SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ વિચાર કરવો હોય તો મનોવર્ગણાનાં પુદ્ગલની જરૂર પડે. સંસારમાં જીવ પરતંત્ર છે, મોક્ષમાં જીવ સ્વતંત્ર છે. શ્રી સિદ્ધર્ષિગણિએ ભાવલેશ્યાની વ્યાખ્યા કરતાં કહ્યું કે, જીવને મનોયોગ વખતના જે પરિણામ તે ભાવલેશ્યા. છેક તેરમા ગુણસ્થાનક સુધી ભાવલેશ્યા છે, ચૌદમા ગુણસ્થાનકે તે નથી. તેરમા ગુણસ્થાનકે પરમશુક્લલેશ્યા છે. પછી જીવ અલેશી થશે, કારણ કે ત્યાં મનોયોગના પરિણામ જ નથી. જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી લેશ્યા રહેવાની. રાગ-દ્વેષ ન હોય અને મનોયોગના પરિણામ થાય તો પરમશુક્લલેશ્યા સમજવી. ‘મનપર્યાપ્તિ’ એ એક પ્રકારની શક્તિ છે. કુવિકલ્પો-અશુભવિકલ્પો તથા શુભવિકલ્પોથી આશ્રવ થાય છે. સુવિકલ્પોથી પુણ્યનો આશ્રવ અને કુવિકલ્પોથી પાપનો આશ્રવ અને જો માધ્યસ્થભાવ રહે તો 'નિર્જરા થાય. નિશ્ચયનય સકામનિર્જરાને જ નિર્જરા માને છે. પણ જો સકામનિર્જરા કરવાની તાકાત ન હોય તો વ્યવહારનય કહે છે, હે જીવ ! તું પુણ્યાનુબંધીપુણ્યનું ઉપાર્જન કર. માધ્યસ્થભાવ એટલે રાગ નહિ અને દ્વેષ પણ નહિ, બેની વચમાંનો ભાવ તે માધ્યસ્થભાવ. ઔદાસિન્ય(રાગ-દ્વેષરહિતપણાનો નિર્લેપ ભાવ) તે જ માધ્યસ્થતા છે. તેનાથી જ સકામનિર્જરા થાય છે. નિશ્ચયનયથી પાંચમે ગુણસ્થાનકે માધ્યસ્થભાવ આવે છે, જ્યારે વ્યવહારનયથી અપુનર્બંધક અવસ્થાથી મધ્યસ્થભાવ ચાલુ થાય છે. શુદ્ધ નિશ્ચયનય તો ચૌદે ગુણસ્થાનકને હેય માને છે, ફક્ત સિદ્ધસ્વરૂપને જ ઉપાદેય માને છે. તેના મતે તો કૈક્ષાયિકસમકિત એ જ સમ્યક્ત્વ છે. શાસ્ત્રમાં અસંખ્ય નયો છે. તમામ નયો ભેગા થાય ત્યારે જ પ્રમાણરૂપ બને છે. ત્યાં સુધી તોHalf Truth(અર્ધસત્ય) જ છે. તમે આ પ્રવચનો સાંભળ્યા પછી જો સમજ્યા હશો, તો તમારા જીવનમાં Revolution (ક્રાંતિ) આવશે. નહીં આવે તો હું સમજીશ કે તમે સાંભળ્યું પણ Bumper ગયું (કાને અથડાઇને હવામાં ચાલી ગયું). તમને તમારા યોગની કિંમત છે ખરી ? મન-વચનકાયાની પ્રવૃત્તિ સામે શુભ-અશુભ આશ્રવ છે. તેનું ફળ શું ? આપણી કોઇપણ ચેષ્ટા નિષ્ફળ નથી. અશુભ આશ્રવથી જ દુર્ગતિ છે. સંસારમાં મોટે ભાગે દુર્ગતિ જ છે, તો મારું શું થશે ? તેમ વિચારી બધા પદાર્થને નયથી, ભંગથી, પ્રમાણથી જિનાજ્ઞા પ્રમાણે સમજીને ચાલવું જોઇએ. આનાથી જ ધર્મધ્યાન આવે છે. તે ‘આજ્ઞાવિચય’ નામનો ધર્મધ્યાનનો પાયો છે. તે ધર્મધ્યાનથી અસંખ્યાતગુણ નિર્જરા થાય છે. (૧) નિર્જરાઃ કર્મનું આત્માથી વિસર્જન, સાધુઓને ધર્મનિર્જરાપ્રધાન છે. સામનિર્જરા એટલે ધર્મમય પ્રવૃત્તિથી કર્મ ખપાવવાં તે અને અકામનિર્જરા એટલે ધર્મનિરપેક્ષ કષ્ટ સહન કરીને સ્વાભાવિક કર્મનો છૂટકારો. (૨) અપુનબંધક અવસ્થા ઃ જુઓ પરિશિષ્ટ X-3. (૩) ક્ષાયિક સમક્તિ : જુઓ પરિશિષ્ટ X-૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy