SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૧ જવું તે) કરી જાઓ છો ? પૂ. આ. હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે, સંસારનું મૂળ બીજ જીવ તું પોતે જ છે, કાર્યણવર્ગણા નહીં. તું યાને આત્મા ભૂલ ન કરે તો કશું થાય નહીં. કાર્યણની શક્તિમાં પણ તું જ કારણ છે. આશ્રવ ઉભયના પર્યાય સ્વરૂપ છે. તેમાં જડ અને ચેતન બંનેનું Interaction (પારસ્પરિક અસર) છે. “પરદ્રવ્યની પરદ્રવ્ય ઉપર અસર નથી” આ નિશ્ચયનયનું વાક્ય-સૂત્ર અપ્રમત્ત મુનિને લાગુ પડે છે, અમને પણ નહીં. વ્યવહારનયથી ન્યાય-નીતિનું ધન સદ્ગતિનું કારણ બને છે, અન્યાયનું ધન દુર્ગતિનું કારણ બને છે. આહાર પણ સાત્ત્વિક જોઇએ. કારણ કે તેની ઇન્દ્રિય, મન અને બુદ્ધિ ઉપર અસર છે. મનથી બુદ્ધિ સૂક્ષ્મ છે. જે બુદ્ધિથી પર (સૂક્ષ્મ) છે તે આત્મા છે. પૂ.આ. હરિભદ્રસૂરિજી બધે દ્રવ્યશુદ્ધિ માગે છે. સભાઃ- ધનની શુદ્ધિ કેવી રીતે ? સાહેબજીઃ- આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જે Best possible(મહત્તમ શક્ય) હોય તે નીતિ પાળવાનું અમે કહીએ છીએ. કુમારપાળ રાજા કે સિદ્ધરાજના રાજ્યમાં જે નીતિ હતી તેવી Demand(માંગ) નથી કરતા. સુરાજ્યના કાયદાઓ તમારી આDemocracy (લોકશાહી)માં અમે તમને લાગુ નહીં કરીએ. રાજા જે કાયદા કરે તે માર્ગાનુસારી હોવા જોઇએ. અમાર્ગાનુસારી કાયદા તે નરકગતિનું કારણ છે. “રાજેશ્વરી તે નરકેશ્વરી”. સંસારમાં બધાં સત્તાસ્થાનો જોખમી છે. જો તેનો સદુપયોગ ન કર્યો ને ભૂલ્યા, તો તે દુર્ગતિનું કારણ બને છે. સામાન્ય માણસ કરતાં સત્તાધીશને વિશેષ દોષ લાગે છે. રાજ્યવ્યવસ્થામાં ન્યાયની પ્રધાનતા જોઇએ. નીતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનો તેના પર અંકુશ જોઇએ. જેમાં ધર્મ અને નીતિશાસ્ત્રનો અંકુશ હોય તેવી રાજ્યવ્યવસ્થા તે Theocractic State(ઇશ્વરસત્તાક રાજ્ય) છે અને જેના ઉપર ધર્મ અને નીતિનો અંકુશ નહીં તે Democractic State(લોકશાહી રાજ્ય) છે. અત્યારે શું છે ? જે તીર્થંકર ભગવંતો મોક્ષમાર્ગ આપે છે, તેમના માટે રાજ્યવ્યવસ્થા બતાવવી તે તો તુચ્છ બાબત છે, પણ શાસ્ત્રો અને સાધુઓ તો તમને સંકુચિત દૃષ્ટિવાળા લાગે છે ને ? તમારી Democracy તો એરીસ્ટોટલે ઘડી છે. તમારે ત્યાં Courts of Laws(કાયદાની અદાલતો) છે, Courts of Justice (ન્યાયની અદાલતો) નથી. ૧ઉત્સર્ગથી કુલિન-ઉચ્ચકુળમાં જન્મેલ છે, તે જ સત્તા ઉપર આવવાને લાયક છે. તમે શાસ્ત્રોને શંકાની દૃષ્ટિએ જુઓ છો, જ્યારે વિજ્ઞાનને શ્રદ્ધા-વિશ્વાસની દૃષ્ટિથી જુઓ છો. (૧) ઉત્સર્ગથી : સામાન્ય સંજોગોમાં કરાતો ધર્મ કે પ્રવૃત્તિ (વિધિમાર્ગ) તે ઉત્સર્ગ, અને તેનું પ્રતિસ્પર્ધી અપવાદથી એટલે વિશેષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને કરાતો કારણિક ધર્મ કે પ્રવૃત્તિ, તે અપવાદ. A-2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy