SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ પહેલાં તત્ત્વનો નિર્ણય અને પછી તત્ત્વનો પક્ષપાત થવો જોઈએ. તેમ જ ત્યારબાદ હેમનું હેય તરીકે અને ઉપાદેયનું ઉપાદેય તરીકે સેવન કરવાનું છે. જે જીવને તત્ત્વનો પક્ષપાત નથી, તે જીવનો પોતાનો દોષ છે. આત્મકલ્યાણના માર્ગમાં પહેલાં શુશ્રુષા(જિજ્ઞાસા) પછી શ્રવણ અને પછી ગ્રહણ કરવાનું છે. બુદ્ધિના આઠ ગુણ વડે તત્ત્વોનું વિશ્લેષણ કરી તેનો સ્વીકાર કરવાનો. તમે તેનાથી તત્ત્વના પક્ષપાત સુધી પહોંચો તો જ ખરું કહેવાય. પૂ. શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજા ફરમાવે છે કે તત્ત્વના જ્ઞાન વગર મોક્ષ નથી. તત્ત્વના અજ્ઞાન ઉપર જ અઢાર પાપસ્થાનકો મજા કરે છે અને અઢાર પાપસ્થાનકોથી જ કર્મો આવ્યા કરે છે. તત્ત્વનું અજ્ઞાન અઢારે પાપસ્થાનકોનું Backbone(કરોડર) છે. આત્માની પ્રકૃતિ એ મોક્ષ છે અને આત્માની વિકૃતિ એ આ સંસાર છે. આત્મા મૂળ સ્વભાવમાં હોય તે પ્રકૃતિ છે. કોઇપણ વિકૃતિ અન્યકૃત જ હોય છે. બુદ્ધિના આઠ ગુણોમાં તત્ત્વનો પક્ષપાત આવી જાય છે અને ત્યાં સુધી પહોંચો તેમાં જ બુદ્ધિની સફળતા છે અને તે જ સમ્યગ્દર્શન છે. તમારી બુદ્ધિ એ જ સમ્યગ્દર્શન છે અને તમારી બુદ્ધિ એ જ મિથ્યાદર્શન છે. અહીંયાં યોગ શબ્દ એ કર્મ, ક્રિયા, ચેષ્ટા એ અર્થમાં છે. “યિતે તિ વર્ષ”. મન, વચન અને કાયાની જે ચેષ્ટા-પ્રવૃત્તિ તે જ ખરેખર યોગ છે. તેનાથી કામણવર્ગણાનો આત્મા સાથે સંબંધ થાય છે અને તે Natural Phenomenon(કુદરતી ઘટનાક્રમ) છે. જ્યાં જ્યાં યોગ ત્યાં ત્યાં આશ્રવ. માટે જ છેક ચૌદમાં ગુણસ્થાનકે સંપૂર્ણ અનાશ્રવ છે. તેરમાં ગુણસ્થાનકે યોગ છે, તેથી ત્યાં પણ આશ્રવ છે અને કર્મબંધ છે. કર્મ કર્યું અને કેવું બંધાય તેની હાલના તબક્કે ચર્ચા નથી. ત્રણે યોગોનું પ્રવર્તન(પ્રવૃત્ત થવું તે) વીર્યંતરાયના ક્ષયોપશમથી થાય છે. જીવ મનપર્યાતિથી(મનની વર્ગણાઓને ગ્રહણ કરીને વાપરવાની શક્તિથી) મનોવર્ગણાનાં પુદ્ગલોને વાતાવરણમાંથી ગ્રહણ કરી દ્રવ્યમનરૂપે પરિણમન પમાડે છે, અને તેના અવલંબનથી જે ઉપયોગ પ્રવર્તાવે છે, તે મનોયોગ છે. તે વખતે જીવનો જે પરિણામ તે વેશ્યા છે. સંસારમાં આપણે એટલા બધા પરવશ છીએ કે કાંઈ પણ કરવું હોય તો પુદ્ગલનું મુખ જોવું પડે, બોલવું હોય તો ભાષાવર્ગણાનાં પુદ્ગલ જોઇએ, (૧) બુદ્ધિના ૮ ગુણ સંક્ષિપ્ત નોંધ માટે જુઓ પરિશિષ્ટ-૩. (૨) અઢાર પાપસ્થાનકો આ પાપસ્થાનક સેવવા-સેવરાવવા યોગ્ય કે અનુમોદનાને પાત્ર નથી. અઢાર પાપસ્થાનકની યાદી માટે જુઓ પરિશિષ્ટ X૨. (૩) ક્ષયોપશમઃ ઉદયમાં આવેલ કર્મનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલ કર્મનું ઉપશમન કરવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy