SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ સભા- સાહેબજી ! અમારે શું કરવું? કેવી રીતે વિચારવું? સાહેબજી:- હેય પદાર્થનું ચિંતન કરો. મનને સારા ઠેકાણે રોકો. સ્વાધ્યાય કરો, તે નિર્જરાનું કારણ છે, અત્યંતર તપ છે. સભા- આપશ્રીએ હમણાં “ભંગથી જિનાજ્ઞાને સમજીને ચાલવું જોઈએ” તેમ કહ્યું, તેમાં ‘ભંગ” શબ્દ ન સમજાયો. સાહેબજી:-દેશવિરતિના ભાંગા, ઇરિયાવહિયાના ભાંગા કેટલા? ૧૮, ૨૪,૧૨૦ છે. આવા અસંખ્ય ભાંગા છે. આટલું સૂક્ષ્મ વિભાજન કરી કરીને, આપણે ત્યાં જે બધું બતાવ્યું છે, તે પણ જૈનધર્મની એક Speciality(વિશિષ્ટતા) છે. રાગ-દ્વેષ વગર બધા પદાર્થને વિચારવાના છે. દા.ત. “મકાન છે, જે ઇંટ-ચૂના-પત્થરથી બનેલું છે, જે પુદ્ગલ છે; તે જડ છે, પણ મોહનીયકર્મના ઉદયથી તેને હું મારું માનું છું. પુદ્ગલ કોઈ દિવસ જીવનું થતું નથી.” આમ ચિંતન કરતાં કરતાં, તેની સાથે Attach(ચોટેલા) છો તેને બદલે Detach(છૂટા) થાઓ, એટલે અમારી મહેનત સફળ. આવું વિચારતાં વિચારતાં મન Narrow (સંકુચિત) મટી Broad(વિશાળ) થઈ જાય, તમે 'અપ્રશસ્ત રાગ-દ્વેષ કરી તેમાં ચોંટી ગયા છો તેમાંથી બહાર નીકળો. બધે ઔદાસિન્યભાવ લાવવાનો છે. ઔદાસિન્યભાવ મોક્ષનો Highway(ધોરીમાર્ગ) છે. આવા વિચારો કરતાં કરતાં Broad Minded(વિશાળ મનના) થવાનું છે. પરિવાર માટે પણ વિચારે. જેમ કે બેઉનાં કર્મો મચ થયાં માટે પિતા-પુત્ર થયા. તમે અત્યારે અપ્રશસ્ત રાગ-દ્વેષ કરી કર્મ બાંધો છો. અત્યારે તમારી દુનિયા કઈ ? ૧૪ રાજલોક એ તમારી દુનિયા કે દુકાન-ઘર-પરિવાર એ જ તમારી દુનિયા? સભા - તો અમારું શું? સાહેબજી:- આત્માના ગુણપર્યાય એ જ તમારા છે, જડના નહિ. સમકિતી આત્મા જ્યોતિ યાને જ્ઞાન સિવાય કશાને પોતાનું માનતો નથી. તેને જ્ઞાનમાં જ સ્વત્વ બુદ્ધિ છે, બાકી બધું કર્મકૃત છે. જે પરતત્ત્વો છે, તે જ કર્મનાં કારણો છે. આવા વિચારો કરીને જડ પદાર્થોથી વિમુખ થાઓ તો ધીરે ધીરે આગળ વધી શકશો. સુમાનુષત્વ અને સુદેવત્વ આ બે સદ્ગતિ છે અને કુમાનુષત્વ અને કુદેવત્વ એ બે દુર્ગતિ છે. Steering(સુકાન) તમારા હાથમાં છે. જે ગાડી ચલાવતો હોય તે ધ્યાન ન રાખે તો પોતાને તો નુકસાન કરે, પણ સાથે (૧) પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રશસ્ત એટલે શુભ યાને વખાણવા લાયક અને હિતને કરનારા અને અપ્રશસ્ત એટલે અશુભ યાને વખોડવા લાયક, સ્વાર્થ ભળેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy