-ભાગ સમાન છે. હંમેશાં પ્રધાનતાની અપેક્ષાએ વાત થાય. જેમ કે મુનિનો અધ્યવસાય શું? તો કહેવાય કે ચારિત્ર. કારણ કે દર્શન અને જ્ઞાનના અધ્યવસાય તો તમારામાં પણ હોઈ શકે, જે મુનિમાં પણ છે જ. પણ જેની મુખ્યતા હોય, અનન્યતા હોય તેને અનુલક્ષીને વાત થાય. જેમ કે તમે પાલીતાણા જાત્રા કરવા જાઓ ત્યારે તેની સાથે બીજાં ઘણાં કામો કરતા હો, જેમ કે સીહોરમાંથી પેંડા લો વગેરે... પણ કહેવાય શું? સીહોર પંડા લેવા ગયા હતા તેમ નહીં, પણ પાલીતાણા જાત્રા કરવા ગયા હતા તેમજ ને? કેમ કે જાત્રા તમારે મુખ્ય લક્ષ હતું. વિશેષમાં જેટલા પણ અધ્યવસાય તમારા પેટમાં પડ્યા હોય, તે બધાથી સતત કર્મબંધ ચાલુ. અધ્યવસાય પ્રમાણે કર્મનું મીટર ફર્યા જ કરે છે. જેમ તમે વ્યાજે પૈસા મૂક્યા હોય તો વ્યાજ ચડ્યા જ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy