SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ આશ્રવ અને અનુબંધ (કર્મમાં) ફેરફાર થયા કરે. જૈન સિદ્ધાંત પ્રમાણે કર્મ બંધાયા પછી તેમાં ઘણા ફેરફાર થવાની શક્યતા રહેલી છે. જેનો વિપાકોદય કે પ્રદેશોદય થયો નથી, ઉદયાવલિકામાં આવ્યાં નથી પણ સત્તામાં પડ્યાં છે, યાને કે જેનો અબાધાકાળ પૂરો થયો નથી, તેવાં અંદર પડેલાં કર્મોમાં ફેરફાર થઇ શકે છે. ભગવાને બધા રસ્તા બતાડ્યા છે. તરવા માટે ઘણા Scope છે. રુચિમાં ફેરફાર વગર અનુબંધમાં ફેરફાર કરવાનું શક્ય નથી. ધર્મ કરવા છતાં રુચિ જો સંસારની જ હોય અને મોક્ષની ન હોય, તો અનુબંધ સંસારનો જ પડશે. રુચિમાં ફેરફાર એટલે હેય-ઉપાદેયની બાબતમાં હૃદયથી યોગ્ય બુદ્ધિ થવી તે. ‘રાતું યોથે રૂતિ ચં' અને “વિતું યોર્ષ રૂતિ સેવ્યમ્' શબ્દો સરસ છે. પદાર્થના સ્વરૂપને સામે રાખીને, છોડવા યોગ્યમાં છોડવાની બુદ્ધિ અને સેવવા યોગ્યમાં સેવવાની બુદ્ધિ થવી, તે સમ્યક્ત છે. હેય શું? ઉપાદેય શું? તે વિચારો તો ક્ષયોપશમ થાય. હેયમાં ‘હા’ ધાતુ છે અને ઉપાદેયમાં “દા' ધાતુ છે. હેયમાં હાનબુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદાનબુદ્ધિ તે પાયો છે. એકવાર તમે આ પાયો ગોઠવી દો, પછી બધું એની પર ચાલ્યા કરે. એકવાર તમારે આ મહેનત કરવાની છે. ભગવાને જેનો નિષેધ કર્યો છે તેનો ત્યાગ કરી, જેનું વિધાન કર્યું છે તેને ગોઠવી દો. Setting(ગોઠવણ) બરાબર થવું જોઇએ. ધંધામાં કેવું Seting કરી લ્યો છો ? ધંધામાં એકવાર ગોઠવણ કરી દીધી પછી રોજ માથાફોડ ખરી? ના, એકવાર ગોઠવણ કરી એટલે તે આગળ વધ્યા કરે. ગોઠવણ કરી ફેરવી નાખો તો પાછી માથાફોડ થાય અને ઊંધું પણ પડે. ગોઠવણમાં ફેરફારને નિદાનશુદ્ધિ સાથે સંબંધ છે અને ગોઠવણને આશયશુદ્ધિ સાથે સંબંધ છે. પાપનો અનુબંધ સીધી રુચિથી તૂટે. સભા- ઓવથી ધર્મ કરવાથી અનુબંધમાં ફેરફાર થાય ? સાહેબજી:-ઓઘથી ધર્મ આવવાથી અનુબંધ ન ફરે, પણ પાપનો અનુબંધ મંદ પડે. ઓઘથી માન્યતા ફરે તેમાં પણ લાભ ખરો, પણ ખરો લાભ તો સમકિતીને જ મળે, જેને પોતાના ક્ષયોપશમથી સ્વઅનુભવજ્ઞાન ઉપર શ્રદ્ધા છે. તે તાત્ત્વિક શ્રદ્ધા છે, માટે જ સમકિતીને હેય-ઉપાદેયમાં, તત્ત્વ-અતત્ત્વમાં કોઇના વચનની જરૂરિયાત નથી રહેતી, પણ તે પોતાની બુદ્ધિ પ્રમાણે જ ચાલે છે. તેને તેનો આત્મા જ સાક્ષી છે, માટે તે દેખતો છે, અનુભવી છે. જયારે માત્ર જિનવચનના બળથી ચાલનારો, દેખતાની પાછળ ચાલનારો, ઓધશ્રદ્ધાવાળો, પોતે દેખતો નથી પણ દેખતાની પાછળ ચાલે છે. દેખતો ન હોય તેણે દેખતાની પાછળ તેનો ખભો પકડીને જ ચાલવું પડે. તે એમ કહે કે હું ખભો નહીં પકડું તો શું થાય? હાડકાં ભાંગી જાય ને? માટે કાં તમે સ્વયં સમકિત પામો, કાં સમકિત પામેલા પર શ્રદ્ધા રાખો. There is no third way out. (ત્રીજો કોઈ માર્ગ જ નથી). તમારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy