SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પરિશિષ્ટ (૧૦) આવલિઝ: આવલિકા તે સમયનું માપ દર્શાવતો શબ્દ છે. સૌથી જઘન્ય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ એટલે સમય, આવા અસંખ્ય સમયની એક આવલિકો થાય. એક મિનિટમાં ૩,૪૯,૫૨૫.૧ ૩ આવલિકા થાય. જૈનશાસ્ત્રોમાં કાળના માપનું કાંઇક અનોખું ગણિત છે. કાળના નાનામાં નાના યુનિટ તરીકે સમયથી લઈ ક્રમસર આવલિકા, ક્ષુલ્લકભવ, લવ, મુહૂર્ત, અંતર્મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, પૂર્વાગ, પૂર્વ, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, આરો, કાળચક્ર અને પુદ્ગલપરાવર્તકાળ સુધીનાં કાળનાં માપ આપેલાં છે. (૧૧) દશ દષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ તે દશ દષ્ટાંતના નામ: (૧) ચોલ્લક - ચોલ્લક એટલે ચૂલો. (ઉપલક્ષણથી ભોજન) ચક્રવર્તીનું રાજય ૩૨,000 દેશ અને ૯૬ કરોડ ગામડાઓમાં પથરાયેલું હોય છે, તેમાં ચક્રવર્તીના ઘરે જમ્યા પછી વારાફરતી બધાના ઘરે જમવાનું હોય તો ચક્રવર્તીને ત્યાં ફરીથી જમવાનું મળવું કેટલું દુર્લભ! તેવી રીતે ગયેલા મનુષ્યભવને ફરી પામવાનું કામ આવું જ દુર્લભ તેવી રીતે અન્ય વસ્તુ પરનાં જે દષ્ટાંતો શાસ્ત્રમાં આપ્યાં છે, તેનાં નામો નીચે પ્રમાણે જાણવાં. (૨) પાસા (૩) ધાન્ય (૪) જુગાર (૫) રત્ન (૬) સ્વમ (૭) ચક્ર (૮) ચર્મ (૯) યુગ અને (૧૦) પરમાણુ. (૧૨) ભગવાન પણ છ વસ્તુઓ કરવામાં અસમર્થ છે તે નીચે પ્રમાણે જાણવી: (૧) જીવને અજીવ કરવો. (૨) અજીવને જીવ કરવો. (૩) એક સમયમાં બે ભાષા બોલવી. (૪) સ્વયં કરેલાં કર્મોનું વેદન કરવું કે ન કરવું. (૫) પુદ્ગલ પરમાણુનું છેદન-ભેદન કરવું કે અગ્નિકાયથી જલાવવું. અને (૬) લોકાંતની બહાર જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy