SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ આશ્રવ અને અનુબંધ અનુબંધની બાબતમાં તે બહાર નીકળી જશે, પછી તેને અશુભ અનુબંધનો Scope (અવકાશ) નથી. સમકિતીને ફક્ત એક જ વાર પાપકર્મ પાપ કરાવી શકશે, અર્થાત બંધમાં એક જ વાર Scope છે, પણ પછી તેને તેની Chin(હારમાળા) નહીં ચાલે. સતત મોક્ષસાધક કાર્યકારણભાવ વિદ્યમાન છે. તેથી જો સમકિત પામી તેને ટકાવી જાણે તો થોડા સમયમાં તેનું ઠેકાણું પડી જાય, થોડા સમયમાં મોક્ષ સાધી શકે. સમકિત પામ્યા પછી તો તે જે કાંઈ કરશે તે બધામાં છેલ્લે link (લીંક) મોક્ષ સાથે ગોઠવાયેલી જ હશે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે છઠ્ઠી દષ્ટિવાળાની ક્રિયા સ્વરૂપથી નિર્જરાવાળી છે, જયારે પાંચમી દષ્ટિવાળાની ક્રિયા નિર્જરાના ફળવાળી છે. તમે કડવી દવા લો તો તે કાયાથી કે મનથી ? તેમ સમકિતી પણ પાપ કરે-કષાયો સેવે તે માત્ર કાયાથી, મનથી નહીં. ચારિત્રમોહનીયકર્મ બળવાન હોય તો કષાયો તેને પાપ કરાવે, પણ તે કાયપાતી જ હોય, ચિત્તપાતી નહીં. તેનું મન હવે બદલાઈ ચૂક્યું છે. તે સંસારની જે કાંઈ પ્રવૃત્તિ કરે તેમાં તેને ભારોભાર અરુચિ જ પડેલી હોય. માત્ર કાયાથી involvement(સંડોવણી) હોય, હૃદયથી નહીં. જેને જેમાં રુચિ તેમાં જ તેને ફાવે, બીજામાં નહીં. કષાયો તેને પણ ક્રિયા કરાવે પણ તે કરે કેવી રીતે? તમે જેમ કડવી દવા કેવી રીતે પીવો? તેવી રીતે. સભા - સાહેબ! અમારે તો શુભ ભાવો ટકતા નથી અને અશુભ ભાવો ચોટી જાય છે. સાહેબજી:- ન ટકે, અને અશુભ ભાવો તમને ચોટેલા જ છે. તમે ઊંધા માથાવાળા છો તેથી ક્યાંથી તમારું ઠેકાણું પડે? આ સંસાર ભૂત છે અને તેના વળગાડથી તમે પ્રસ્ત છો, તેથી તમને સત્યદર્શન થતું જ નથી. ભૂવાને બોલાવવા જેવો લાગે છે? શ્રી સિદ્ધર્ષિગણિ ફરમાવે છે કે જીવ જેની સાથે બેસશે તેનો વિજય થશે. જીવ જો ધર્મની સાથે બેસે તો સમજવાનું કે મોક્ષ હાથવેંતમાં છે, અને જો કર્મની સાથે બેસશે તો તેનો અંત જ નથી. જેટલા નિષેધના ભાવો કહ્યા છે તેને કાઢી નાંખીને, તેની જગ્યાએ જેટલા વિધાનના ભાવો છે તેને આત્મા પર ગોઠવી દો. બસ, પછી વાર નથી. આમ થતાં સંસાર કપાવાનું ચાલુ થશે ને ઠેકાણું પડશે. પણ તમને આ બધું બેસતું નથી. દર્શનમોહનીય તમને તે બેસવા દેતું નથી. કર્મ સામે લડવું પડે. સારા-ખોટાનો વિચાર કરતા થઈ જાઓ. ખોટા ભાવોને કાઢીને ફેંકી દો, અને સારું શોધી શોધીને ગોઠવી દો. જો ખોટા ભાવ ઘૂસી ગયા તો તમારો ખરો ધર્મ બગાડશે, ફળ ઓછું કરાવશે. તે માટે તત્ત્વજ્ઞાન જરૂરી છે. નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમકિત છે. પણ તેની પ્રાપ્તિ કેવી રીતે ? ગુરુતત્ત્વથી થશે. માટે ગુરુથી સમ્યક્ત છે. એટલે શાસનમાં ગુરુતત્ત્વનું સ્થાન છે. દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણને નવપદમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy