SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ સભા - સાહેબ, જડનો પ્રભાવ ખરો કે નહિ? સાહેબજી:- જડનો પ્રભાવ કેવી રીતે થયો? તમે ભૂલ કરી પછી જડ ખબર પાડે છે. પછી બાજી જડના હાથમાં આવે છે. જો કર્મ નિકાચિત થયેલું હોય તો કર્મ સર્વેસર્વા થશે અને નિદ્ધત હશે તો પણ તમારા માટે મુશ્કેલ છે. ત્યાં જો તમે પાવરફુલ હો તો તેને ખબર પાડી શકો. પણ આ બધું થયું તો પછી ને? સિદ્ધો જયાં છે ત્યાં પણ કાર્મણવર્ગણાઓ પડી છે, પણ ત્યાં સિદ્ધોને મન-વચન-કાયાનું પ્રવર્તન નથી, પરિણમન નથી, તેમને ફક્ત શુદ્ધ ભાવની રમણતા છે, માટે બંધ નથી ને કર્મનો સંબંધ પણ નથી. કાર્મણવર્ગણાઓ જીવને સ્વયં કાંઈ કરી શકતી નથી. સભા- ભવિતવ્યતા મોક્ષમાં શું કરે ? સાહેબજી:- ભવિતવ્યતા સંસારમાં જ હોય, તે મોક્ષમાં હોય નહિ. તેવી જ રીતે લેશ્યા પણ સંસારમાં જ હોય, મોક્ષમાં નહિ. વિચારો પણ સંસારમાં જ હોય, મોક્ષમાં નહિ. અધ્યવસાય પણ સંસારમાં જ હોય, મોક્ષમાં નહિ. મૂર્ખતા અહીંયાં જ છે, કાં ભૂતકાળની ભૂલ હોય, કાં હવે તમે ભૂલ કરવાના હો. જો ભૂતકાળની ભૂલ હોય તો પણ ખબર તો હવે જ પડે ને? તમારું કરણ ક્યાં છે તેના પર આધાર છે. જો નિકાચિત કર્મ હોય તો તમને બરાબર ખબર પાડે છે. - ભગવાન તો બધા ભેદ ખોલી ખોલીને બતાવે છે. તમે આશ્રવતત્ત્વને સમજો તો બધો ખ્યાલ આવે. Master key(જાતજાતનાં સંખ્યાબંધ તાળાં ખોલનારી ચાવી) તમારા હાથમાં છે. તમને મિથ્યાત્વમોહનીયનો ઉદય ન હોય તો તમને નવું મિથ્યાત્વ ન બંધાય. કાર્મણવર્ગણામાં કોઇ જ શક્તિ નથી. જીવ પોતે જ તેમાં શક્તિ સંક્રાંત કરે છે. માટે મનવચન-કાયા ઉપર કાબૂ મેળવો તો કાંઇ પ્રશ્ન નથી. હા, એક વખત આત્મા સાથે કાર્મણવર્ગણાનો બંધ થઇ જાય પછી જ તે કર્મરૂપે પોતાની તાકાત બતાડે છે. આત્મા અનંતી વર્ગણામાંથી આઠ વર્ગણાને ગ્રહણ કરે છે. અત્યારે તમારા Stage(કક્ષા)માં જેટલી Possibility (શક્યતા) હોય તેટલું કરો, તેમ કરતાં કરતાં કર્મોનો હ્રાસ કરી શકશો. તમારા મન-વચન-કાયાના યોગથી, લેગ્યાથી, અધ્યવસાયથી, પરિણામથી, વિચારથી કર્મ બંધાય છે, માટે શક્ય તેટલો તેમનો પરિહાર(ત્યાગ) કરો. જયાં શક્ય નથી ત્યાં સારા પરિણામ કરો. જ્યારે ગ્રંથકારે કહ્યું કે આમ તો સકામનિર્જરા જ કરવાની છે, ત્યારે શિષ્ય કહ્યું કે તેની અમારી તાકાત નથી; ત્યારે વ્યવહારનયથી જણાવ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy