SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આશ્રવ અને અનુબંધ સ્થાન આપ્યું છે. માટે તમારે ગુરુના સમાગમમાં સતત રહેવાનું છે, અને અમારે બંને પ્રકારનો ઉપદેશ આપવાનો છે. પ્રભુએ જેનો નિષેધ કર્યો છે તે છોડવાનું કહેવું પડે, અને પ્રભુએ જેનું વિધાન કર્યું છે તેમાં પ્રવૃત્તિ કરવાનું કહેવું પડે. અવિધિનો નિષેધ અને વિધિનું સેવન બંને જીવનમાં જોઇશે જ . અમારે પણ આ બંને કરતા રહેવું પડે. ૧૦હજાર શીલાંગનું ચાર પ્રકારની સંજ્ઞારહિતપણે સેવન કરવાનું કહ્યું છે. શીલ+અંગ=શીલાંગ, શીલ એટલે ચારિત્ર. ૧૮હજાર શીલાંગ એ ચારિત્રાચારનાં અંગો છે. તેના પાલનમાં ચાર પ્રકારની સંજ્ઞાઓનો પરિત્યાગ Inherent(સ્વાભાવિક) છે. પંચાચારનું પાલન તમારે આલોકપરલોકની ઇચ્છા વગર કરવાનું છે. તેમાં પણ ગુણનું સેવન હશે તો ખાલી પુણ્યબંધ થશે, અને ગુણ નહીં સેવે તો તે પાપબંધનું કારણ થશે. જેનાથી ગુણનું શોધન થાય તે જ ક્રિયા વ્યવહારનયથી ઇષ્ટ છે. જેમાં ચિત્તનું શોધન થાય તે નિશ્ચયનયથી ધર્મ છે અને ચિત્તની શુદ્ધિનું જે સાધન બને તે ક્રિયા વ્યવહારનયથી ધર્મ છે. તીર્થંકરનું કોઈ પણ વચન નયવિશેષવાળું જ હોય. આગમની બધી વાતો નથવિશેષથી છે. ભગવાને જેનો નિષેધ કર્યો છે તે બધું અવિધિમાં જશે અને જેનું વિધાન કર્યું છે તે બધું વિધિમાં જશે. જેમ અવિધિ એ દોષ છે તેમ વિધિનો અભાવ તે પણ દોષ છે. જેનું વિધાન કર્યું છે તે બધું અમે તમારી પાસેથી માંગીએ. નિષેધ કર્યો છે તેટલું તમે છોડી દો તેટલામાત્રથી ન ચાલે, જેનું વિધાન છે તે પાછું હોવું જ જોઈએ. વિધાન ન ભળે તો તે ધર્મ અનધ્યવસિતમાં જાય. નિષેધ કરેલ હોય તેનો અભાવ જોઇએ અને સાથે વિધિની હાજરી જોઈએ. વિધિ-અવિધિ નો કશો વિચાર ન હોય તો તેવી ક્રિયા સંમૂચ્છિમમાં જશે, જે મોક્ષનું કારણ નથી. ધર્મક્રિયાના અધ્યવસાયમાં પ્રણિધાનાદિ પાંચે ભાવો માંગ્યા છે. તે તમારામાં છે? જો નથી તો જેમ ખરાબ ભાવ નથી તેમ સાધક એવા સારા ભાવ પણ નથી. તેથી શું વળે? રાખમાં ઘી નાંખો તો શું થાય? ધર્મક્રિયાના અધ્યવસાયમાં બે leg (પગ-પાયા), એક નિષેધ અને સામે બીજું વિધાન જોઇએ જ. મોક્ષ સાથે કાર્યકારણભાવ ગોઠવવો એટલે તમે શું માનો છો? તમે લોકો વર્ષોથી ધર્મ કરો છો, તે કયા ગુણની સાધના માટે કરો છો ? મને કહો તો ખરા ! જેમ કે જ્ઞાનાચાર તે બોધ કે જ્ઞાન માટે, અને દર્શનાચાર તે દર્શનશુદ્ધિ માટે સેવન કરાય, તેમ તમે શેના માટે કરો છો? તમે શું શેના માટે કરો છો તેનું કાંઈ ઠેકાણું નહીં હોય તો બધું કુલાચારમાં જશે, ને તમારું ઠેકાણું નહીં પડે. તમે કર્મ બાંધ્યા પછી પણ કર્મમાં ઘણા ફેરફાર કરી શકો છો. કાર્મણવર્ગણા આત્મા સાથે ઓતપ્રોત થયા પછી જ તે કર્મસ્વરૂપે ઓળખાય છે. જેમ તમારું માથું ફરે તેમ તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy