SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આશ્રવ અને અનુબંધ શુભબંધ-અશુભબંધ બધું તમારા હાથમાં છે. મોક્ષ અને સંસાર બંને તમારા હાથમાં છે. જેટલો મન-વચન-કાયા ઉપર કાબૂ તેટલું તમારું કલ્યાણ. ઘરમાં ધૂળ કેમ આવી? તો કહો કે બારી-બારણાં ખુલ્લાં છે માટે. તેમ આશ્રવનાં દ્વાર ખુલ્લાં છે માટે કર્મો આવે છે. પ્રતિસમય જીવ સાતે કર્મોને બાંધે છે, (આયુષ્યકર્મ-આઠમું, તે સિવાયનાં). વેશ્યા તેનું નામ જે આઠે કર્મોના બંધનું મૂળ કારણ છે. કર્મોનો બાપ વેશ્યા છે. માટે લશ્યાને ઓળખી, સમજી તેને શુભ કરવી પડશે; અને જો શુભ લેશ્યા આત્મસાત થશે તો નિયમા સદ્ગતિ આવશે. ત્રણ શુભ લેશ્યા છે અને ત્રણ અશુભ લેશ્યા છે. શુભ લેશ્યાથી સદ્ગતિ થાય છે. લેશ્યા આત્માનો વૈભાવિક પરિણામ છે. માટે મોક્ષમાં લેશ્યા, ભવ્યત્વ પરિણામ, તથાભવ્યત્વ કે *ભવિતવ્યતા કશું જ નથી. જયાં સુધી કારણ વિદ્યમાન હોય ત્યાં સુધી લેશ્યા, ભવ્યત્વ પરિણામ, તથાભવ્યત્વ ને ભવિતવ્યતા છે. આશ્રવને ન્યૂન, ન્યૂનતર, ન્યૂનતમ કરતા જવાનું છે. આશ્રવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી વિચારો, આશ્રવને વ્યવહારનય અને નિશ્ચયનયથી વિચારો, આશ્રવને જ્ઞાનથીક્રિયાથી વિચારો, આશ્રવને ૧૮ પાપસ્થાનકોથી વિચારો. અઢાર પાપસ્થાનક સાથે તેને કાર્યકારણભાવ છે. ભગવાન હેતુવાદથી બોલે છે. આખું જગત કાર્ય-કારણભાવથી ચાલે છે. ધર્મનો પાયો Logical(તર્કસંગત) છે. આત્માનું ચોક્કસ સ્વરૂપ છે, પુદ્ગલનું ચોક્કસ સ્વરૂપ છે. જેનું કારણ હોય અને પોતે કાર્ય હોય તે અનિત્ય છે. જેની ઉત્પત્તિ બીજા કોઈ પણ કારણથી નથી, તે જ જગતમાં શાશ્વત છે. કર્મ પ્રવાહથી અનાદિ છે, વ્યક્તિગત સાદિ છે (નવા કર્મોની અપેક્ષાએ). કાળ પ્રવાહથી અનાદિ છે વ્યક્તિગત સાદિ છે. અહીં વ્યક્તિગત એટલે Individually (અલગપણે, કોઈ એક જીવના સંદર્ભમાં) અને પ્રવાહથી તેCollectively (સમસ્તપણે)ની અપેક્ષાએ વાત છે. કર્મના પ્રભાવની અસર તમારે લેવી કે ન લેવી તે તમારા હાથમાં છે. કારણ કે કર્મમાં ફેરફાર શક્ય છે. બાંધતી વખતે જ કર્મ ફેરફાર થવાને પાત્ર છે, યાને કે ઉદયમાં આવતાં પહેલાં ફેરફાર થઇ શકે. ધર્મ તમને બધી Techniques (તરકીબો) બતાવે છે. કર્મ બંધાય (૧) ભવિતવ્યતા થવા યોગ્ય ભાવો. (૨) હેતુવાદથી તર્કથી સમજાવી શકાય તે રીતે. શાસ્ત્રોમાં આવતા પદાર્થોમાં જે તર્કગમ્ય હોય તે તર્કથી સમજવા જ જોઇએ અને શ્રદ્ધાગમ્ય એટલે જે શ્રદ્ધેય પદાર્થો હોય તેમાં શ્રદ્ધા જ રાખવાની; ત્યાં તર્ક નહીં કરવાના. (૩) સાદિ અને અનાદિ સાદિ એટલે જેની શરૂઆત હોય તે અને અનાદિ એટલે જેની શરૂઆત ન હોય તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy