SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ - આશ્રવ અને અનુબંધ પોતાના આશ્રિતોને (ગાડીમાં બેઠા છે તેમને) તથા સામાવાળાને પણ નુકસાન કરે. તેમ જો ધ્યાન ન રાખ્યું તો તમે તમારા ભેગા તમારા આશ્રિતોને પણ નુકસાન કરશો. સંસારમાં તો કષાયોનાં તાંડવનૃત્યો જ છે. તમને ચિંતા, ભય, શોક, સંતાપ કેટલાં? તમને કોઈ વખત સારો વિચાર આવી જતો હોય તેવું બને, પરંતુ લબ્ધિમન (અજાગ્રતમન)માં તો કચરો જ ને? તમારા જીવનમાં તત્ત્વનિર્ણયાત્મક ધર્મ છે ખરો? પ.પૂ.આ.હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. કહે છે કે અનુદિત(ઉદયમાં નહીં આવેલ) કર્મોને ઉદિત ન થવા દો અને ઉદિત કર્મોને વિપાકોદયના બદલે પ્રદેશોદયથી ખેરવી નાખો. (અહીં મોહનીયકર્મને નજરમાં રાખીને વાત કરેલ છે.) મોક્ષ અને સંસાર બંને તમારા હાથમાં છે. બેઉનાં કારણો પણ શાશ્વત છે. બધા તીર્થકરો આ જ કારણો બતાવે છે. અધ્યવસાયની મધુરતા માણે તે જ મોક્ષે જાય છે. જેના અધ્યવસાય કલુષિત છે તે રિબાઈ રિબાઈને મરે છે. તીર્થકરો ૧૪ રાજલોક બતાવે છે, પણ તમે તો Man-made (કૃત્રિમ)માં જ ફસાઈ ગયા છો. મન-વચન-કાયાના યોગોનું Result (ફળ) છે, માટે જ તેના પર કાબૂ રાખવાનો છે. મન-વચન-કાયાથી સંસાર છે, મન-વચન-કાયાથી પુણ્યબંધ છે અને મન-વચન-કાયાથી પાપબંધ છે. તેનાથી જ સદ્ગતિ, દુર્ગતિ, સુખ અને દુઃખ છે. મોક્ષ છે, તેથી “મારે મોક્ષે જવા માટે મન-વચન-કાયા પર નિયંત્રણ મૂકવાનું છે.” મૂળ મોહનીયકર્મ છે. તે નિષ્ફળ થશે, તે પછી બાકીનાં બધાં કર્મો પાંગળાં છે. વૃત્તિ, લેશ્યા, અધ્યવસાય પર Control(નિયંત્રણો મૂકી Alert(સતર્ક) રહી શકો, તો જરૂર સદ્ગતિ થઈ શકે. તત્ત્વનિર્ણય કર્યા પછી તત્ત્વનો પક્ષપાત કરવાનો છે. શ્રાવક એક અતર્મુહૂર્તથી વધારે "આર્તધ્યાન કે'રૌદ્રધ્યાનમાં રહી શકે નહિ. સ્ત્રીઓ સમય થાય એટલે રસોઇ ચૂલા પરથી ઉતારી લે છે, કે બળવા દે છે? એ રીતે બળવા સુધી આવે તે પહેલાં અશુભ ધ્યાનમાંથી બહાર નીકળી જવાનું શ્રાવને ખબર હોય કે આર્તધ્યાન તિર્યંચગતિનું અને રૌદ્રધ્યાન નરકગતિનું કારણ છે. તમારી શું હાલત છે? તમને દુર્ગતિની કંઈ ચિંતા ખરી? તમારે તો જયાં રસ ત્યાં જ વિચારણા છે, ત્યાં તમે Alert(સતર્ક) છો, સંસારમાં (૧) ઉદિત ઉદીરણાકરણ લાગીને કે સ્વાભાવિક ઉદયમાં આવેલાં કર્મો. ઉદીરણાકરણ એટલે સત્તામાં પડેલ કર્મને ઉદયમાં લાવવા માટે થતો પુરુષાર્થ. (૨) વિપાકોદય: કર્મનું સાક્ષાત્ ભોગવવું તે, ફલપ્રદ ઉદય. કર્મના આત્માને અસર પહોંચાડે તેવો ઉદય. (૩) પ્રદેશોદય : કર્મના જે ઉદયથી આત્મા પર ખાસ કાંઈ અસર ન થાય તે.(૪) અધ્યવસાય આધ્યાત્મિક દૃષ્ટિએ મનના પરિણામ : વિચાર, માન્યતા, પરિણતિ, યોગ્યતા, સંસ્કાર વગેરે. (૫) આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તે બે અશુભધ્યાન અને ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે બે શુભધ્યાનની સમજ માટે જુઓ પરિશિષ્ટ X-૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy